શોધખોળ કરો

Arun Goel Resigns: કોણ છે અરુણ ગોયલ, જેમણે ચૂંટણી કમિશનર તરીકે આપ્યું રાજીનામું, વિવાદોમાં રહી હતી નિમણુંક

Arun Goel Profile:  ચૂંટણી કમિશનર અરુણ ગોયલે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની સંભવિત જાહેરાતના થોડા દિવસો પહેલા શનિવારે (9 માર્ચ) તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગોયલનું રાજીનામું સ્વીકારી લીધું છે.

Arun Goel Profile:  ચૂંટણી કમિશનર અરુણ ગોયલે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની સંભવિત જાહેરાતના થોડા દિવસો પહેલા શનિવારે (9 માર્ચ) તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગોયલનું રાજીનામું સ્વીકારી લીધું છે, જે શનિવારથી લાગુ થઈ ગયું છે. તેમનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધીનો હતો. તેઓ આવતા વર્ષે  રાજીવ કુમારની સેવાનિવૃત્તિ પછી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તેમની જગ્યા લેવાની લાઇનમાં હતા.

 

અરુણ ગોયલે શા માટે રાજીનામું આપ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. નિવૃત્ત અધિકારી અરુણ ગોયલ પંજાબ કેડરના 1985-બેચના IAS અધિકારી હતા. તેઓ 19 નવેમ્બર, 2022 ના રોજ ચૂંટણી પંચમાં જોડાયા અને 21 નવેમ્બર, 2022 ના રોજ ચાર્જ સંભાળ્યો. ફેબ્રુઆરીમાં અનુપ પાંડેની નિવૃત્તિ અને હવે ગોયલના રાજીનામા પછી, ચૂંટણી પંચની ત્રણ સભ્યોની સમિતિમાં હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે.

અરુણ ગોયલની નિમણૂક વિવાદાસ્પદ રહી હતી

અરુણ ગોયલે 18 નવેમ્બર, 2022 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને એક દિવસ પછી ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી. ચૂંટણી કમિશનરના પદ પર અરુણ ગોયલની નિમણૂક ખૂબ જ વિવાદાસ્પદ હતી. તેમની નિમણૂકને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે તેમને ચૂંટણી પંચમાં નિયુક્ત કરવામાં આટલી ઉતાવળ કેમ કરવામાં આવી?

TOIના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, કાયદા મંત્રીએ શોર્ટલિસ્ટ કરાયેલા નામોની યાદીમાંથી ચાર નામ પસંદ કર્યા.  18 નવેમ્બરે ફાઈલ કરવામાં આવી હતી અને તે જ દિવસે તેને આગળ ધપાવવામાં આવી હતી. વડાપ્રધાન પણ એ જ દિવસે નામની ભલામણ કરે છે. અમારે કોઈ સંઘર્ષ નથી જોઈતો પણ આ બધુ ઉતાવળ કરવામાં આવ્યું હતું. આટલી ઉતાવળની જરુર શું છે?

આ અરજીને બંધારણીય બેંચે ફગાવી દીધી હતી

ચૂંટણી પંચમાં અરુણ ગોયલની નિમણૂકને પડકારતી અરજીને ગયા વર્ષના અંતમાં બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા ફગાવી દેવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણીય બેન્ચે આ મુદ્દાની તપાસ કરી હતી પરંતુ ગોયલની નિમણૂકને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget