શોધખોળ કરો

TMC સાંસદ શત્રુઘ્ન સિન્હાએ રાહુલ ગાંધીના કર્યા વખાણ, જાણો શું આપ્યું નિવેદન 

તૃણમૂલ કોંગ્રેસના નેતા અને લોકસભાના સભ્ય શત્રુઘ્ન સિન્હાએ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'ની પ્રશંસા કરી.

Shatrughan Sinha On Rahul Gandhi : તૃણમૂલ કોંગ્રેસના નેતા અને લોકસભાના સભ્ય શત્રુઘ્ન સિન્હાએ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'ની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ હવે વિપક્ષી છાવણીમાંથી 'વડાપ્રધાન પદના અગ્રણી દાવેદાર' તરીકે ઉભરી આવ્યા છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા સિન્હાએ પીટીઆઈને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની 3,570 કિમીની યાત્રા તાજેતરના વર્ષોમાં દેશે જોયેલી ઐતિહાસિક યાત્રાઓમાંની એક હતી અને તેની સરખામણી 1990ના દાયકાની શરૂઆતમાં અડવાણીની 'રામ રથ યાત્રા' સાથે કરી શકાય છે. 


ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને, કોંગ્રેસમાં તેમના પાછા ફરવાના પ્રશ્નને ટાળી દિધો અને કહ્યું " તેનો જવાબ ખામોશ છે". તેમણે કહ્યું, “રાહુલ ગાંધી આ પ્રવાસમાંથી એક અગ્રણી અને આદરણીય નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેઓ હવે વડાપ્રધાન પદ માટે ખૂબ જ સક્ષમ દેખાઈ રહ્યા છે." સિન્હાએ 'પીટીઆઈને આપેલી ટેલિફોનિક મુલાકાતમાં કહ્યું, "તેઓ હવે વિપક્ષી છાવણીમાં (વડાપ્રધાન પદ માટે) અગ્રણી નેતા બની ગયા છે. તેના સમર્થનમાં લાખો લોકો આવી રહ્યા છે. તેણે પોતાના નેતૃત્વના ગુણો સાબિત કર્યા છે. લોકોએ તેમને નેતા તરીકે સ્વીકાર્યા છે."

'ભારત જોડો યાત્રા'ના વખાણ કર્યા

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી વખત છે જ્યારે સિન્હાએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની 'ભારત જોડો યાત્રા'ના વખાણ કર્યા છે. જ્યારે સિન્હાને પૂછવામાં આવ્યું કે શું આ મુલાકાત કોંગ્રેસને આગામી લોકસભા ચૂંટણીમાં મત મેળવવામાં મદદ કરશે, તો તેમણે હકારાત્મક જવાબ આપ્યો. સિંહાએ કહ્યું, “તેને જે પ્રકારનું સમર્થન મળી રહ્યું છે તે અભૂતપૂર્વ છે. જો તે 20 ટકા મતોમાં પણ ફેરવાય જાય  તો તે દેશ માટે અને ખાસ કરીને કોંગ્રેસ માટે શાનદાર હશે. તૃણમૂલ સાંસદે આંધ્રપ્રદેશમાં  ગત વર્ષોની એલ.કે. અડવાણી અને વાયએસ જગન મોહન રેડ્ડીની રાજકીય યાત્રાનો ઉલ્લેખ કર્યો.

લોકસભાના સભ્યએ કહ્યું, “અમે ભૂતકાળમાં જોયું છે કે લાંબી મુસાફરી વોટ કન્વર્ટ કરવામાં કેટલી મદદ કરે છે. અમે લાલકૃષ્ણ અડવાણી અને જગન મોહન રેડ્ડીની યાત્રા જોઈ છે. જ્યારે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં ઘાયલ થયા હતા અને બાદમાં વ્હીલચેરમાં પ્રચાર કર્યો હતો, ત્યારે તમે 2021ની વિધાનસભા ચૂંટણીના પરિણામો જોયા હશે. સિંહા 1980ના દાયકામાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.  અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી યુગમાં  તેઓ પાર્ટીના સ્ટાર પ્રચારક હતા.

2022માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા

પટના સાહિબથી બે વખત સાંસદ રહી ચૂકેલા સિંહાએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા બીજેપી છોડી દીધી હતી અને પાર્ટી નેતૃત્વ સાથે મતભેદને કારણે કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ વર્ષ 2022માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા અને આસનસોલ લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં TMCની ટિકિટ પર લોકસભા પહોંચ્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે આ યાત્રા વિરોધ પક્ષો વચ્ચે સર્વસંમતિ બનાવવામાં મદદ કરશે. જ્યારે સિંહાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા સાથે સહમત છે.

શત્રુઘ્ન સિંહાએ કહ્યું, “હું ભારતીય રાજકારણના વાસ્તવિક ચાણક્ય શરદ પવાર સાથે સહમત છું. આ યાત્રા વિપક્ષને એક કરી શકે છે. દરેક વ્યક્તિ તેની ઈચ્છા રાખે છે, આશા રાખે છે અને પ્રાર્થના કરે છે.” સિંહાએ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 2024ની લોકસભા ચૂંટણીમાં “ગેમ ચેન્જર” સાબિત થશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget