શોધખોળ કરો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા

પ્રખ્યાત શિક્ષણવિદ સોનમ વાંગચુકે ગુરુવારે રાત્રે (23 જુલાઈ) તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરી. સવારે, સોનમ વાંગચુકે ઘટનાઓની વિગતો આપતો એક વીડિઓ સંદેશ બહાર પાડ્યો છે. જેમાં તેમણે ઉપવાસ સમાપ્ત કરવાના કારણો પણ રજૂ કર્યાં છે

પ્રખ્યાત શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે ગુરુવાર (23 જુલાઈ)ની રાત્રે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી. ત્યારબાદ શુક્રવારે સવારે તેમણે એક વીડિયો સંદેશ જાહેર કરીને અનશન સમાપ્ત કરવા પાછળના કારણો અંગે વિગતવાર માહિતી આપી.

 

સોનમ વાંગચુકે જણાવ્યું કે, ઘણા લોકો પૂછે છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું શું થયું? તેમણે કહ્યું કે આ મુદ્દે તેમને કોઈ સ્પષ્ટ ખાતરી મળી નહોતી કે રાજીનામું ક્યારે આવશે. જોકે તેમને ખાતરી આપવામાં આવી હતી કે આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?

તેમણે કહ્યું કે તેમની સામે માત્ર બે જ વિકલ્પ હતા – એક તો અનશન ચાલુ રાખીને પોતાનો જીવ જોખમમાં મૂકવો અથવા પછી સંઘર્ષને આગળ વધારવા માટે જીવિત રહેવું. તેમણે કહ્યું કે, હજારો લોકોએ તેમને સમજાવ્યું કે તેમની જિંદગી વધુ મહત્વની છે અને લડત હજુ આગળ પણ ચાલુ રાખવાની છે.

વાંગચુકે વધુમાં કહ્યું કે તેઓ એવું માનતા નથી કે, આંદોલનથી કંઈ હાંસલ થયું નથી. તેમનું કહેવું હતું કે, જો ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું ન આપ્યું હોય તો તેનાથી વિદ્યાર્થીઓ કે આંદોલનને નુકસાન નહીં થાય, પરંતુ તેમની પોતાની છબીને નુકસાન થશે. જો તેઓ રાજીનામું આપી દીધું હોત તો તેમનું નુકસાન અટકી જાત.

વિદ્યાર્થીઓ સામે કોઈ કેસ ન થાય તે સૌથી મહત્વનું હતું

'સંસદ ચાલો' માર્ચ દરમિયાન થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં સોનમ વાંગચુકે કહ્યું કે તેમના માટે સૌથી મહત્વની બાબત એ હતી કે આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને યુવાનો સામે કોઈ કેસ નોંધવામાં ન આવે. તેમણે જણાવ્યું કે લદ્દાખમાં તેમણે જોયું છે કે એક એફઆઈઆર પણ યુવાનોનું ભવિષ્ય બગાડી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે NEET પેપર લીકના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને સરકાર તરફથી વળતર આપવામાં આવશે, જે એક સકારાત્મક નિર્ણય છે. આ ઉપરાંત સંસદમાં પરીક્ષા પ્રણાલીમાં વધતી ગેરરીતિઓ અને જવાબદારીના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

સોનમ વાંગચુકે જણાવ્યું કે, સરકાર તેમજ વિવિધ રાજકીય પક્ષોના સાંસદોએ તેમને વિશ્વાસ આપ્યો છે કે ભારતીય સંસદમાં પરીક્ષા પ્રણાલીની ખામીઓ અને જવાબદારી અંગે ચર્ચા થશે. સાથે જ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અને યુવાનો સામે કોઈ પણ પ્રકારનો કેસ નોંધવામાં નહીં આવે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
Advertisement

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget