શોધખોળ કરો

Nuh : હરિયાણામાં હિંસાને લઈ VHP મેદાનમાં, બજરંગદળ-VHPનો આકરો નિર્ણય

30થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. હિંસા દરમિયાન પોલીસ સ્ટેશન, હોસ્પિટલ અને ઘણા લોકોની દુકાનો પણ ઉપદ્રવની અસરમાં આવી ગઈ હતી. સેંકડો વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

Vishva Hindu Parishad Protest : હરિયાણાના મેવાત-નુહ વિસ્તારમાં સોમવારે ધાર્મિક યાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં બે હોમગાર્ડ સહિત 5 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. હિંસા દરમિયાન પોલીસ સ્ટેશન, હોસ્પિટલ અને ઘણા લોકોની દુકાનો પણ ઉપદ્રવની અસરમાં આવી ગઈ હતી. સેંકડો વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. થોડી જ વારમાં હિંસા સોહનાથી ગુરુગ્રામ સુધી ફેલાઈ ગઈ. હિંસા પર કાબૂ મેળવવા માટે અર્ધલશ્કરી દળોની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

ઘટનાના એક દિવસ બાદ પણ સ્થિતિ તંગ છે. સીએમ મનોહર લાલે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને તેને કાવતરું ગણાવ્યું. જ્યારે વિશ્વ હિંદુ પરિષદ વતી મેવાતમાં હિંસા વિરુદ્ધ 2 ઓગસ્ટ, બુધવારના રોજ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું કહેવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાની વાત કરી છે. હરિયાણાના પાંચ સ્થળોએ ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મેવાતને હિંદુઓનું કબ્રસ્તાન બનવા દેવામાં નહીં આવેઃ સુરેન્દ્ર જૈન

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહાસચિવ ડૉ. સુરેન્દ્ર જૈને હરિયાણાના મેવાતમાં થયેલી હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને એમ પણ કહ્યું હતું કે, મેવાતને હિન્દુઓનું કબ્રસ્તાન બનવા દેવામાં આવશે નહીં. તેમણે મંગળવારે કહ્યું હતું કે, દર વર્ષે શ્રાવણ મહિનામાં સોમવારે મેવાતમાં ભક્તો ભગવાન શંકરના આશીર્વાદ લેવા માટે મહાભારત કાળના પાંચ મંદિરોમાં જાય છે. VHP દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં પણ જણાવવામાં આવ્યું છે કે, સોમવારે કેવી રીતે તંગદિલીની શરૂઆત થઈ હતી. તેમના કહેવા પ્રમાણે, યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને અચાનક તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

યાત્રામાં 20-25 હજાર લોકો પહોંચ્યા હતા

ડોક્ટર સુરેન્દ્ર જૈનના જણાવ્યા અનુસાર સોમવારે લગભગ 20-25 હજાર લોકો પહોંચ્યા હતા. યાત્રા શરૂ થયાને 15 મિનિટ પણ નથી થઈ કે બદમાશોએ તેમના પર ફાયરિંગ અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. તેઓએ આગચંપી પણ શરૂ કરી હતી. જ્યારે શ્રદ્ધાળુઓએ જોયું કે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે, ત્યારે તેઓએ પીછેહઠ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાછળથી પથ્થરો પણ આવી રહ્યા હતા. તેમના પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા, મુશ્કેલીથી અમે કેટલાક લોકોને બચાવીને તેમને નલ્હાડ મહાદેવ મંદિરે પાછા લાવવામાં સફળ રહ્યા. થોડી વારમાં જ તોફાનીઓ મંદિરની સામે આવી ગયા. કાર, બસ અને અન્ય વાહનોને આગ ચાંપી અને ગોળીબાર શરૂ કર્યો.

ગોળીઓ ચલાવી, વાહનો સળગાવી અને તોડફોડ કરી

જેમાં બે લોકોને ગોળી વાગી હતી. લગભગ તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે પોલીસ આવી તો પોલીસને જોઈને બદમાશો ભાગવા લાગ્યા અને ટેકરીઓ પર ચઢી ગયા અને ત્રણેય બાજુથી મંદિર વિસ્તારમાં ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં યુવકનું મોત થયું હતું અને અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. ભારે મુશ્કેલી બાદ પ્રશાસને તેમને નિયંત્રણમાં લીધા અને પછી તેમને ત્યાંથી હટાવીને પોલીસ લાઈનમાં લઈ આવ્યા. ડૉ. જૈને આરોપ લગાવ્યો કે, આ તોફાનીઓને ઉશ્કેરનારા લોકો આ ઘટના માટે જવાબદાર છે, તેમની ઉશ્કેરણીથી મોહરમ અને રામ નવમી પર હુમલા થાય છે. અન્ય કેટલા લોકોનું બલિદાન આપવામાં આવ્યું છે, તે જાણવામાં આવી રહ્યું છે, વહીવટીતંત્ર તરફથી પણ આ સંદર્ભમાં યોગ્ય આંકડા ઉપલબ્ધ નથી. ઘાયલોની ચિંતા અને તેમની યોગ્ય સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અમે દેશભરમાં વિરોધ કરીશું : VHP

જૈને કહ્યું કે વિવિધ સ્થળોએ મહાપંચાયતો થશે અને અમારી યાત્રા અટકશે નહીં. શિવ મંદિરમાં જલાભિષેક કરવા જાય છે. બદમાશો દ્વારા ગોળીઓ ચલાવવામાં આવી હતી. ચારે બાજુથી મોર્ટાર બોમ્બ છોડવામાં આવ્યા, પથ્થરમારો કરવામાં આવ્યો. પોલીસ ચોકીઓ સળગાવી દેવામાં આવી, પોલીસ સ્ટેશન સળગાવવામાં આવ્યા, પોલીસ સ્ટેશનો સળગાવવામાં આવ્યા, મંદિરો પર હુમલા કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે, હિન્દુ સમાજ ક્યાં સુધી ચૂપ રહેશે? અમે ઘરે-ઘરે જઈશું અને દેશભરમાં આંદોલન કરીશું.

આવતીકાલે બજરંગ દળ રાજધાની દિલ્હીમાં 23 સ્થળોએ નોહ હિંસા અંગે વિરોધ પ્રદર્શન કરશે. તેમાં શેરપુર ચોક, ઘોંડા ચોક, લોની ગોલ ચક્કર, નિર્માણ વિહાર મેટ્રો વિકાસ માર્ગ, પટપરગંજ મધર ડેરી, નોઈડા ટોલ, બાદરપુર બોર્ડર ટોલ નાલા, એમડી રોડ ખાનપુરી ટી પોઈન્ટ, છતરપુર ચોક, બસંત-સેક્ટર એ ચોક, પાલમ ફ્લાયઓવર, નજફગઢ, દ્વારકા મોડ/ઉત્તમ નગર, નાંગલોઈ ચોક, પેસિફિક મોલ, ઈન્દર લોક, બ્રિટાનિયા ચોક, પોલ સ્ટાર અવંતિકા ચોક, હોલંબી, મુકુંદપુર ચોક, જીટીબી નગર ચોક રેડ લાઈટ, કીકરવાલા ચોક કરોલ બાગ અને નારાયણ ચોક અને દિલ્હીનો સમાવેશ થાય છે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget