શોધખોળ કરો

Parliament Building Inauguration: નવા સંસદના ઉદ્ધાટન સમારોહનો વિપક્ષ કરશે બહિષ્કાર, સરકારને મળ્યો પટનાયક, રેડ્ડી અને બાદલનો સાથ

સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન સમારોહને લઈને હોબાળો મચી ગયો છે

New Parliament Inauguration:  સંસદના નવા ભવનનાં ઉદ્ઘાટન સમારોહને લઈને હોબાળો મચી ગયો છે. 19 વિપક્ષી પાર્ટીઓએ સામૂહિક રીતે સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સરકારે વિપક્ષના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. દરમિયાન બીજુ જનતા દળ (બીજેડી) અને શિરોમણી અકાલી દળ (એસએડી) સહિત કેટલાક અન્ય પક્ષોએ સમારોહમાં હાજરી આપવાની જાહેરાત કરી અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે રાજકારણ નહીં કરે.

 

  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે (28 મે) ના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહ માટે તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિપક્ષની માંગ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઈમારતનું ઉદ્ઘાટન કરવું જોઈએ.
  2. બુધવારે વિપક્ષના 19 પક્ષોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને સમારોહના બહિષ્કારની જાહેરાત કરી હતી. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર હેઠળ સંસદમાંથી લોકશાહીની ભાવના દૂર કરવામાં આવી છે અને રાષ્ટ્રપતિને સમારોહથી દૂર રાખવાનું અભદ્ર કૃત્ય સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન અને લોકશાહી પર સીધો હુમલો છે.

 

  1. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે , જનતા દળ (યુનાઈટેડ), આમ આદમી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ ઉદ્ધાટન સમારોહનો સંયુક્ત બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.

 

  1. જે પક્ષોએ સંયુક્ત રીતે ઉદ્ધાટન સમારોહનો કર્યો તેમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, ઝારખંડ મુક્તિ મોરચા, નેશનલ કોન્ફરન્સ, કેરળ કોંગ્રેસ (મણિ), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી, વિદુથલાઈ ચિરુથિગલ કાટ્ચી (VCK), મારુમાલાર્ચી દ્રવિડ મુન્નેત્ર કષગમ (MDMK) અને રાષ્ટ્રીય લોકદળનો સમાવેશ થાય છે. પણ સામેલ છે. આ સિવાય તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆરની પાર્ટી BRS અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ પણ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. યુપીના પૂર્વ સીએમ માયાવતીની બસપાએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.
  2. એનડીએએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાના રાજકીય પક્ષોના નિર્ણયની નિંદા કરી છે. NDAએ એક નિવેદનમાં કહ્યું કે આ જાહેરાત માત્ર અપમાનજનક નથી, તે આપણા મહાન રાષ્ટ્રના લોકતાંત્રિક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન છે. NDA સ્પષ્ટપણે વિપક્ષના નિર્ણયની નિંદા કરે છે.

 

  1. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજુ જનતા દળે વિપક્ષના બહિષ્કાર વચ્ચે આ કાર્યક્રમમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. બીજેડીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દેશના વડા છે અને સંસદ 1.4 અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. બંને સંસ્થાઓ ભારતીય લોકશાહીના પ્રતીકો છે અને ભારતના બંધારણમાંથી પોતાના અધિકારો પ્રાપ્ત કરે છે. આ બંધારણીય સંસ્થાઓ કોઈપણ મુદ્દાથી ઉપર હોવી જોઈએ. આવા મુદ્દાઓ પર હંમેશા પછીથી ચર્ચા થઈ શકે છે.

 

  1. BJD ઉપરાંત શિરોમણી અકાલી દળ (SAD) પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. પાર્ટીના નેતા દલજીત સિંહ ચીમાએ બુધવારે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ 28 મેના રોજ દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. તેમણે કહ્યું કે દેશને નવું સંસદ ભવન મળી રહ્યું છે અને તે ગર્વની ક્ષણ છે. અમે નથી ઈચ્છતા કે આ સમયે કોઈ રાજનીતિ થાય. આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપી અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપી પણ ઉદ્ઘાટનમાં ભાગ લેશે.

 

  1. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે જણાવ્યું હતું કે ઉદ્ઘાટન માટે તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ તેમની વિવેકબુદ્ધિ અનુસાર નિર્ણય લેશે. તેમણે કહ્યું કે બ્રિટિશ સરકાર પાસેથી ભારતમાં સત્તા હસ્તાંતરણના પ્રતીક તરીકે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઐતિહાસિક સેંગોલ નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. સેંગોલ હવે અલ્હાબાદના એક સંગ્રહાલયમાં છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમને રાજકારણ સાથે ન જોડવો જોઈએ.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Surat Firing Case: સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા
Rajkot News: 'તગડો પગાર મળે છે લાંચ ન આપવી': રાજકોટમાં લાંચ ન આપવી તેવા અધિકારીએ લગાવ્યા પોસ્ટર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ
Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ
Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય
Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય
Delhi Blast Case: આરોપી ડૉક્ટરોએ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, ફોનની ફોરેન્સિક તપાસમાં જાણો શું સામે આવ્યું
Delhi Blast Case: આરોપી ડૉક્ટરોએ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, ફોનની ફોરેન્સિક તપાસમાં જાણો શું સામે આવ્યું
Embed widget