શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાહુલ ગાંધીનો સવાલ- આતંકીઓ સાથે પકડાયેલા દેવિન્દર સિંહ મામલે વડાપ્રધાન, ગૃહમંત્રી અને NSA કેમ મૌન ?
રાહુલ ગાંધીએ એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં ચાર સવાલ પૂછ્યા છે. રાહુલે પૂછ્યું કે, પુલવામામાં હુમલામાં દેવિન્દ્રરસિંહની શું ભૂમિકા હતી?, તેણે કેટલા આતંકીઓની મદદ કરી ? અને તેને કોણ અને કેમ બચાવી રહ્યું હતું ?
![રાહુલ ગાંધીનો સવાલ- આતંકીઓ સાથે પકડાયેલા દેવિન્દર સિંહ મામલે વડાપ્રધાન, ગૃહમંત્રી અને NSA કેમ મૌન ? rahul gandhi asked why pm home miniter and nsa silent on davinder singh રાહુલ ગાંધીનો સવાલ- આતંકીઓ સાથે પકડાયેલા દેવિન્દર સિંહ મામલે વડાપ્રધાન, ગૃહમંત્રી અને NSA કેમ મૌન ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/16221612/rahul-gandhi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કાશ્મીરમાં આતંકીઓ સાથે ધરપકડ કરેલા ડીએસપી દેવિન્દર સિંહને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડાપ્રધાન, ગૃહમંત્રી અને એનએસએને સવાલ કર્યો છે કે, તેઓ દેવિન્દર સિંહ મામલે કેમ મૌન છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ મામલે 6 મહિનાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થઈ જોઈએ. ઉલ્લેખનીય છે કે દેવિન્દર સિંહની 12 જાન્યુઆરીના રોજ બે આતંકીઓ સાથે પોલીસે ધરપકડ કરી હતી.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, “ડીએસપી દેવિન્દર સિંહે પોતાના ઘરમાં ત્રણ આતંકીઓને શરણ આપી હતી અને તેને દિલ્હી લઈ જઈ રહ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો જેના હાથ ભારતીય નાગરિકતાના ખૂનથી રંગાયેલા છે. આ મામલાની તપાસ છ મહિનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવે. જો તે દોષિત ઠેરવાશે તો તેની વિરુદ્ધ દેશદ્રોહ માટે કડકમાં કડક સજા આપવામાં આવે.”
રાહુલ ગાંધીએ એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં ચાર સવાલ પૂછ્યા છે. દેવિન્દર સિંહ મામલે પીએમ, ગૃહમંત્રી અને એનએએસ મૌન કેમ છે ? , બીજો સવાલ, પુલવામામાં હુમલામાં દેવિન્દ્રરસિંહની શું ભૂમિકા હતી?, તેણે કેટલા આતંકીઓની મદદ કરી ? અને તેને કોણ અને કેમ બચાવી રહ્યું હતું ?DSP Davinder Singh sheltered 3 terrorists with ???????? blood on their hands at his home & was caught ferrying them to Delhi.
— Rahul Gandhi (@RahulGandhi) January 16, 2020
He must be tried by a fast track court within 6 months & if guilty, given the harshest possible sentence for treason against ????????.#TerroristDavinderCoverUp pic.twitter.com/gc2BlhBOwM
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
મનોરંજન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion