શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટનો આદેશઃ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારની જાહેરાતના 48 કલાકમાં આપવી પડશે તેના ગુનાહિત રેકોર્ડની માહિતી

હવે તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોના નામની જાહેરાતના 48 કલાકની અંદર તેના ગુનાહિત રેકોર્ડની માહિતી આપવી પડશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો હેતુ રાજકારણમાં ગુનાહિતકરણ ઓછુ કરવાનો છે. 

નવી દિલ્લીઃ આજે મંગળવારે  સુપ્રીમ કોર્ટે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસને લગતાં કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, હવે તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોના નામની જાહેરાતના 48 કલાકની અંદર તેના ગુનાહિત રેકોર્ડની માહિતી આપવી પડશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો હેતુ રાજકારણમાં ગુનાહિતકરણ ઓછુ કરવાનો છે. 

જસ્ટિસ આરએફ નરીમન અને બીઆર ગવઇની પીઠે આ અંગે પોતાના 13 ફેબ્રુઆરી, 2020ના નિર્ણયમાં નિર્દેશને સંશોધિત કર્યો. પીઠ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસને પ્રકાશિત કરવામાં નિષ્ફળતાનો આરોપ લગાવતાં કરવામાં આવેલી અવમાનના અરજીઓમાં ચુકાદો આપી રહી હતી.

ફેબ્રુઆરી 2020ના ચુકાદાના પેરા 4.4માં, સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પાર્ટીઓને આદેશ આપ્યો હતો કે ઉમેદવારોની પસંદગીના 48 કલાકમાં અથવા નોમિનેશન દાખલ કર્યાની પહેલી તારીખથી ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા તેની વિગતો પ્રકાશિત કરવી પડશે. પરંતુ આજના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોની જાહેરાત કર્યાના 48 કલાકમાં તેના ગુનાહિત રેકોર્ડની જાણકારી આપવી પડશે. નોંધનીય છે કે, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ કડક પગલા લેવાની માગ કરી હતી.

સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને અપીલ કરતાં કહ્યું કે ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસનો ખુલાસો નહીં કરનારી પાર્ટીઓના ચૂંટણી ચિહ્ન ફ્રીઝ અથવા સસ્પેન્ડ રાખવામાં આવે. ચૂંટણી પંચે આ સૂચન સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશના ઉલ્લંઘનના મામલે આપ્યુ છે. 

ભાજપની જન આશીર્વાદ યાત્રા
ગાંધીનગરઃ જન આશીર્વાદ યાત્રાને લઈ ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓની ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા સાથે બેઠક થઈ હતી. 5 કેન્દ્રીય મંત્રીઓની 16 મી ઓગસ્ટથી ગુજરાતમાં ત્રણ દિવસ જન આશીર્વાદ યાત્રા યોજાશે. ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓએ યાત્રા સંદર્ભે રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે આયોજન થયું હતું. 

16 ઓગસ્ટથી કેન્દ્રીય મંત્રીઓની જનઆશીર્વાદ યાત્રાનું આયોજન  થશે. યાત્રાના મુદ્દાઓ અને મહત્વ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષે  ગુજરાત ભાજપના નેતાઓને માર્ગદર્શન આપ્યું હતું.  ગુજરાતમાં 5 કેન્દ્રીય મંત્રીઓની યાત્રા યોજાશે, જેમાં દરેક મંત્રી 3-4 લોકસભા વિસ્તારોમાં યાત્રા કરશે. આ યાત્રામાં પ્રદેશના પદાધિકારીઓ પણ જોડાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Embed widget