શોધખોળ કરો

મમતા ઉપરાંત આ મુખ્યમંત્રીએ પણ પોતાના રાજ્યમાં ભાજપને આપી કારમી પછડાટ, જાણો કઈ બેઠક પર આગળ ?

ભબાનીપુર સહિતની ત્રણેય બેઠક પર મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની જીત પાકી થઈ ગઈ છે. મમતાએ ફરી ભાજપને પછડાટ આપી છે ત્યારે ઓડિશામાં પણ નવિન પટનાઈકે ભાજપને ફરી પછડાટ આપી છે.

નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 30 સપ્ટેમ્બરે થયેલી બે બેઠકોની પેટાચૂંટણી અને બંગાળમાં ઉમેદવારોના નિધનના કારણે મોકૂફ રખાયેલી બે બેઠકો પર આજે મતગણતરી શરૂ થઈ છે. આ પૈકી પશ્ચિમ બંગાળની ભબાનીપુર સહિતની ત્રણેય બેઠક પર મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની જીત પાકી થઈ ગઈ છે. મમતાએ ફરી ભાજપને પછડાટ આપી છે ત્યારે ઓડિશામાં પણ નવિન પટનાઈકે ભાજપને ફરી પછડાટ આપી છે.

ઓડિશામાં પીપલી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બીજુ જનતા દળના ઉમેદવાર રુદ્ર પ્રતાપ મહારથી ભાજપના આશ્રિત પટનાયકથી 11 હજાર કરતાં વધારે મતે આગળ છે. ઓડિશામાં નવિન પટનાઈક 2000થી સત્તામાં છે અને તેમને પછાડવાના ભાજપના પ્રયત્નો સફળ થયા નથી. આ વખતે ફરી એક વાર પટનાઈકે ભાજપને પછાડીને ઓડિશામાં પોતાની સર્વોપરિતા સ્થાપિત કરી દીધી છે. પીપલી વિધાનસભા બેઠક પરની મતગણતરી 25 રાઉન્ડ ચાલશે અને તેમાંથી 11 રાઉન્ડની મતગણતરી સમાપ્ત થઈ ચૂકી છે. કુલ અગિયાર રાઉન્ડના અંતે બીજુ જનતા દળના ઉમેદવાર રુદ્ર પ્રતાપ મહારથી ભાજપના આશ્રિત પટનાયકથી 11 હજાર કરતાં વધારે મતે આગળ છે.

પશ્ચિમ બંગાળમાં શમશેરગંજ અને જંગીપુર બેઠક પર પણ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ આગળ છે. શમશેરગંજ બેઠક પર અગિયારમા રાઉન્ડના અંતે તૃણમૂલ કોંગ્રેસનાં અમીરૂલ ઈસ્લામ કોંગ્રેસના ઝૈદુર રહેમાન કરતાં લગભગ છ હજાર મતે આગળ હતા જ્યારે ભાજપ છેક ત્રીજા સ્થાને હતો. ભાજપના મિલન દાસને માત્ર 4817 મત મળ્યા હતા. જંગીપુર બેઠક પર બારમા રાઉન્ડના અંતે તૃણમૂલ કોંગ્રેસનાં ઝાકિર હુસૈન ભાજપના સુજિત દાસ કરતાં 33 હજાર કરતાં વધારે મતે આગળ હતાં. હાલની સ્થિતી જોતાં તૃણમૂલ કોંગ્રેસ ત્રણેય બેઠક પર જીત મેળવશે એ નક્કી છે.

આ વરસના એપ્રિલ-મેમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે ભાજપને કારમી હાર આપી હતી. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અત્યારે તમામ ત્રણેય બેઠક પર પણ એ જ ઈતિહાસ દોહરાવશે અને ભાજપનો સફાયો કરશે એવું લાગે છે. ભાજપ ત્રણમાંથી એક પણ બેઠક પર ચિત્રમાં નથી. શમશેરગંજ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસનાં અમીરૂલ ઈસ્લામને કોંગ્રેસના ઝૈદુર રહેમાન ટક્કર આપી રહ્યા છે જ્યારે બાકીની બે બેઠકો પર તો તૃણમૂલની જીતની ઔપચારિકતા જ બાકી રહી છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ જીતનો જશ્ન શરૂ કરી દીધો છે.

મમતા બેનરજી જ્યાંથી લડી રહ્યાં છે એ ભવાનીપુરમાં 21 રાઉન્ડની મતગણતરી થશે. આ સિવાય  જંગીપુરમાં 24 અને શમશેરગંજમાં 26 રાઉન્ડની મતગણતરી થશે. મત ગણતરી દરમિયાન અધિકારીઓને માત્ર પેન અને કાગળનો ઉપયોગ કરવાની છૂટ છે પણ રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો ફોનનો ઉપયોગ કરી શકે છે.

ટોપ સ્ટોરી

આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
ઘરમાં રાખેલું સોનું-ચાંદી જપ્ત થશે? ITAT ના આ ઐતિહાસિક ચુકાદાથી મહિલાને મળી મોટી રાહત
ઘરમાં રાખેલું સોનું-ચાંદી જપ્ત થશે? ITAT ના આ ઐતિહાસિક ચુકાદાથી મહિલાને મળી મોટી રાહત
Weather alert: દેશના વાતાવરણમાં આવશે પલટો, આજે 21 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather alert: દેશના વાતાવરણમાં આવશે પલટો, આજે 21 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
ઉજ્જૈનમાં હનુમાનજીનું મંદિર પ્રશાસને તોડ્યું, પરંતુ બજરંગબલીની મૂર્તિ હટાવવામાં મશીન પણ ફેલ
ઉજ્જૈનમાં હનુમાનજીનું મંદિર પ્રશાસને તોડ્યું, પરંતુ બજરંગબલીની મૂર્તિ હટાવવામાં મશીન પણ ફેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
Embed widget