શોધખોળ કરો

International Yoga Day:યોગનું વિજ્ઞાન અને સંસ્કૃતિ માનવતાને ભારતની અણમોલ ભેટ: સદગુરૂ

ભારતીય સંસ્કૃતિમાં એક આંતરિક શક્તિ છે જે આંતરિક સુખાકારીના આખા વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી ઉદ્ભવે છે. અત્યારે, આખી દુનિયા તેને ઝંખી રહી છે. તેમની પાસે બહારની ટેકનોલોજી છે જેના વડે તેમણે બહાર અદ્ભુત વસ્તુઓ કરી છે. પણ તેઓ અંદર સંઘર્ષ કરી રહ્યા છે.

સદ્‍ગુરુ: ભારત એક રંગની સંસ્કૃતિ નથી - તે સંસ્કૃતિઓનું એક મેઘધનુષ છે, જ્યાં આપણે બધું એક સરખું રાખવાના વિધાનમાં  નથી માનતા. લોકોનો વંશ, તેમની ભાષા, ખોરાક, કપડા પહેરવાની રીત,સંગીત અને નૃત્ય; દર પચાસ કે સો કિલોમીટરે દેશમાં બધું જ અલગ છે. આ તે દેશ છે જ્યાં આપણે વિવિધતાને તે સ્તર સુધી પ્રોત્સાહન આપવાની હિંમત કરી છે કે આપણી પાસે દેશમાં 1300 કરતા વધારે ભાષાઓ અને બોલીઓ છે, અને સાહિત્યના એક વિશાળ સંગ્રહ સાથે લગભગ 30 આખી વિકસિત ભાષાઓ છે. એક દેશ તરીકે કદાચ આપણી પાસે ધરતી પર સૌથી મોટી સંખ્યામાં કળા અને હસ્તકળાઓ છે. આપણા દેશમાં દુનિયાનો દરેક ધર્મ તો વસેલો છે જ. સાથે જ આપણે પૂજાની ઘણી બધી વિવિધતાઓ, અને વ્યક્તિની આંતરિક અને સર્વોચ્ચ સુખાકારીને પ્રાપ્ત કરવાની ઘણી બધી વિવિધતાઓનું એક ઘર છીએ, જેમને બાકીની દુનિયાએ જોઈ પણ નથી. દુર્ભાગ્યે, પાછલાં અમુક દશકોમાં, ઘણાં ભારતીયો આધ્યાત્મિક સંભાવનાઓની સાથે સંપર્ક ગુમાવી રહ્યા છે. એટલે IGNCA જેવી સંસ્થાઓ જે કામ રહી રહી છે તે પ્રશંસનીય છે. કારણ કે આ સંસ્કૃતિ ખોવાઈ ના જવી જોઈએ.


International Yoga Day:યોગનું વિજ્ઞાન અને સંસ્કૃતિ માનવતાને ભારતની અણમોલ ભેટ: સદગુરૂ

ભારતીય સંસ્કૃતિમાં એક આંતરિક શક્તિ છે જે આંતરિક સુખાકારીના આખા વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી ઉદ્ભવે છે. અત્યારે, આખી દુનિયા તેને ઝંખી રહી છે. તેમની પાસે બહારની ટેકનોલોજી છે જેના વડે તેમણે બહાર અદ્ભુત વસ્તુઓ કરી છે. પણ તેઓ અંદર સંઘર્ષ કરી રહ્યા છે. જોઆપણે આ દેશમાં આપણી પાસે જે જ્ઞાનની બેંક છે તેની તરફ પાછા વળીએ, તો એ સૌથી મોટી સંપત્તિ બની શકે છે - ખાલી આ દેશની સુખાકારી માટે જ નહીં, પણ આખી દુનિયાની સુખાકારી માટે.આ સંદર્ભમાં UN દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઘોષિત કરવું બહુ મહત્ત્વનું છે.માનવ ઈતિહાસમાં તે એક નિર્ણાયક ક્ષણ પર આવે છે, જ્યારે યોગનું વિજ્ઞાન પહેલા કરતાં અત્યારે ઘણુંવધુ સુસંગત છે. માનવતાના ઈતિહાસમાં પહેલી વાર, આપણી પાસે ધરતી પરની દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે જરૂરી ક્ષમતા છે - પોષણ, આરોગ્ય, શિક્ષણ, બધી જ વસ્તુઓ માટે. આપણી પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજીના જબરદસ્ત સાધનો છે - વિશ્વને ઘણી વાર બનાવવા કે તોડવા માટે પૂરતા શક્તિશાળી સક્ષમતા છે પરંતુ ણ જો આવા શક્તિશાળી સાધનોને ચલાવવાની ક્ષમતા આંતરિક સમાવેશની ભાવના, સંતુલન અને પરિપક્વતાની ઊંડી સમજ સાથે ન આવે, તો આપણે વૈશ્વિક આપત્તિની અણી પર હોઈ શકીએ છીએ. બહારની સુખાકારી માટેનો આપણો અવિરત પ્રયાસ પહેલાથી જ ધરતીને વિનાશની અણી પર લાવ્યો છે.


International Yoga Day:યોગનું વિજ્ઞાન અને સંસ્કૃતિ માનવતાને ભારતની અણમોલ ભેટ: સદગુરૂ

પહેલા ક્યારેય લોકોની કોઈ પેઢીએ તે સુખ-સુવિધાઓ અને સગવડો નથી જાણી જે આજે આપણી પાસે છે. અને તેમ છતાં, આપણે ઈતિહાસની સૌથી આનંદિત કે પ્રેમાળ પેઢી હોવાનો દાવો ન કરી શકીએ.મોટી સંખ્યામાં લોકો સતત તણાવ અને ચિંતાની સ્થિતિઓમાં રહે છે. અમુક લોકો તેમની નિષ્ફળતાથી દુઃખી છે. પણ વિચિત્ર રીતે, ઘણાં લોકો તેમની સફળતાના પરિણામોથી દુઃખી છે. અમુક લોકો તેમની સીમાઓથી દુઃખી છે. પણ ઘણાં લોકો તેમની આઝાદીથી દુઃખી છે.જે ખૂટે છે એ છે માનવ ચેતના. બાકી બધુ તેના સ્થાને છે, પણ મનુષ્ય તેના સ્થાને નથી. જો મનુષ્યોતેમની પોતાની ખુશીના માર્ગમાં ના આવે, તો બીજો દરેક ઉકેલ હાથમાં છે.અહીં યોગ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ઘણાં લોકો માટે, યોગ શબ્દ તેમને શરીર વાળતીઆકૃતિઓ યાદ અપાવે છે. પણ જ્યારે આપણે યોગના વિજ્ઞાનની વાત કરીએ છીએ, ત્યારે આપણોમતલબ તે નથી. યોગ કોઈ પ્રક્રિયા, વ્યાયામ કે ટેકનીક નથી. યોગ શબ્દનો સીધો અર્થ છે જોડાણ. એનોઅર્થ એ છે કે, એક વ્યક્તિના અનુભવમાં, બધું જ એક બની ગયું છે. યોગનું વિજ્ઞાન માનવ આંતરિકતાનુંગહન વિજ્ઞાન છે જે વ્યક્તિને અસ્તિત્વ સાથે સાવ સીધમાં અને પૂરેપૂરા સુમેળમાં આવવા માટે સક્ષમબનાવે છે. માનવ ચેતનાને ઉપર ઉઠાવવાની એક સિસ્ટમ તરીકે, અને માનવતાને કાયમી સુખાકારી અનેસ્વતંત્રતાની સ્થિતિમાં જીવવા માટે સશક્ત બનાવવા માટે, આના કરતા વધુ વિસ્તૃત બીજી કોઈ સિસ્ટમ નથી.યોગ એ ધર્મ પહેલાનો છે. તે આપણને યાદ અપાવે છે કે જો આપણે પોતાની અંદર જોઈએ અનેમાન્યતાઓ અને નિષ્કર્ષોને દૂર રાખીએ, તો સત્ય ચોક્કસપણે પ્રગટ થશે. સત્ય એ મંજિલ નથી. તેઆપણા રાતના અનુભવ જેવું છે. સૂર્ય જતો નથી રહ્યો. તે બસ એ જ છે કે પૃથ્વી બીજી બાજુ ફરી ગઈ છે. મોટાભાગના સમયે, લોકો બીજી બાજુ જોવામાં બહુ વ્યસ્ત હોય છે! તેમણે તેઓ સ્વયં ખરેખર શું છે તે જાણવા માટે પૂરતું ધ્યાન નથી આપ્યું. યોગ કોઈ નિષ્કર્ષ નથી આપતું, પણ બીજી બાજુ વાળે છે.જો માનવ વસ્તીની અમુક ટકાવારી અંદરની તરફ વળી જાય, તો ચોક્કસથી દુનિયામાં જીવનની ગુણવત્તા બદલાઈ જશે. ખાસ કરીને જો આ પરિવર્તન વિશ્વના થોડા આગેવાનોમાં થાય, તો દુનિયાની કામગીરી નાટકીય ઢબે બદલાઈ જશે. અંદરની તરફ એ કોઈ દિશા નથી. તે એક પરિમાણ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માનવતાના ગહન બદલાવની શરૂઆતને દર્શાવે છે.ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા, અનેન્યુ યોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ દુનિયાના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ - માટી બચાવોના સ્થાપક છે, જે 4અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યુંVadodara: કાયદાના રક્ષકો બન્યા ભક્ષક, દુષ્કર્મના આરોપીને પકડવા ફરિયાદી પાસે લીધા રૂપિયાSurat News । સુરત મનપામાં નાની વેડના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો
પેરાસિટામોલ સહિતની 52 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, એસિડિટીથી લઈને દુખાવા સુધીની દવાઓ છે સામેલ
પેરાસિટામોલ સહિતની 52 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, એસિડિટીથી લઈને દુખાવા સુધીની દવાઓ છે સામેલ
Embed widget