શોધખોળ કરો

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં કાલે 288 બેઠકો પર મતદાન, 4,136 ઉમેદવારો મેદાનમાં

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર બુધવારે  મતદાન થશે. મહારાષ્ટ્રમાં અનેક પક્ષોનું ચૂંટણી ભવિષ્ય દાવ પર છે. મહારાષ્ટ્રમાં 70થી વધુ સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર બુધવારે  મતદાન થશે. મહારાષ્ટ્રમાં અનેક પક્ષોનું ચૂંટણી ભવિષ્ય દાવ પર છે. મહારાષ્ટ્રમાં 70થી વધુ સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. સરકાર બનાવવા માટે આ બેઠકોના પરિણામો પર ઘણું નિર્ભર રહેશે. વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ અને તેના ઉપનગરોમાં 36 બેઠકો માટેનો મુકાબલો ઘણો રસપ્રદ છે.

કુલ 4,136 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે 

બુધવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મહારાષ્ટ્રમાં કુલ 4,136 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 2,086 અપક્ષ ઉમેદવારો છે. ભાજપ 149 સીટો પર, શિવસેના 81 અને એનસીપી 59 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી રહી છે.

રાજ્યમાં લગભગ 9.70 કરોડ મતદારો છે 

કોંગ્રેસે 101, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. બસપા 237 સીટો પર ચૂંટણી લડી રહી છે. અન્ય નાના પક્ષો પણ મેદાનમાં છે. રાજ્યમાં અંદાજે 9.70 કરોડ મતદારો છે. મતદાન મથકો પર 2 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

આ નેતાઓએ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, NCP (SP)ના સુપ્રીમો શરદ પવાર, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, શિવસેના (UBT) વડા ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પોતપોતાના પક્ષો માટે લોકોના મત મેળવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે.

શરદ પવાર અને અજિત પવારની પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા 

શરદ પવારે લોકસભા ચૂંટણીમાં અજિત પવારને મોટો ઝટકો આપ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં શરદ પવાર અને અજિત પવાર વચ્ચે કોની પાર્ટીને વધુ ધારાસભ્યો મળશે. અજિત પવારના જૂથને ચૂંટણી પંચે વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) તરીકે માન્યતા આપી છે. શરદ પવારને વિધાનસભા ચૂંટણીમાં પણ હરીફ જૂથને હરાવવાનો વિશ્વાસ છે, જ્યારે અજિત પવાર સારા પ્રદર્શન સાથે પુનરાગમન કરવાની આશા રાખી રહ્યા છે.

ઉદ્ધવ જૂથ શિવસેના VS શિંદે  

બીજી બાજુ, જો આપણે શિવસેનાના શિંદે અને ઉદ્ધવ જૂથોની વાત કરીએ તો, બંનેએ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં હવે જનતા કોને પક્ષના વારસાના વાસ્તવિક હકદાર માને છે તે વિધાનસભાની ચૂંટણીના પરિણામો પરથી નક્કી થવાની અપેક્ષા છે. ચૂંટણી પંચે શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી છે.

આ બંને ગઠબંધન ચૂંટણી મેદાનમાં છે

મહારાષ્ટ્રમાં, શરદ પવારની NCP (SP), ઉદ્ધવની શિવસેના (UBT) અને કોંગ્રેસ વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)નો ભાગ છે.  ભારતીય જનતા પાર્ટી (BJP) સિવાય, શાસક ગઠબંધનમાં શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો સમાવેશ થાય છે.

ભાજપ 149 સીટો પર લડી રહી છે

મહારાષ્ટ્રમાં બીજેપી 149 સીટો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે શિવસેનાએ 81 અને એનસીપીએ 59 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે, કોંગ્રેસ 101 બેઠકો પર, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 બેઠકો પર નસીબ અજમાવી રહી છે.

મુંબઈનો બાદશાહ કોણ ?

શિવસેનાના બંને જૂથ 50 બેઠકો પર આમને-સામને છે. એનસીપીના હરીફ જૂથોએ 37 બેઠકો પર એકબીજા સામે ઉમેદવારો ઉભા રાખ્યા છે. શિવસેનાના બે જૂથો વચ્ચેની લડાઈ મુખ્યત્વે 'મુંબઈના બાદશાહ કોણ ' તેના પર કેન્દ્રિત છે.

પશ્ચિમ મહારાષ્ટ્રમાં નજીકની સ્પર્ધા 

વાસ્તવમાં, અગાઉ દેશની આર્થિક રાજધાનીમાં અવિભાજિત શિવસેનાનું વર્ચસ્વ હતું, પરંતુ હવે પક્ષના બંને જૂથો આમને-સામને છે. પવાર પરિવારનો ગઢ ગણાતા પશ્ચિમ મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા (શરદ અને અજિત પવાર) વચ્ચે કાંટે કી ટક્કર થવાની ધારણા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
Embed widget