શોધખોળ કરો

'પોતાના બોયફ્રેન્ડ સાથે ફરશે...', કોલકત્તામાં પ્રદર્શનકારી ડોક્ટરો પર TMC સાંસદનું વિવાદીત નિવેદન

બાંકુરાના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ આ આંદોલનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને સામાન્ય લોકોમાં ખૂબ ગુસ્સો છે. દેશભરની હોસ્પિટલોમાં ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ આ ઘૃણાસ્પદ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. બાંકુરાના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ આ આંદોલનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ કહ્યું છે કે મુખ્યમંત્રીને બદનામ કરવાના કોઈપણ પ્રયાસના ગંભીર પરિણામો આવશે. તેમણે એવી ચેતવણી પણ આપી છે કે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા ડોકટરોને લોકોના રોષનો સામનો કરવો પડી શકે છે. જો ડોક્ટરો તેમનું મેડિકલ કામ કરવાને બદલે આંદોલનના નામે ઘરે જતા રહેશે અને ડોક્ટરો તેમના બોયફ્રેન્ડ સાથે આંદોલનના નામે બહાર જશે તો ચોક્કસ લોકોમાં રોષ જોવા મળશે.

હોસ્પિટલની સેવાઓ ખોરવાઈ જાય તો લોકો ગુસ્સે થઇ શકે છે

મચંતલામાં એક રેલીમાં ચક્રવર્તીએ વિપક્ષના પ્રયાસોની ટીકા કરી અને વિરોધ કરી રહેલા જૂનિયર ડોકટરોને કામ પર પાછા ફરવાની ચેતવણી આપી હતી. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો હોસ્પિટલની સેવાઓ ખોરવાઈ જશે તો લોકો ગુસ્સો થઇ શકે છે. તેમણે વિરોધ પ્રવૃતિઓને કથિત રીતે સમર્થન આપવા બદલ પોલીસના એક વિભાગની નિંદા કરી અને તેમને રાજ્ય સરકારની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, લોકોનો રોષ ભભૂકી શકે છે, જો સારવારના અભાવના કારણે દર્દીઓનું મોત થશે તો લોકો ગુસ્સે થશે. જો દર્દી સારવાર વિના મૃત્યુ પામે તો દર્દીના પરિવારજનો તેમને છોડી દેશે?

CPMએ ચક્રવર્તીના નિવેદનોની સખત નિંદા કરી છે

તેમણે પોલીસને પણ આડે હાથ લીધી અને કહ્યું કે કેટલાક એવા પોલીસકર્મીઓ છે જે નિષ્પક્ષતાથી કામ નથી કરી રહ્યા. તેમણે એ પણ યાદ અપાવ્યું કે તેઓ સરકાર હેઠળ કામ કરે છે. તેઓએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. અમારી પાસે આવા સમાચાર છે અને ઉચ્ચ સ્તરે તેની જાણ કરીશું. CPMએ ચક્રવર્તીના નિવેદનોની સખત નિંદા કરી છે,

શું છે મામલો?

પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર 9 ઓગસ્ટ, 2024ના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં મૃત હાલતમાં મળી આવી હતી. બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે, ત્યારબાદ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. કોલકાતામાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે.

સીબીઆઈને કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોયનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવાની મંજૂરી મળી ગઈ છે. તપાસ એજન્સીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પહેલા એજન્સીએ આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાવ્યો હતો. હવે પોલીગ્રાફી ટેસ્ટ દ્વારા જાણી શકાશે કે આરોપી કેટલું જૂઠું અને કેટલું સત્ય બોલી રહ્યો છે. સીબીઆઈ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર પણ પોલીગ્રાફી ટેસ્ટ કરાવવા માંગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે બનાવ્યો સૌથી મોટો સ્કોર,મિશેલ-ફિલિપ્સની વિસ્ફોટક ઈનિંગ; ભારતે આપ્યો 338 રનનો લક્ષ્યાંક
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું-
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું- "મને ભારતીય હોવાનો ગર્વ, ક્યારેક ક્યારેક..."
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Embed widget