બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
Nitish Kumar Resign: નીતિશ કુમારે MLC પદ પરથી રાજીનામું આપી દીધું છે. બિહારના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હવે અટકળો વધી રહી છે. રાજીનામા અંગે ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે.

Nitish Kumar Resign: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોનું માનીએ તો સોમવાર, 30 માર્ચની સવારના 10.00 વાગ્યાની આસપાસ સીએમ નીતીશ કુમારે બિહાર વિધાન પરિષદના સભાપતિ અવધેશ નારાયણ સિંહને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આગામી 13 એપ્રિલ પછી તેઓ મુખ્યમંત્રી પદ છોડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
#WATCH | Patna: Bihar Chief Minister Nitish Kumar resigns as Member of the Legislative Council (MLC) following his elections as a Member of the Rajya Sabha (MP). pic.twitter.com/kmoLHotWXE
— ANI (@ANI) March 30, 2026
નીતીશ કુમાર જે અત્યાર સુધી બિહાર વિધાન પરિષદના સભ્ય હતા, તેમણે 16 માર્ચના રોજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. નિયમો મુજબ, નીતીશ કુમારે સંસદ માટે ચૂંટાયાના 14 દિવસની અંદર રાજ્ય વિધાનમંડળમાંથી રાજીનામું આપવાનું હતું. હવે સીએમ નીતીશ કુમારના રાજીનામાની સત્તાવાર જાહેરાત થોડી વારમાં કરવામાં આવશે.
નીતીશ કુમારે આપ્યું રાજીનામું
નીતીશ કુમારે રાજ્યસભાના સાંસદ બન્યા બાદ MLC પદેથી રાજીનામું આપી દીધું છે. આ પગલાથી હવે તેમના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. તેઓ ગમે ત્યારે મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપી શકે છે.
મુખ્યમંત્રી પદ પરથી પણ આપવું પડશે રાજીનામું
આ સ્થિતિમાં, રાજ્ય વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય ન હોવાના કિસ્સામાં નીતીશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપવું પડશે. રાજ્યસભાની સદસ્યતા અંગે બિહારના મુખ્યમંત્રીએ પોતાની 'સમૃદ્ધિ યાત્રા' ના 5 તબક્કા દરમિયાન આ બાબતે એક પણ શબ્દ કહ્યો નહોતો. આ યાત્રા 26 માર્ચે પટનામાં સમાપ્ત થઈ હતી.
સમૃદ્ધિ યાત્રા દરમિયાન, બિહારના મુખ્યમંત્રીએ 32 જિલ્લાઓમાં 32 જનસભાઓને સંબોધિત કરી હતી, પરંતુ ક્યાંય પણ રાજ્યસભામાં જવા કે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો નહોતો. જોકે, તાજેતરમાં સંપન્ન થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને પ્રથમ વખત ઉપલા ગૃહના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
30 એપ્રિલ સુધીમાં આપી શકે છે સીએમ પદેથી રાજીનામું
મુખ્યમંત્રી નીતીશ કુમાર 30 એપ્રિલે રાજીનામું આપે તેવી માહિતી છે. આ પછી તેઓ પોતાની રાજ્યસભાની સદસ્યતા ગ્રહણ કરશે. નીતીશ કુમારના MLC પદેથી રાજીનામું આપ્યા બાદ હવે નવા સીએમ (મુખ્યમંત્રી) ને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.























