શોધખોળ કરો

'મહેનતથી કમાયેલી સંપત્તિ તમારા બાળકોને નહી મળે...', પિત્રોડાના નિવેદન પર PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

મોદીએ કહ્યું કે કોંગ્રેસના ઈરાદા સારા નથી અને બંધારણ અને સામાજિક ન્યાયને અનુરૂપ નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે છત્તીસગઢના સરગુજામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા સામ પિત્રોડાના વારસાગત ટેક્સ પરના નિવેદન પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઈરાદા સારા નથી. હવે તેના ખતરનાક ઈરાદાઓ ખુલ્લેઆમ બધાની સામે આવી ગયા છે. તેથી હવે તેઓ વારસાગત કર વિશે વાત કરી રહ્યા છે.

મોદીએ કહ્યું કે કોંગ્રેસના ઈરાદા સારા નથી અને બંધારણ અને સામાજિક ન્યાયને અનુરૂપ નથી. કોંગ્રેસ તમારી કમાણી, તમારા ઘર, દુકાન, ખેતરો પર પણ નજર રાખી રહી છે. કોંગ્રેસના રાજકુમાર કહે છે કે તેઓ દેશના દરેક ઘર, દરેક કબાટ અને દરેક પરિવારની સંપત્તિનો એક્સ-રે કરશે. અમારી માતાઓ અને બહેનો પાસે જે નાનું સ્ત્રીધન, ઝવેરાત છે તેની કોગ્રેસ તપાસ કરાવશે.

પીએમે કહ્યું કે અહીં સરગુજામાં આપણી આદિવાસી માતાઓ અને બહેનો હંસુલી પહેરે છે, મંગળસૂત્ર પહેરે છે. કોંગ્રેસ તમારી પાસેથી આ બધું છીનવીને વહેંચશે. હવે તમે જાણો છો કે તે કોને આપશે. તેઓ તમારી પાસેથી લૂંટશે અને કોને આપશે? શું મારે કહેવાની જરૂર છે? શું તમે મને આ પાપ કરવા દેશો? કોંગ્રેસનું કહેવું છે કે સત્તામાં આવ્યા બાદ તે એક પછી એક ક્રાંતિકારી પગલાં લેશે. અરે, આ સપના ના જોશો. દેશની જનતા તમને આવી તક નહીં આપે.

મોદીએ કહ્યું કે કોંગ્રેસના ખતરનાક ઈરાદા એક પછી એક ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે. શાહી પરિવારના રાજકુમારના સલાહકાર તેમણે થોડા સમય પહેલા કહ્યું હતું કે આપણા દેશમાં મધ્યમ વર્ગ છે, તેમના પર વધુ ટેક્સ લગાવવો જોઈએ. તેણે આ વાત જાહેરમાં કહી છે. હવે આ લોકો તેનાથી એક ડગલું આગળ વધી ગયા છે. તેઓએ કહ્યું છે કે તમારી મિલકત પર વારસાગત કર લાદવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ કહે છે કે તેઓ વારસાગત કર લાદશે. તેઓ નથી ઇચ્છતા કે તમારા બાળકોને તમે તમારી મહેનત દ્વારા ભેગી કરેલી સંપત્તિનો વારસો મળે. તેઓ નથી ઈચ્છતા કે ભારતીયો તેમની મિલકત તેમના બાળકોને આપે. આ પાર્ટી પર શહેરી નક્સલીઓનો કંન્ટ્રોલ છે. તેઓ તમારી બધી દુકાનો અને ઘરો છીનવી લેશે. કોંગ્રેસ તમારા માતા-પિતાનો વારસો છીનવી લેશે.

કોગ્રેસની લૂંટ જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાસે એક જ મંત્ર છે. કોગ્રેસની લૂંટ જિંદગી દરમિયાન અને જિંદગી પછી પણ રહેશે. જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી કોંગ્રેસ તમને ઊંચા કર વડે મારશે અને જ્યારે તમે જીવશો નહીં ત્યારે તમારા પર વારસાગત કરનો બોજ પડશે. જેઓ આખી કોંગ્રેસ પાર્ટીને પોતાની પૈતૃક સંપત્તિ માનતા હતા અને પોતાના સંતાનોને આપી દેતા હતા, હવે તેઓ નથી ઈચ્છતા કે ભારતીયો તેમની મિલકત તેમના સંતાનોને આપે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

વિડિઓઝ

Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget