શોધખોળ કરો
Advertisement
(Source: ECI | ABP NEWS)
PM મોદીના હેલિકોપ્ટરની તપાસ કરનાર IAS અધિકારીના સસ્પેન્શન પર લગાવી રોક
કર્ણાટકના 1996ની બેચના આઈએએસ મોહમ્મદ મોહસિન સંબલપુરમાં જનરલ ઓબઝર્વર તરીકે નિયુક્ત હતા. ત્યારે તેમણે પીએમ મોદીના કાફલાની તપાસ કરી હતી. ચૂંટણીપંચે નિર્દેશોના ઉલ્લંઘનના આરોપમાં તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલીકોપ્ટરની તપાસ કરનાર આઈએએસ અધિકારી મોહમ્મદ મોહસિનના સસ્પેન્શન પર સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે રોક લગાવી દીધી છે. ગત સપ્તાહમાં ઓડિશાના સંબલરપુરમાં રેલી માટે પહોંચેલા પીએમ મોદીના હેલિકોપ્ટરની તપાસ કરવા બદલ મોહમ્મદ મોહસિનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે આગામી સુનાવણી ત્રણ જૂને થશે.
ચૂંટણીપંચે એસપીજી સુરક્ષા પ્રાપ્ત લોકો માટે તેમના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા. કર્ણાટકના 1996ની બેચના આઈએએસ મોહમ્મદ મોહસિન સંબલપુરમાં જનરલ ઓબઝર્વર તરીકે નિયુક્ત હતા. ત્યારે તેમણે પીએમ મોદીના કાફલાની તપાસ કરી હતી. આ મામલે પીએમઓએ ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી. જેના બાદ ચૂંટણીપંચે નિર્દેશોના ઉલ્લંઘનના આરોપમાં મોહમ્મદ મોહસિનને સસ્પેન્ડ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ મોહસિનના સસ્પેન્ડ મામલે વિપક્ષે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. કૉંગ્રેસે કહ્યું હતું કે તે અધિકારી પોતાની ડ્યૂટી કરી રહ્યાં હતા. તેને શા માટે હટાવી દીધાં. પીએમ મોદી પોતાના હેલિકોપ્ટરમાં શું લઈને જઈ રહ્યાં હતા જે દેશથી છુપાવા માંગતા હતા.Central Administrative Tribunal stays the suspension of Mohammed Mohsin, a 1996 batch IAS officer who was suspended by the Election Commission for checking PM Narendra Modi’s helicopter during an election rally.The case will be heard now on June 3. pic.twitter.com/wn90FqP4u5
— ANI (@ANI) April 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion