શોધખોળ કરો

Delhi Flood: દિલ્હીમાં યમુના નદીના જળસ્તરે તોડ્યો 45 વર્ષ જૂનો રેકોર્ડ, નીચાણવાળા વિસ્તારોમાં વધ્યો પૂરનો ખતરો

દેશની રાજધાની દિલ્હીમાં યમુનાના જળસ્તરનો 45 વર્ષ જૂનો રેકોર્ડ બુધવારે તૂટી ગયો હતો

Delhi News: દેશની રાજધાની દિલ્હીમાં યમુનાના જળસ્તરનો 45 વર્ષ જૂનો રેકોર્ડ બુધવારે તૂટી ગયો હતો. હવે યમુનાનું જળસ્તર 207.55 મીટરે પહોંચી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3.5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. અગાઉ 9 જૂન 1978ના રોજ યમુના નદીનું જળસ્તર 207.49 નોંધાયું હતું.

આ દરમિયાન યમુનાના જળસ્તરમાં રેકોર્ડ વધારા બાદ દિલ્હીમાં પૂરની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD ની આગાહી) અનુસાર, વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સાવચેતીના પગલા તરીકે યમુનાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં CrPCની કલમ 144 લાગુ કરી છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં યમુનાના જળસ્તર પર 1978નો જૂનો રેકોર્ડ તોડીને પૂરની ચેતવણી જાહેર થયા બાદ દિલ્હી સચિવાલયમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં દિલ્હી સરકારના મંત્રી સહિત વિવિધ સરકારી એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. બેઠકમાં પૂરને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષાની સાથે રાહત કાર્યની અસરકારક રણનીતિ પર ચર્ચા થવાની સંભાવના છે.

18 રાજ્યો, 188 જિલ્લા, 574 લોકોના મોત

દેશના વિવિધ ભાગોમાં અવિરત વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દેશની રાજધાની દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં વરસાદને કારણે ખરાબ હાલત છે. પૂરના કારણે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે અને લોકોને તેમના ઘર છોડીને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

માહિતી અનુસાર, મંગળવાર (11 જુલાઈ) સુધી દેશના 18 રાજ્યોના 188 જિલ્લાઓ વરસાદ અને પૂરની ઝપેટમાં છે અને જનજીવનને ભારે નુકસાન થયું છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં 574 લોકોના મોત થયા છે. જ્યારે 16 લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 497 લોકો ઘાયલ થયા છે. વરસાદના કારણે 8644 પશુઓના પણ મોત થયા છે. 8815 ઘરોને નુકસાન થયું છે, જ્યારે 47,225 હેક્ટર પાક નાશ પામ્યો છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. પહાડી રાજ્યના 12 જિલ્લાઓ વરસાદ અને પૂરથી પ્રભાવિત છે. હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 95 લોકોના મોત થયા છે. 2 લોકો ગુમ છે, જ્યારે 99 લોકો ઘાયલ છે. 76 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 319 મકાનોનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે. 471 પશુઓ પણ મૃત્યુ પામ્યા છે.

પંજાબ-હરિયાણામાં 15ના મોત

પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારો હજુ પણ પાણી હેઠળ છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે મંગળવારે વધુ છ મૃત્યુ નોંધાયા હતા, જેની સાથે છેલ્લા ત્રણ દિવસમાં કુલ મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે. પંજાબમાં આઠ મૃત્યુ થયા છે, જ્યારે હરિયાણામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. બંને રાજ્યોમાં બચાવ કાર્ય ચાલુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget