શોધખોળ કરો

સંરક્ષણમંત્રી રાજનાથસિંહની પાકિસ્તાનને ચેતવણી- હવે જે પણ વાત થશે તે POK પર થશે

ઇમરાન ખાન સરકારને ડર લાગી રહ્યો હતો કે કલમ 370થી વધુ જોગવાઇઓ હટાવ્યા બાદ ભારત હવે પીઓકેમાં બાલાકોટથી પણ મોટી કાર્યવાહી કરી શકે છે.

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે  સ્પષ્ટ કર્યું હતું કે, પાકિસ્તાન સાથે હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પર વાત થશે. નોંધનીય છે કે રાજનાથસિંહ રવિવારે હરિયાણાના કાલકામાં એક જનસભામાં આ વાત કરી હતી. જ્યારે પાકિસ્તાનને આ વાતનો ડર છેલ્લા અનેક દિવસોથી લાગી રહ્યો હતો. ઇમરાન ખાન સરકારને ડર લાગી રહ્યો હતો કે કલમ 370થી વધુ જોગવાઇઓ હટાવ્યા બાદ ભારત હવે પીઓકેમાં બાલાકોટથી પણ મોટી કાર્યવાહી કરી શકે છે. રાજનાથસિંહે કહ્યું કે પુલવામામાં અમારા બહાદુર જવાનો સાથે જે થયુ ત્યારબાદ 56 ઇંચની છાતીવાળા આપણા વડાપ્રધાને નિર્ણય લીધો કે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું. તમે જોયું કે એરફોર્સના આપણા  જવાનોએ બાલાકોટમાં જઇને આતંકીઓનો સફાયો કરવામાં સફળતા મેળવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન અગાઉ કહેતા હતા કે કાંઇ નથી થયું એક પણ માણસ મર્યો નથી. પરંતુ તાજેતરમાં જ પીઓકેમાં જઇને તેઓ કહી રહ્યા હતા કે ભારત બાલાકોટ એર સ્ટ્રાઇક કરતા મોટી સ્ટ્રાઇક કરવા અંગે વિચારી રહ્યું છે. તેમણે પણ સ્વીકાર્યું કે, બાલાકોટમાં ભારતે મોટી તબાહી મચાવી હતી. પાકિસ્તાન પર શાબ્દિક હુમલો કરતા રાજનાથસિંહે કહ્યુ કે, કલમ 370 ખત્મ થયા બાદ આપણો એક પાડોશી  રઘવાયો થયો છે. તે દુનિયાના દેશો સામે કગરી રહ્યો છે કે તેમને  બચાવવામાં આવે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ પાકિસ્તાનને કહી દીધું છે કે જાઓ  ભારત સાથે બેસીને વાત કરો અહી આવવાની કોઇ જરૂર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુઝફ્ફરનગરના સૌથી મોટા પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, અનેક દર્દીઓ જીવતા સળગ્યાં, મોટી જાનહાનિની આશંકા
મુઝફ્ફરનગરના સૌથી મોટા પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, અનેક દર્દીઓ જીવતા સળગ્યાં, મોટી જાનહાનિની આશંકા
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુઝફ્ફરનગરના સૌથી મોટા પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, અનેક દર્દીઓ જીવતા સળગ્યાં, મોટી જાનહાનિની આશંકા
મુઝફ્ફરનગરના સૌથી મોટા પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, અનેક દર્દીઓ જીવતા સળગ્યાં, મોટી જાનહાનિની આશંકા
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
Embed widget