શોધખોળ કરો

Umesh Pal Case: આખા UPને ધ્રુજાવનાર અતીક અહેમદને 'વિકાસ દુબે' વાળી થવાનો ફફડાટ?

તેની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો ઉમેશ પાલ મર્ડર કેસમાં તેની કોઈ પૂછપરછ કરવી હોય તો તે ગુજરાતમાં જ હોવી જોઈએ.

Atique Ahmed Supreme Court Hearing: ઉત્તર પ્રદેશના ચકચારી ઉમેશ પાલ મર્ડર કેસ બાદ બાહુબલી અતીક અહેમદ પણ ફફડી ઉઠ્યો છે. અતીક અહેમદે તેને એન્કાઉન્ટરનો ખતરો હોવાનું સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતુ.  અતીકે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે, તેને યુપી પોલીસને સોંપવામાં ન આવે. અતીક હાલ ગુજરાતની અમદાવાદ જેલમાં બંધ છે. તેની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો ઉમેશ પાલ મર્ડર કેસમાં તેની કોઈ પૂછપરછ કરવી હોય તો તે ગુજરાતમાં જ હોવી જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનને ટાંકવામાં આવ્યું છે. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ આપેલા આ નિવેદનમાં યોગીએ કહ્યું હતું કે, તેઓ માફિયાઓને જમીનદોસ્ત કરી નાખશે. ત્યાર બાદ કેટલાક ઉચ્ચ અધિકારીઓએ પણ આવી વાત કહી છે. આ પ્રકારના નિવેદનો અને યુપી પોલીસના અગાઉના રેકોર્ડનો ઉલ્લેખ કરીને અતીક અહેમદે પોતાના જીવનની સુરક્ષા માટે વિનંતી કરી છે. અતીક અહેમદે કહ્યું છે કે, તેની ગુજરાતમાં જ પૂછપરછ થવી જોઈએ. ઉત્તર પ્રદેશમાં તેનો જીવ જોખમમાં છે.

ગેંગસ્ટર વિકાસ દુબેએ કાર પલટી મારવાનો કર્યો ઉલ્લેખ 

ગેંગસ્ટર વિકાસ દુબેના વાહનને પલટી મારવા અને જેલમાં બંધ મુન્ના બજરંગીની હત્યા જેવી ઘટનાઓનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2019માં સુપ્રીમ કોર્ટે અતીક અહેમદને ગુજરાતની જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ ત્યારે આપવામાં આવ્યો હતો જ્યારે યુપીની દેવરિયા જેલમાં બંધ અતીક એક વેપારીનું અપહરણ કરીને તેને જેલમાં લઈ આવ્યો હતો. અતીકના વકીલે કહ્યું હતું કે, તેઓ સુપ્રીમ કોર્ટને આ મામલે જલ્દી સુનાવણી કરવા વિનંતી કરશે.

અતિક અહેમદના નજીકના મિત્ર પર બુલડોઝર 

દરમિયાન, યુપી પોલીસ-પ્રશાસને બુધવારે અતિક અહેમદના નજીકના સાથી ઝફર અહેમદના ઘર પર બુલડોઝર ચલાવ્યું હતું. પ્રયાગરાજ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સની હાજરીમાં મિલકતોની તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં ઝફર અહેમદ આરોપી છે. ગયા શુક્રવારે ધુમાનગંજ પોલીસ સ્ટેશન હેઠળના જયતિપુરમાં ઉમેશ પાલ અને તેના એક સુરક્ષાકર્મીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઉમેશ પાલ મર્ડર કેસના એક આરોપીનું મોત થયું હતું

બહુજન સમાજ પાર્ટી (BSP)ના ધારાસભ્ય ઉમેશ પાલ રાજુ પાલ હત્યા કેસમાં મુખ્ય સાક્ષી હતા. આ ઘટનામાં ઉમેશને સુરક્ષા આપનારા બે કોન્સ્ટેબલોમાંથી એક સંદીપ નિષાદનું પણ મોત થયું હતું. ઉમેશ પાલ મર્ડર કેસનો આરોપી અરબાઝ સોમવારે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ અથડામણમાં ધુમાનગંજના સ્ટેશન હાઉસ ઓફિસર રાજેશ મૌર્ય ઘાયલ થયા હતા, જેમની સારવાર SRN હોસ્પિટલમાં ચાલી રહી છે. અતીક અહેમદ અને તેનો ભાઈ પણ રાજુ પાલની હત્યાના આરોપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Post Office ની આ સ્કીમમાં ₹5,00,000 રોકાણ કરવા પર મળશે ₹2,24,974 વ્યાજ, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમમાં ₹5,00,000 રોકાણ કરવા પર મળશે ₹2,24,974 વ્યાજ, સમજો કેલક્યુલેશન
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
નવી Tata Sierra એ તેના ટોપ મોડલની કિંમતો કરી જાહેર, જાણો કેટલા પૈસામાં આ મોડલ લાવી શકો ઘરે
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
રિલાયન્સ જિયોએ Happy New Year Plan 2026 લોન્ચ કર્યો, અનલિમિટેડ 5G  સાથે મળશે આ ગજબના ફાયદા
Embed widget