શોધખોળ કરો

રાકેશ ટિકૈતને બાપુ ગણાવીને હરિયાણાની આ ગાયિકા સ્ટેજ પર જ રડવા માંડી, વીડિયો થયો જોરદાર વાયરલ

હરિયાણાની પ્લેબેક સ્ટાર સિંગર રુપિન્દર હાંડા પણ ખેડૂતોના સમર્થનમાં ખુલીને સામે આવી છે. સિંગર રૂપિન્દર હાંડાના એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પ્રદર્શન સ્થળ પર રડતી દેખાઇ રહી છે, વીડિયોમાં તે ખેડૂત નેતા રાકેશ ટિકૈતને બાપુ ગણાવી રહી છે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ખેડૂત કાયદાઓને લઇને કેન્દ્ર સરકાર સામે ચાલી રહેલુ ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનતુ જઇ રહ્યું. કેટલીક મોટી હસ્તીઓ આંદોલનને સપોર્ટ કરી રહી છે. હવે હરિયાણાની પ્લેબેક સ્ટાર સિંગર રુપિન્દર હાંડા પણ ખેડૂતોના સમર્થનમાં ખુલીને સામે આવી છે. સિંગર રૂપિન્દર હાંડાના એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પ્રદર્શન સ્થળ પર રડતી દેખાઇ રહી છે, વીડિયોમાં તે ખેડૂત નેતા રાકેશ ટિકૈતને બાપુ ગણાવી રહી છે. સિંગર રૂપિન્દર હાંડાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ખેડૂત આંદોલનના પ્રદર્શન સ્થળનો છે. વીડિયોમાં રૂપિન્દર હાંડા રાકેશ ટિકૈતની બાજુમાં ઉભેલી દેખાઇ રહી છે. તે કહી રહી છે કે આ મારા બાપુ છે, આપણા બધાના બાપુ છે, અને આખા દેશના બાપુ છે, આખા ભારતના ખેડૂત પરિવારો આમની તેમની સાથે છે. પોતાના 15 વર્ષ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે, અને એક ઘર બનાવ્યુ છે. ખેડૂત આંદોલન માટે જો મારુ ઘર પણ વેચવુ પડશે તો વેચી દઇશ. આટલુ કહીને સિંગર રૂપિન્દર હાંડા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. રૂપિન્દર હાંડાએ કહ્યું ખેડૂત નેતા રાકેશ ટિકૈત ભાઇચારની મિશાલ છે. આંદોલનને કમજોર કરવા માટે જાતિ ધર્મને સહારો લેવામાં આવી રહ્યો છે, પરંતુ ટિકૈતે આપસી સદભાવનાને ખતમ નથી થવા દીધી. તેમને કહેવુ છે કે અમારી સાથે દગાખોરી થઇ છે. તમે લોકો આને સહન ના કરતા. ભાઇચારો આપણી તાકાત છે અને આપણે તેને ટકાવીને રાખીશુ. સિંગરે કહ્યું લાલ કિલ્લા પર જે ઝંડો ફરકાવવામાં આવ્યો હતો, તે ભાઇચારો ન હતો. અમારા માટે બધા ઝંડા એક છે. આપણે ખેડૂતોના હક માટ અહીં બેસ્યા છીએ, અને ખેડૂતો આગળ આવીને પહેલા દિવસથી આંદોલનમાં જોડાયા છે. આટલુ કહીને રૂપિન્દર હાંડા રાકેશ ટિકૈતને પગે લાગી અને કહ્યું હુ આ આંદોલનને તમામ યોગદાન આપીશ. રાકેશ ટિકૈતને બાપુ ગણાવીને હરિયાણાની આ ગાયિકા સ્ટેજ પર જ રડવા માંડી, વીડિયો થયો જોરદાર વાયરલ રાકેશ ટિકૈતને બાપુ ગણાવીને હરિયાણાની આ ગાયિકા સ્ટેજ પર જ રડવા માંડી, વીડિયો થયો જોરદાર વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget