શોધખોળ કરો

Agnipath Scheme: અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ત્રણેય સેના પ્રમુખને મળ્યા PM મોદી, યોજના પર થઈ ચર્ચા

આજે પ્રધાનમંત્રી મોદીએ ત્રણેય સેનાના પ્રમુખ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. પ્રધાનમંત્રી આવાસ પર યોજાયેલી આ બેઠકમાં અગ્નિપથ યોજનાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

Agnipath Protest: સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના વિવાદોમાં ફસાઈ ગઈ છે. દેશના ઘણા રાજ્યોમાં આ યોજનાને લઈ યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે પ્રધાનમંત્રી મોદીએ ત્રણેય સેનાના પ્રમુખ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. પ્રધાનમંત્રી આવાસ પર યોજાયેલી આ બેઠકમાં અગ્નિપથ યોજનાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. 

ત્રણેય સેનાના પ્રમુખ સાથે અલગ-અલગ બેઠકઃ
પ્રધાનમંત્રી આવાસ પર થયેલી આ બેઠકોમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના વડાઓએ પ્રધાનમંત્રી મોદી સાથે યોજના વિશે ચર્ચા કરી હતી. થલસેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, નૌસેના પ્રમુખ એડમિરલ આર. હરિ કુમાર અને વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ વી. આર. ચૌધરી સાથે પ્રધાનમંત્રીએ અલગ-અલગ બેઠક કરી હતી. સૌથી પહેલાં નૌસેના પ્રમુખ એડમિરલ આર. હરિ કુમાર પીએમ આવાસ પહોંચ્યા હતા. નૌસેના પ્રમુખ સાથે મુલાકાત પુરી થયા બાદ વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી અને અંતમાં થલસેના પ્રમુખ જનરલ મનોજ પાંડે સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી. 

આ ત્રણેય મીટિંગ સીન્યોરીટી એટલે કે વરિષ્ઠતાના ક્રમ મુજબ થઈ હતી. ત્રણેય સેના પ્રમુખોમાં એડમિરલ આર. હરિ કુમાર સૌથી સિનિયર છે. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી મોદીએ આ ત્રણેય સેના પ્રમુખો સાથે 30-30 મિનીટ સુધી ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ સૈન્ય ભરતી યોજનાની જાહેરાત 14 જૂનના રોજ થઈ હતી અને ત્યાર બાદ દેશના ઘણા ભાગોમાં યોજનાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ આ પ્રદર્શનોએ હિંસક સ્વરુપ ધારણ કર્યું હતું અને પ્રદર્શનકારીઓએ ટ્રેનો અને બસોમાં આગ પણ લગાવી હતી.

પ્રધાનમંત્રી સાથે બેઠક કર્યા પહેલાં સેનાની ત્રણેય પાંખોના પ્રમુખોએ અગ્નિપથ યોજના અને અગ્નિવીરોની ભરતી પ્રક્રિયાને લઈને સમુહમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન અધિકારીઓએ કહ્યું હતું કે, સેના નોકરી માટે નહી પણ જુનૂન અને જજ્બાત માટે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget