Telangana Exit Poll 2024: તેલંગાણામાં કોને મળશે કેટલી બેઠકો, જાણો એબીપી સીવોટરનો એક્ઝિટ પોલ
તેલંગાણાની તમામ 17 લોકસભા સીટો માટે એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. શનિવાર (1 જૂન)ના રોજ સાતમા તબક્કાનું મતદાન સમાપ્ત થતાંની સાથે જ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા.
![Telangana Exit Poll 2024: તેલંગાણામાં કોને મળશે કેટલી બેઠકો, જાણો એબીપી સીવોટરનો એક્ઝિટ પોલ Telangana exit poll result 2024 abp cvoter result bjp congress brs aimim revanth reddy chandrashekar rao asaduddin owaisi Telangana Exit Poll 2024: તેલંગાણામાં કોને મળશે કેટલી બેઠકો, જાણો એબીપી સીવોટરનો એક્ઝિટ પોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/e6d49147b79273a13e7dbe398c7dcee5171724939364178_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Exit Poll Result 2024: તેલંગાણાની તમામ 17 લોકસભા સીટો માટે એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. શનિવાર (1 જૂન)ના રોજ સાતમા તબક્કાનું મતદાન સમાપ્ત થતાંની સાથે જ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. તેલંગાણાની લડાઈમાં સત્તારૂઢ કોંગ્રેસ, BRS, BJP અને AIMIM વચ્ચે સીધી લડાઈ છે.
તેલંગાણામાં લોકસભાની કુલ 17 બેઠકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં BRS સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તે સમયે રાજ્યની સત્તા પર પણ બીઆરએસનું નિયંત્રણ હતું. જો કે આ વખતે રાજ્યમાં સત્તાપલટો થયો છે અને તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. કોંગ્રેસને ગત વખતની સરખામણીએ તેનું પ્રદર્શન સુધરવાની આશા છે, જ્યારે ભાજપ અને AIMIM અહીં સારા પ્રદર્શનની આશા રાખે છે.
તેલંગાણામાં કોને કેટલી સીટો મળી રહી છે ?
તેલંગાણાના એક્ઝિટ પોલની વાત કરીએ તો રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસને 7-9 લોકસભા બેઠકો મળવાની ધારણા છે. ભાજપને 7-9 સીટો મળવાની શક્યતા છે. અન્ય પાર્ટીઓને 0-1 સીટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજકીય પક્ષ | લોકસભા બેઠકો (17) |
કૉંગ્રેસ+ | 7-9 |
NDA | 7-9 |
2019 ના પરિણામો
2019ની લોકસભા ચૂંટણીમાં BRSને 41.7 ટકા મતો સાથે 9 બેઠકો મળી હતી. ભાજપને 19.7 ટકા મતો સાથે ચાર બેઠકો મળી, કોંગ્રેસને ત્રણ બેઠકો મળી. કોંગ્રેસનો વોટ શેર 29.8 ટકા હતો. આ સાથે AIMIMને 2.8 ટકા વોટ શેર સાથે એક સીટ મળી છે.
2014 પરિણામો
તેલંગાણામાં 2014ની લોકસભા ચૂંટણીમાં, BRSને 11 બેઠકો (34.9%), કોંગ્રેસને બે બેઠકો (24.7%), TDPને એક બેઠક (12.03%), ભાજપને એક બેઠક (10.05%) અને YSRCPને એક બેઠક 13.01% મળી હતી.
મતદાન ક્યારે યોજાયું?
તમને જણાવી દઈએ કે તેલંગાણાની તમામ 17 લોકસભા સીટો માટે એક જ તબક્કામાં 13 મેના રોજ મતદાન થયું હતું. તેલંગાણામાં કોંગ્રેસ સત્તામાં છે. રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી છે. જોકે, સત્તાધારી કોંગ્રેસને ભાજપ, BRS અને AIMIMનો પડકાર છે.
દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં એનડીએને 350 બેઠકો મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સીમિત જણાય છે.
11 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન કરવામાં આવેલા આ સર્વેમાં 57 હજાર 566 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. તમામ 543 સીટો પર સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં ભૂલનું માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)