શોધખોળ કરો

મન કી બાત : પીએમ મોદીએ કહ્યું, 'આત્મનિર્ભર ભારત' અભિયાન દેશને નવી ઊંચાઈ પર લઈ જશે

પીએમ મોદીએ કહ્યું, તમામ સાવધાની સાથે હવાઈ સેવા શરૂ થઈ છે. ધીમે ધીમે ઉદ્યોગ પણ શરૂ થઈ રહ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પ્રધાનમંત્રી મોદી મન કી બાત કરી રહ્યા છે. લોકડાઉનમાં ત્રીજી વખત પીએમ મોદી મન કી બાત કરી રહ્યા છે. જેમાં તેમણે કહ્યું, વિશ્વના મુકાબલે ભારતમાં કોરોના વાયરસ ઓછો ફેલાયો છે. આપણે વધારે સાવધાની રાખવી પડશે. પીએમ મોદીએ કહ્યું, તમામ સાવધાની સાથે હવાઈ સેવા શરૂ થઈ છે. ધીમે ધીમે ઉદ્યોગ પણ શરૂ થઈ રહ્યા છે. આ સ્થિતિમાં આપણે વધારે સતર્ક રહેવાની જરૂર છે. મોં પર માસ્ક લગાવવાની વાત હોય કે ઘરમાં રહેવાનું હોય આપણે તમામ વાતોનું પાલન કરવાનું છે.
મોદીએ આગળ કહ્યું, દેશમાં સૌના સામૂહિક પ્રયાસોથી કોરોના સામે લડાઈ મજબૂતીથી લડવામાં આવી રહી છે. જ્યારે આપણે વિશ્વ તરફ નજર કરીએ ત્યારે અનુભવ થાય છે કે ભારતવાસીઓની ઉપલબ્ધિ કેટલી મોટી છે. આપણી વસતી અનેક દેશોથી વધારે છે. આપણા દેશમાં પડકાર પણ વિવિધ પ્રકારની છે. પરંતુ તેમ છતાં દેશમાં કોરોના અન્ય દેશોની તુલનામાં ઓછો ફેલાયો છે. જે નુકસાન થયું છે તેનું દુઃખ બદાને છે. પરંતુ જે કંઈ આપણે બચાવી શક્યા છીએ તે નિશ્ચિત રીતે દેશની સામૂહિક સંકલ્પશક્તિનું જ પરિણામ છે.
મન કી બાતમાં પીએમે કહ્યું, આપણા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મી, પોલીસક્રમી, મીડિયાના સાથી જે આ સેવા કરી રહ્યા છે તેમની ચર્ચા મેં અનેક વખત કરી છે. મન કી બાતમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેનારા લોકોની સંખ્યા અગણિત છે. કોરોના વેક્સીન પર આપણી લેબ્સમાં જે કામ થઈ રહ્યું ચે તેના પર વિશ્વભરની નજર છે અને આપણા બધાની આશા પણ. કોઈપણ પરિસ્થિતિને બદલવા માટે, ઈચ્છાશક્તિની સાથે ઘણુ બધુ ઈનોવેશન પર પણ નિર્ભર કરે છે.
કેન્દ્ર સરકારે જે પણ ફેંસલા લીધા છે તેમાં ગામડામાં રોજગારી, સ્વરોજગાર, લઘુ ઉદ્યોગોની અનેક સંભાવના ખુલી છે. જો આપણા ગામડા આત્મનિર્ભર હોત તો અનેક સમસ્યાઓ ન હોત, જે આજે આપણી સામે છે. મને પૂરો ભરોસો છે કે આત્મનિર્ભર ભારત અભિયાન, આ દાયકામાં ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે.
કોરોના સંકટના આ કાળમાં મારી વિશ્વના અનેક નેતાઓ સાથે વાત થઈ, પરંતુ હું એક રહસ્ય જણાવવા માંગીશ. વિશ્વના અનેક નેતાઓમાંથી ઘણાએ હાલના દિવસોમાં યોગ અને આયુર્વેદમાં વધારે રસ બતાવ્યો હતો. દરેક જગ્યાએ લોકો યોગ અને આયુર્વેદ અંગે જાણવા માંગે છે. જે લોકોએ ક્યારેય યોગ નથી કર્યા તેઓ ઓનલાઈન યોગ ક્લાસમાં જોડાઈ ગયા છે અથવા ઓનલાઈન વીડિયો માધ્યમથી યોગ શીખી રહ્યા છે. કોરોનાના સંકટના આ સમયમાં યોગ આજે વધારે મહત્વના છે. કારણે આ વાયરસ આપણા શ્વાસ તંત્રમાં સૌથી વધારે પ્રભાવિત કરે છે. યોગમાં તો શ્વાસ તંત્રને મજબૂત કરનારા અનેક પ્રાણાયામ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget