શોધખોળ કરો

SPG બિલ રાજ્યસભામાં પાસ, અમિત શાહે કહ્યું- માત્ર ગાંધી પરિવારની જ સુરક્ષાની વાતો કેમ ?

ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી તે આ સંશોધન રાજકીય બદલાની ભાવનાને ધ્યાનમાં રાખી કોઈ એક પરિવાર માટે નહીં કરવામાં આવ્યું પરંતુ તેનાથી પ્રધાનમંત્રીની સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ મળશે.

નવી દિલ્હી: લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ એસપીજી સંશોધન બિલ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં વિપક્ષના ભારે હોબાળા બાદ એસપીજી બિલ( સ્પેશિયલ પ્રોટેક્શન બિલ(સંશોધન) 2019) પાસ કરવામાં આવ્યું છે. જો કે આ દરમિયાન કૉંગ્રેસના સભ્યોએ સંસદમાથી વૉકઆઉટ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બિલ પર સંસદમાં પોતાની વાત રજૂ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી તે આ સંશોધન રાજકીય બદલાની ભાવનાને ધ્યાનમાં રાખી કોઈ એક પરિવાર માટે નહીં કરવામાં આવ્યું પરંતુ તેનાથી પ્રધાનમંત્રીની સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ મળશે. અમિત શાહે સરકારનો પક્ષ રાખતા કહ્યું કે આ ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને આ એસપીજી સુરક્ષા બિલ નથી લાવ્યા. બિલ લાવતા પહેલા જ ખતરાની સમીક્ષા કર્યા બાદ ગાંધી પરિવારની સુરક્ષા હટાવવામાં આવી હતી. અમિત શાહે કહ્યું, જ્યારે મનમોહન સિંહ અને અન્ય પૂર્વ વડાપ્રધાનોની એસપીજી સુરક્ષા હટાવવામાં આવી હતી.ત્યારે કોઈ ચર્ચા નહોતી થઈ. તેઓએ કહ્યું કે અમે પરિવારના વિરોધી નથી પરંતુ માત્ર ગાંધી પરિવારની જ સુરક્ષાની વાતો કેમ ? ગાંધી પરિવાર સહિંત દેશમાં 130 કરોડ ભારતીયની સુરક્ષા સરકારની જવાબદારી છે. સુરક્ષા સ્ટેટસ સિમ્બલ નથી. એસપીજી માટે આ હોબાલો કેમ ? આ બિલમાં માત્ર વડાપ્રધાનને એસપીજી સુરક્ષા આપવાની જોગવાઈ છે અને તેના સિવાય કોઈ પણ વિશિષ્ટ વ્યક્તી આ સુરક્ષા કવચના હકદાર નથી. બિલમાં સંશોધન બાદ કાયદાકીય રીતે ગાંધી પરિવારના કોઈ પણ સભ્ય એસપીજી સુરક્ષામાં નહીં રહે. વડાપ્રધાન પદ પરથી હટ્યા બાદ પાંચ વર્ષ બાદ વિશિષ્ટ વ્યક્તિ પાસેથી પણ આ સુરક્ષા પરત લેવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Embed widget