શોધખોળ કરો

Ayodhya: રામ જન્મભૂમિ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અયોધ્યામાં પોલીસે જાહેર કર્યું એલર્ટ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ પરિસરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામજન્મભૂમિ પરિસરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર અયોધ્યાના એક નાગરિકને ફોન પર અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે આ ફોન રામકોટ વિસ્તારમાં રહેતા મનોજ પર આવ્યો હતો. તેણે તરત જ તેના મોબાઈલ ફોન પર આવેલા કોલ અંગે પોલીસને જાણ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે ગુરુવારે સવારે 10 વાગ્યે મંદિર પરિસરને ઉડાવી દેવાની ધમકી આપી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસે જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ તૈનાત તમામ જવાનોને એલર્ટ જાહેર કરી દીધા છે. રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર સંજીવ કુમાર સિંહે કહ્યું હતું કે તેમણે કેસ નોંધ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. ફોન કરનારની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ધમકી મળ્યા બાદ અયોધ્યા પોલીસ ઉપરાંત ગુપ્તચર વિભાગ પણ એલર્ટ મોડ પર છે. અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.

આ માહિતી પછી ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ અયોધ્યાની સર્વેલન્સ ટીમ સક્રિય થઈ ગઈ હતી. અયોધ્યા પોલીસ કોલ રેકોર્ડના આધારે ફોન કરનારની ઓળખ અને ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.

અયોધ્યા સિટીના એસપી મધુવન સિંહનું કહેવું છે કે આ મામલો રામજન્મભૂમિ અયોધ્યા પોલીસ સ્ટેશનથી સંબંધિત છે. રામલલા સદનના મનોજ કુમારને સવારે 5 વાગ્યે ફોન આવ્યો, જેમાં વ્યક્તિએ કહ્યું હતું કે તે દિલ્હીથી બોલી રહ્યો છે અને ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં રામજન્મભૂમિને ઉડાવી દેશે. માહિતી મળતાની સાથે જ કેસ નોંધવામાં આવ્યો હતો અને ધમકી આપનાર વ્યક્તિને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી.

ડિસેમ્બર સુધીમાં મંદિર નિર્માણ પૂર્ણ થશે

ઉલ્લેખનીય છે કે, રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 9 નવેમ્બર, 2019ના રોજ આપેલા ઐતિહાસિક નિર્ણય બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા જ નેપાળથી બે શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા હતા. જેનો ઉપયોગ ભગવાન રામ અને સીતાની મૂર્તિઓ બનાવવા માટે કરવામાં આવશે.

CM Survey: યોગી આદિત્યનાથ છે દેશના બેસ્ટ મુખ્યમંત્રી, સર્વેમાં થયો ખુલાસો, જાણો નંબર 2 અને 3 પર કોનું છે નામ

Yogi Adityanath: દેશમાં આ સમયે 30 રાજ્યોમાં ચૂંટાયેલી સરકારો છે, આમાં દિલ્હી અને પોંડુચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો પણ સામેલ છે. તાજેતરમાં જ એક સર્વેમાં સામે આવ્યુ છે કે, જેમાં લોકોને બેસ્ટ મુખ્યમંત્રીને લઇને તેમનો મત પુછવામાં આવ્યો. આમાં લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાની પહેલી પસંદ બતાવ્યા છે. 

ઇન્ડિયા ટુડે અને સી વૉટરના એક તાજે સર્વેમાં દેશનો મૂડ જાણવાની કોશિશ કરવામાં આવી, આ સ્ર્વેમાં બેસ્ટ સીએમ પસંદગી કરવાનો વારો આવ્યો તો યોગી આદિત્યનાથ જનતાની પહેલી પસંદ બન્યા છે. સર્વે અનુસાર, 39.1 લોકોએ યોગી આદિત્યનાથને બેસ્ટ પરફોર્મિંગ સીએમ તરીકે પસંદ કર્યા છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget