ટાસ્ક ફોર્સ સમિતિના સભ્યનું મોટું નિવેદન, કહ્યું- હર્ડ ઇમ્યુનિટિ માટે રસીકરણ જ વિકલ્પ, ત્રીજી લહેરમાં તો રોતા પણ નહીં આવડે !
ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.
![ટાસ્ક ફોર્સ સમિતિના સભ્યનું મોટું નિવેદન, કહ્યું- હર્ડ ઇમ્યુનિટિ માટે રસીકરણ જ વિકલ્પ, ત્રીજી લહેરમાં તો રોતા પણ નહીં આવડે ! Vaccination is the only option for herd immunity, not even crying in the third wave! ટાસ્ક ફોર્સ સમિતિના સભ્યનું મોટું નિવેદન, કહ્યું- હર્ડ ઇમ્યુનિટિ માટે રસીકરણ જ વિકલ્પ, ત્રીજી લહેરમાં તો રોતા પણ નહીં આવડે !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/01/8397a1c6690e634925e47befbb30298f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાલ કોરોના (coronavirus)ની રસી એ જ કાળમુખા વાયરસના સંક્રમણથી બચવાનો રામબાણ ઇલાજ છે. તેથી સરકારથી લઈને તબીબો રસીના બંને ડોઝ સમયસર લેવા માટે જનતાને અપીલ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સ સમિતિના સભ્ય ડૉક્ટર વી.એન.શાહનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. શાહે જણાવ્યું કે, હર્ડ ઇમ્યુનિટિ (herd immunity) માટે રસીકરણ (Vaccination) જ એક માર્ગ છે. જો વેક્સિનેશન નહીં થાય તો ત્રીજી લહેરમાં રોતા પણ નહીં આવડે. બીજી તરફ આરોગ્ય વિભાગના અગ્રસચિવનો દાવો છે કે, રેમડેસિવિર ઇંજેક્શન અસરકારક નથી. જેને લઈ ફરી નવી ચર્ચા શરૂ થઈ છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં આજે 5,010 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,55,875 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 92 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92084 પર પહોંચ્યો છે. જેમાંથી 376 લોકો વેન્ટિલેટર પર અને 91708 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.41 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 22, રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10, સુરત-5, મહેસાણમાં 3, જામનગર કોર્પોરેશન-5, બનાસકાંઠા-5, જામનગર-4, વડોદરા-4, પાટણ-3, ભરૂચ 2, ભાવનગર કોર્પોરેશન-3, ગાંધીનગર 2, ભાવનગર 3, જૂનાગઢ કોર્પોરેશન 2, જૂનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 1, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહીસાગર 1, મોરબી 4, રાજકોટ 4, ગીર સોમનાથ 2, અરવલ્લી 1, નર્મદા 1 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 5142, સુરત કોર્પોરેશનમાં 1958, રાજકોટ કોર્પોરેશન- 697, વડોદરા કોર્પોરેશન-598, સુરત-518, મહેસાણા-444, જામનગર કોર્પોરેશન-336, બનાસકાંઠા-236, જામનગર-228, કચ્છ-214, વડોદરા-183, ગાંધીનગર કોર્પોરેશન-161, પાટણ-158, ભરૂચ 157, ભાવનગર કોર્પોરેશન-148, ગાંધીનગર 115, ખેડા 114, નવસારી 107, ભાવનગર 106, તાપી 103, જૂનાગઢ કોર્પોરેશન 102, જૂનાગઢ 100, દાહોદ 97, પંચમહાલ 97, વલસાડ 95, સુરેન્દ્રનગર 87, અમરેલી 85, અમદાવાદ 84, સાબરકાંઠા 84, મહીસાગર 77, મોરબી 66, રાજકોટ 65, ગીર સોમનાથ 63, અરવલ્લી 55, નર્મદા 52, આણંદ 42, દેવભૂમિ દ્વારકા 39, પોરબંદર 34, છોટા ઉદેપુર 25, બોટાદ 19 અને ડાંગમાં 14 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 91,51,776 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,07,297 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,08,59,073 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)