શોધખોળ કરો

NCPના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલ મોદી કેબિનેટમાં બની શકે છે મંત્રી! જાણો તેમની રાજકીય સફર વિશે

અજિત પવાર મહારાષ્ટ્રની એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારમાં જોડાયા હતા. શપથ ગ્રહણમાં એનસીપીની કાર્યકારી અધ્યક્ષ અને શરદ પવારના સૌથી નજીકના સાથી પ્રફુલ પટેલ પણ જોવા મળ્યા હતા.

મુંબઈ: રવિવારે (2 જુલાઈ)ના રોજ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જ્યારે NCPના મોટા નેતાઓમાંના એક અજિત પવાર બળવો કરીને મહારાષ્ટ્રની એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારમાં જોડાયા હતા.  બાદમાં અજિત પવારે  ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે NCPના કુલ 9 નેતાઓએ મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં યોજાયો હતો. શપથ ગ્રહણમાં એનસીપીની કાર્યકારી અધ્યક્ષ અને શરદ પવારના સૌથી નજીકના સાથી પ્રફુલ પટેલ પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ મીડિયામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે  પ્રફુલ પટેલ કેંદ્રની મોદી સરકારમાં મંત્રીપદના શપથ લઈ શકે છે.  

કોણ છે પ્રફુલ પટેલ ?

NCP નેતા પ્રફુલ પટેલનો જન્મ 17 ફેબ્રુઆરી, 1957ના રોજ કોલકાતામાં થયો હતો. પ્રફુલ પટેલના પિતા મનોહરભાઈ પટેલ બીડીના મોટા વેપારી હતા. તેમના પિતા મનોહર પણ સ્વ.ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, બાબુભાઈ પટેલના નજીકના ગણાતા હતા. આ ઉપરાંત તેઓ ગોંદીયા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પણ હતા.

શરદ પવારની આટલી નજીક કેઈ રીતે આવ્યા ?

એનસીપીના વડા શરદ પવાર મહારાષ્ટ્રના પ્રથમ સીએમ યશવંતરાવ ચવ્હાણને તેમના ગુરુ માનતા હતા. યશવંત રાવ પ્રફુલ પટેલના પિતા મનોહર ભાઈના ખૂબ નજીકના ગણાતા હતા. શરદ પવાર જ્યારે યશવંત રાવ ચવ્હાણ અને મનોહર ભાઈને મલતા ત્યારે તેમની સાથે પ્રફુલ પટેલ હાજર રહેતા હતા. પ્રફુલ ભાઈ હંમેશા પિતા સાથે રાજકીય બેઠકોમાં જતા હતા, આ કારણે તેઓ શરદ પવારની નજીક આવ્યા હતા.

પ્રફુલ્લ પટેલ માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમના પિતા મનોહરભાઈનું અવસાન થયું હતું. જો કે પ્રફુલ પટેલને હંમેશા શરદ પવારના આશીર્વાદ મળતા હતા અને તેમના પિતાના પગલે ચાલીને રાજકારણમાં તેમણે સફર શરૂ કરી હતી.


NCPના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલ મોદી કેબિનેટમાં બની શકે છે મંત્રી! જાણો તેમની રાજકીય સફર વિશે

ચાર વખત લોકસભા અને ત્રણ વખત રાજ્યસભાના સાંસદ

રાજનીતિમાં નાની ઉંમરે એન્ટ્રી કરતા પ્રફુલ્લ પટેલ 28 વર્ષની વયે ગોંદિયાથી નગર પરિષદના પ્રમુખ બન્યા હતા. આ પછી 33 વર્ષની ઉંમરે તેઓ 1991 માં પહેલી વાર લોકસભાની ચૂંટણી જીત્યા અને ત્યાર બાદ તેઓ સતત બે ચૂંટણીઓ જીત્યા હતા. ત્યારબાદ પ્રફુલ્લ પટેલ 2009માં ચોથી વખત લોકસભાની ચૂંટણી જીત્યા અને કેબિનેટમાં સૌથી યુવા મંત્રી બન્યા. તેમને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. એનસીપી નેતા 2000 અને 2006 માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સાંસદ પણ ચૂંટાયા હતા. પ્રફુલ પટેલ 2022માં રાજ્યસભામાં પણ ચૂંટાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget