શોધખોળ કરો

Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત

Tirupati Laddu controversy: છેલ્લા કેટલાક વર્ષોથી કર્ણાટક મિલ્ક ફેડરેશન રાહત દરે નંદિની ઘીની સપ્લાય તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટને કરી રહ્યું હતું.

Tirupati Laddu Row: આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરના પ્રસાદમ લાડુમાં ઘીની જગ્યાએ માછલીનું તેલ અને પ્રાણીઓની ચરબીવાળું તેલ વપરાતું હોવાના દાવા પર રાજકારણ ગરમાયું છે. મંદિરમાં એઆર ડેરી કંપની લાડુ બનાવવા માટે ઘીની સપ્લાય કરતી હતી. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ એક દિવસ પહેલા આવો દાવો કર્યો હતો, પછી ગુરુવારે (19 સપ્ટેમ્બર) આવેલા અહેવાલમાં આની પુષ્ટિ થઈ ગઈ.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે દાવો કરતા કહ્યું કે તેમણે 12 માર્ચ 2024ના રોજ ઘીની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં 8 મેના રોજ ટેન્ડર ફાઇનલ થયું. જે પછી તમિલનાડુની એઆર ડેરીને આ ઓર્ડર મળ્યો. કારણ કે, આ કંપનીએ 319 રૂપિયા કિલો ગાયના શુદ્ધ ઘીનો ભાવ કોટ કર્યો હતો.

પરિણામો મળ્યા પછી ઘીની આપૂર્તિ રોકી - TTD

TTDના જણાવ્યા અનુસાર, ગત 6 જુલાઈ અને 12 જુલાઈના રોજ આ કંપનીએ ચાર ટેન્કર મોકલ્યા હતા. આ પહેલા 15થી 6 જુલાઈ સુધી આ કંપનીએ 6 ટેન્કર મોકલ્યા હતા. જેમાંથી એક ટેન્કરમાં 15 હજાર લીટર ઘીની સપ્લાય થતી હતી પરંતુ 6 જુલાઈના રોજ મોકલેલા 2 ટેન્કર અને 12 જુલાઈના રોજ 2 ટેન્કરમાંથી નમૂનાઓમાં ગરબડને કારણે તેમને ગુજરાત મોકલવામાં આવ્યા અને બાકીના ટેન્કરો પર રોક લગાવી દેવામાં આવી.

નંદિની ઘીની સપ્લાય થતી નહોતી

જોકે, તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે હાલમાં જે ગાયના ઘીની ખરીદી થઈ રહી છે, તેની કિંમત 478 રૂપિયા લીટર છે. જે કર્ણાટક મિલ્ક ફેડરેશન આપી રહ્યું છે. ખરેખર, વર્ષ 2023માં સરકારી ડેરી કર્ણાટક મિલ્ક ફેડરેશને જ્યારે 320 રૂપિયાની કિંમતે ઘી સપ્લાય કરવાનો ઇનકાર કરી દીધો અને ટેન્ડરમાંથી બહાર નીકળી ગયું. આ પછી 5 ખાનગી કંપનીઓને ઘીની સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

આંધ્ર પ્રદેશની સત્તા બદલાયા પછી મામલો ચર્ચામાં આવ્યો

આ 5 કંપનીઓમાંથી એક તમિલનાડુની એક કંપની A R ડેરી એન્ડ એગ્રો ફૂડ્સે 320 રૂપિયા લીટર ઘી આપવાનું ટેન્ડર આપ્યું. જે પછી તેનું ટેન્ડર સ્વીકારી લેવામાં આવ્યું અને 12 માર્ચે ટેન્ડર સબમિટ કરવામાં આવ્યું. આની સાથે જ 8 મેના રોજ ટેન્ડર જારી કરી દેવામાં આવ્યું અને 15 મેના રોજ સપ્લાય ઓર્ડર આપી દેવામાં આવ્યો. આના 20 દિવસ પછી ઘીની સપ્લાય શરૂ થઈ ગઈ. આ કંપનીએ કુલ 10 ટેન્કર ઘીની સપ્લાય કરી. આમાંથી 6નો ઉપયોગ કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં જ્યારે આંધ્ર પ્રદેશની સત્તા બદલાઈ ગઈ ત્યારે આ વાતની ફરિયાદ આવી કે લાડુના સ્વાદ અને ગુણવત્તામાં ઘટાડો આવ્યો છે.

તિરુપતિ મંદિરમાં કેવી રીતે પકડાયું ભેળસેળવાળું ઘી?

આ મામલે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે એક નિષ્ણાત સમિતિની રચના કરી. આ દરમિયાન સમિતિને તમામ 5 સપ્લાયર્સના ઘીને ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું. જેમાં એઆર ડેરી એન્ડ એગ્રો ફૂડ્સના નમૂનામાં આંતરિક રીતે ગરબડ મળી આવી, બાકીના ચાર ટેન્કરોને અલગ કરી દેવામાં આવ્યા અને આમાંથી 2 ટેન્કરોના નમૂનાઓને 6 જુલાઈ અને બાકીના 2 ટેન્કરોના નમૂનાઓને 12 જુલાઈના રોજ ગુજરાતના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. જ્યાંથી જે પરિણામ આવ્યું તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

આ પણ વાંચોઃ

મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget