શોધખોળ કરો

NCPના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલ મોદી કેબિનેટમાં બની શકે છે મંત્રી! જાણો તેમની રાજકીય સફર વિશે

અજિત પવાર મહારાષ્ટ્રની એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારમાં જોડાયા હતા. શપથ ગ્રહણમાં એનસીપીની કાર્યકારી અધ્યક્ષ અને શરદ પવારના સૌથી નજીકના સાથી પ્રફુલ પટેલ પણ જોવા મળ્યા હતા.

મુંબઈ: રવિવારે (2 જુલાઈ)ના રોજ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જ્યારે NCPના મોટા નેતાઓમાંના એક અજિત પવાર બળવો કરીને મહારાષ્ટ્રની એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારમાં જોડાયા હતા.  બાદમાં અજિત પવારે  ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે NCPના કુલ 9 નેતાઓએ મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં યોજાયો હતો. શપથ ગ્રહણમાં એનસીપીની કાર્યકારી અધ્યક્ષ અને શરદ પવારના સૌથી નજીકના સાથી પ્રફુલ પટેલ પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ મીડિયામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે  પ્રફુલ પટેલ કેંદ્રની મોદી સરકારમાં મંત્રીપદના શપથ લઈ શકે છે.  

કોણ છે પ્રફુલ પટેલ ?

NCP નેતા પ્રફુલ પટેલનો જન્મ 17 ફેબ્રુઆરી, 1957ના રોજ કોલકાતામાં થયો હતો. પ્રફુલ પટેલના પિતા મનોહરભાઈ પટેલ બીડીના મોટા વેપારી હતા. તેમના પિતા મનોહર પણ સ્વ.ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, બાબુભાઈ પટેલના નજીકના ગણાતા હતા. આ ઉપરાંત તેઓ ગોંદીયા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પણ હતા.

શરદ પવારની આટલી નજીક કેઈ રીતે આવ્યા ?

એનસીપીના વડા શરદ પવાર મહારાષ્ટ્રના પ્રથમ સીએમ યશવંતરાવ ચવ્હાણને તેમના ગુરુ માનતા હતા. યશવંત રાવ પ્રફુલ પટેલના પિતા મનોહર ભાઈના ખૂબ નજીકના ગણાતા હતા. શરદ પવાર જ્યારે યશવંત રાવ ચવ્હાણ અને મનોહર ભાઈને મલતા ત્યારે તેમની સાથે પ્રફુલ પટેલ હાજર રહેતા હતા. પ્રફુલ ભાઈ હંમેશા પિતા સાથે રાજકીય બેઠકોમાં જતા હતા, આ કારણે તેઓ શરદ પવારની નજીક આવ્યા હતા.

પ્રફુલ્લ પટેલ માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમના પિતા મનોહરભાઈનું અવસાન થયું હતું. જો કે પ્રફુલ પટેલને હંમેશા શરદ પવારના આશીર્વાદ મળતા હતા અને તેમના પિતાના પગલે ચાલીને રાજકારણમાં તેમણે સફર શરૂ કરી હતી.


NCPના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલ મોદી કેબિનેટમાં બની શકે છે મંત્રી! જાણો તેમની રાજકીય સફર વિશે

ચાર વખત લોકસભા અને ત્રણ વખત રાજ્યસભાના સાંસદ

રાજનીતિમાં નાની ઉંમરે એન્ટ્રી કરતા પ્રફુલ્લ પટેલ 28 વર્ષની વયે ગોંદિયાથી નગર પરિષદના પ્રમુખ બન્યા હતા. આ પછી 33 વર્ષની ઉંમરે તેઓ 1991 માં પહેલી વાર લોકસભાની ચૂંટણી જીત્યા અને ત્યાર બાદ તેઓ સતત બે ચૂંટણીઓ જીત્યા હતા. ત્યારબાદ પ્રફુલ્લ પટેલ 2009માં ચોથી વખત લોકસભાની ચૂંટણી જીત્યા અને કેબિનેટમાં સૌથી યુવા મંત્રી બન્યા. તેમને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. એનસીપી નેતા 2000 અને 2006 માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ પણ ચૂંટાયા હતા. પ્રફુલ પટેલ 2022માં રાજ્યસભામાં પણ ચૂંટાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget