શોધખોળ કરો

શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક

uddhav thackeray mps meeting matoshree: માતોશ્રી ખાતે યોજાયેલી મહત્વની બેઠકમાં 4 સાંસદો રૂબરૂ અને 5 ઓનલાઈન જોડાયા, બીજેપીના 'ઓપરેશન ટાઈગર' સામે સંજય રાઉતે આપી 'ઓપરેશન વુલ્ફ' ચલાવવાની ચીમકી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉદ્ધવ ઠાકરેએ પક્ષપલટા અટકળો વચ્ચે સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી.
  • સંજય રાઉતે અફવાઓ ફગાવી, નવ સાંસદો હાજર હોવાનું જણાવ્યું.
  • પક્ષે રૂબરૂ અને ઓનલાઈન હાજર સાંસદોની વફાદારી દર્શાવી.
  • કેટલાક સાંસદો ગેરહાજર રહ્યા, પરંતુ તેમના માન્ય કારણો હતા.

uddhav thackeray mps meeting matoshree: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલ તેજ બની છે. શિવસેના (UBT) ના કેટલાક સાંસદો પક્ષ પલટો કરીને અન્ય પાર્ટીમાં જોડાઈ શકે તેવી જોરદાર અટકળો ચાલી રહી છે. આ અફવાઓને શાંત કરવા અને પોતાની તાકાત બતાવવા માટે રવિવારે (14 જૂન) ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસસ્થાન 'માતોશ્રી' ખાતે સાંસદોની એક તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે આ તમામ અફવાઓનું ખંડન કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે તેમના 9 સાંસદો આ બેઠકમાં સીધા અથવા ઓનલાઈન જોડાયા હતા.

સંજય રાઉતનો ભાજપ પર પલટવાર

ભાજપના કથિત 'ઓપરેશન ટાઈગર' અંગે પૂછવામાં આવતા સંજય રાઉતે રોકડું પરખાવતા કહ્યું હતું કે, "આપણે પોતે જ વાઘ છીએ, તો પછી ઓપરેશન ટાઈગર કેવું? અમે તો 'ઓપરેશન વુલ્ફ' (વરુ) ચલાવીશું." તેમણે સ્પષ્ટતા કરી કે બેઠકમાં તેમના 4 સાંસદો રૂબરૂ અને 5 સાંસદો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહ્યા હતા. રાઉતે સાંસદો પક્ષ છોડવાના છે તેવી ખોટી અફવાઓ ફેલાવનારાઓને પણ ચેતવણી આપી હતી અને કહ્યું કે અમારી પાર્ટી એકદમ એકજૂથ છે.

કોણ રૂબરૂ આવ્યું અને કોણ ઓનલાઈન જોડાયું?

શિવસેના (UBT) ની આ મહત્વની બેઠકમાં નીચે મુજબના સાંસદોએ હાજરી આપી હતી:

રૂબરૂ પહોંચેલા સાંસદો: અરવિંદ સાવંત (મુંબઈ દક્ષિણ), અનિલ દેસાઈ (મુંબઈ દક્ષિણ મધ્ય), રાજાભાઉ વાઝે (નાસિક) અને સંજય દિના પાટીલ (મુંબઈ ઉત્તર પૂર્વ).

ઓનલાઈન જોડાયેલા સાંસદો: સંજય દેશમુખ (યવતમાલ-વાશિમ) અને નાગેશ પાટીલ અષ્ટિકર (હિંગોલી) ઓનલાઈન કે ફોન દ્વારા ઉદ્ધવ ઠાકરેના સતત સંપર્કમાં રહ્યા હતા.

આ પણ વાંચોઃ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?

"હું કોઈના દબાણમાં નથી, કોઈ લલ્લુ-પંજુ નથી": સંજય પાટીલ

મુંબઈ ઉત્તર પૂર્વના સાંસદ સંજય દિના પાટીલ આ બેઠક પૂર્ણ થયા બાદ મોડા પહોંચ્યા હતા. તેમણે પોતાની સ્પષ્ટતા આપતા મીડિયાને જણાવ્યું હતું કે, "મારા કાફલાની ગાડીનો અકસ્માત થવાને કારણે હું મોડો પડ્યો છું. દરેક પરિવારમાં નાની-મોટી ફરિયાદો હોય છે, પણ મારે કોઈ જ ફરિયાદ નથી. હું કોઈના દબાણમાં નથી. શું કોઈ આપણા પર આ રીતે દબાણ કરી શકે? શું અમે કોઈ લલ્લુ-પંજુ છીએ? મારી પાસે કોઈ બીજી ઓફર નથી, હું શિવસેનામાં જ છું, તો પછી તમે લોકો મને બીજે ક્યાં મોકલવા માંગો છો?"

કયા સાંસદો ગેરહાજર રહ્યા?

આ તાકીદની બેઠકમાં અમુક સાંસદો નહોતા પહોંચી શક્યા:

ધારાશિવના સાંસદ ઓમરાજે નિમ્બાલકર ગેરહાજર હતા, પરંતુ તેમણે અગાઉથી જ જાણ કરી દીધી હતી કે તેમના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાથી તેઓ આવી શકશે નહીં.

આ ઉપરાંત પરભણીના સાંસદ સંજય જાધવ અને શિરડીના સાંસદ ભાઈસાહેબ વાકચૌરે પણ બેઠકમાં આવી શક્યા નહોતા. જોકે, સંજય જાધવ આગામી 2 દિવસમાં માતોશ્રીની મુલાકાત લેવાના હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર: શિંદે સાથે મુલાકાત ભારે પડી! ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેને આપ્યો મોટો ઝટકો

Frequently Asked Questions

ઉદ્ધવ ઠાકરેએ સાંસદોની બેઠક શા માટે બોલાવી હતી?

શિવસેના (UBT) ના સાંસદો પક્ષ પલટો કરી શકે તેવી અટકળોને શાંત કરવા અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવા માટે ઉદ્ધવ ઠાકરેએ આ તાકીદની બેઠક બોલાવી હતી.

ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં કેટલા સાંસદો હાજર રહ્યા હતા?

સંજય રાઉતના જણાવ્યા મુજબ, બેઠકમાં તેમના 9 સાંસદો સીધા અથવા ઓનલાઈન જોડાયા હતા. 4 સાંસદો રૂબરૂ અને 5 સાંસદો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર હતા.

પક્ષ પલટાની અફવાઓ પર સંજય રાઉતે શું પ્રતિક્રિયા આપી?

સંજય રાઉતે આ અફવાઓનું ખંડન કરતા ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે શિવસેના (UBT) એકદમ એકજૂથ છે અને તેઓ 'ઓપરેશન વુલ્ફ' ચલાવશે.

બેઠકમાં મોડા પહોંચેલા સાંસદ સંજય દિના પાટીલે શું સ્પષ્ટતા આપી?

સંજય દિના પાટીલે જણાવ્યું કે તેમના કાફલાની ગાડીનો અકસ્માત થવાને કારણે તેઓ મોડા પડ્યા હતા. તેમણે કોઈ પણ દબાણમાં ન હોવાનું અને શિવસેનામાં જ રહેવાનું સ્પષ્ટ કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ
જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
Tripura DGP Death: ત્રિપુરાના DGP અનુરાગ ઘનખડનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત
Tripura DGP Death: ત્રિપુરાના DGP અનુરાગ ઘનખડનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
Advertisement

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Embed widget