શોધખોળ કરો

મન કી બાત : પીએમ મોદીએ કહ્યું, 'આત્મનિર્ભર ભારત' અભિયાન દેશને નવી ઊંચાઈ પર લઈ જશે

પીએમ મોદીએ કહ્યું, તમામ સાવધાની સાથે હવાઈ સેવા શરૂ થઈ છે. ધીમે ધીમે ઉદ્યોગ પણ શરૂ થઈ રહ્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પ્રધાનમંત્રી મોદી મન કી બાત કરી રહ્યા છે. લોકડાઉનમાં ત્રીજી વખત પીએમ મોદી મન કી બાત કરી રહ્યા છે. જેમાં તેમણે કહ્યું, વિશ્વના મુકાબલે ભારતમાં કોરોના વાયરસ ઓછો ફેલાયો છે. આપણે વધારે સાવધાની રાખવી પડશે. પીએમ મોદીએ કહ્યું, તમામ સાવધાની સાથે હવાઈ સેવા શરૂ થઈ છે. ધીમે ધીમે ઉદ્યોગ પણ શરૂ થઈ રહ્યા છે. આ સ્થિતિમાં આપણે વધારે સતર્ક રહેવાની જરૂર છે. મોં પર માસ્ક લગાવવાની વાત હોય કે ઘરમાં રહેવાનું હોય આપણે તમામ વાતોનું પાલન કરવાનું છે.
મોદીએ આગળ કહ્યું, દેશમાં સૌના સામૂહિક પ્રયાસોથી કોરોના સામે લડાઈ મજબૂતીથી લડવામાં આવી રહી છે. જ્યારે આપણે વિશ્વ તરફ નજર કરીએ ત્યારે અનુભવ થાય છે કે ભારતવાસીઓની ઉપલબ્ધિ કેટલી મોટી છે. આપણી વસતી અનેક દેશોથી વધારે છે. આપણા દેશમાં પડકાર પણ વિવિધ પ્રકારની છે. પરંતુ તેમ છતાં દેશમાં કોરોના અન્ય દેશોની તુલનામાં ઓછો ફેલાયો છે. જે નુકસાન થયું છે તેનું દુઃખ બદાને છે. પરંતુ જે કંઈ આપણે બચાવી શક્યા છીએ તે નિશ્ચિત રીતે દેશની સામૂહિક સંકલ્પશક્તિનું જ પરિણામ છે.
મન કી બાતમાં પીએમે કહ્યું, આપણા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મી, પોલીસક્રમી, મીડિયાના સાથી જે આ સેવા કરી રહ્યા છે તેમની ચર્ચા મેં અનેક વખત કરી છે. મન કી બાતમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેનારા લોકોની સંખ્યા અગણિત છે. કોરોના વેક્સીન પર આપણી લેબ્સમાં જે કામ થઈ રહ્યું ચે તેના પર વિશ્વભરની નજર છે અને આપણા બધાની આશા પણ. કોઈપણ પરિસ્થિતિને બદલવા માટે, ઈચ્છાશક્તિની સાથે ઘણુ બધુ ઈનોવેશન પર પણ નિર્ભર કરે છે.
કેન્દ્ર સરકારે જે પણ ફેંસલા લીધા છે તેમાં ગામડામાં રોજગારી, સ્વરોજગાર, લઘુ ઉદ્યોગોની અનેક સંભાવના ખુલી છે. જો આપણા ગામડા આત્મનિર્ભર હોત તો અનેક સમસ્યાઓ ન હોત, જે આજે આપણી સામે છે. મને પૂરો ભરોસો છે કે આત્મનિર્ભર ભારત અભિયાન, આ દાયકામાં ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે.
કોરોના સંકટના આ કાળમાં મારી વિશ્વના અનેક નેતાઓ સાથે વાત થઈ, પરંતુ હું એક રહસ્ય જણાવવા માંગીશ. વિશ્વના અનેક નેતાઓમાંથી ઘણાએ હાલના દિવસોમાં યોગ અને આયુર્વેદમાં વધારે રસ બતાવ્યો હતો. દરેક જગ્યાએ લોકો યોગ અને આયુર્વેદ અંગે જાણવા માંગે છે. જે લોકોએ ક્યારેય યોગ નથી કર્યા તેઓ ઓનલાઈન યોગ ક્લાસમાં જોડાઈ ગયા છે અથવા ઓનલાઈન વીડિયો માધ્યમથી યોગ શીખી રહ્યા છે. કોરોનાના સંકટના આ સમયમાં યોગ આજે વધારે મહત્વના છે. કારણે આ વાયરસ આપણા શ્વાસ તંત્રમાં સૌથી વધારે પ્રભાવિત કરે છે. યોગમાં તો શ્વાસ તંત્રને મજબૂત કરનારા અનેક પ્રાણાયામ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
રાજસ્થાન આ 3 મોટા શહેરના બદલશે નામ, માઉન્ટ આબુ સહિત આ ત્રણ શહેરનું ફરી નામકરણ
રાજસ્થાન આ 3 મોટા શહેરના બદલશે નામ, માઉન્ટ આબુ સહિત આ ત્રણ શહેરનું ફરી નામકરણ
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક

વિડિઓઝ

Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad news: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાંથી ઝડપાયું ગેરકાયદેસર કોલ સેન્ટર
Controversy Statement: કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : દિકરીઓના આરોગ્યનું સુરક્ષા ચક્ર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Controversy Statement :કાલુપુર સ્વામિનારાયણ ગાદીના આચાર્યનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, સાંભળો શું કહ્યું?
Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
Embed widget