શોધખોળ કરો

Mehsana : પરિણીતાએ શરીરે સેનેટાઇઝર છાંટીને કરી લીધું અગ્નિસ્નાન, કારણ જાણીને ચોંકી જશો

નિઃસંતાન પરણીતાએ આપઘાત કર્યો છે. સાસરીયાના મહેણાં ટોણાથી પરણીતા ત્રસ્ત હતી. વારંવારના મહેણાંથી કંટાળી અંતે પરિણીતાએ શરીરે સેનેટાઈઝર છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. આ અંગે પતિ, સાસુ અને સસરા સામે ફરીયાદ નોંધાઈ છે. પતિ રોનક પટેલ કલેક્ટર કચેરીમાં નોકરી કરે છે.

મહેસાણા : શહેરની ગ્રીનપાર્ક સોસાયટીમાં પરિણીતાએ અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિણીતાએ શરીરે સેનેટાઇઝર છાંટીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મહેસાણા બી. ડિવિઝિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, નિઃસંતાન પરણીતાએ આપઘાત કર્યો છે. સાસરીયાના મહેણાં ટોણાથી પરણીતા ત્રસ્ત હતી. વારંવારના મહેણાંથી કંટાળી અંતે પરિણીતાએ શરીરે સેનેટાઈઝર છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. આ અંગે પતિ, સાસુ અને સસરા સામે ફરીયાદ નોંધાઈ છે. પતિ રોનક પટેલ કલેક્ટર કચેરીમાં નોકરી કરે છે.

Vadodara : 'મા-બાપના કહેવાથી લગ્ન કર્યા છે, તારામાં કોઈ રસ નથી', પતિને અન્ય યુવતી સાથે સંબંધની શંકા
વડોદરાઃ શહેરની યુવતીએ પતિ અને સાસરીવાળાા સામે શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. યુવતીએ પતિના અન્ય સ્ત્રી સંબંધ હોવાની શંકા સાથે ફરિયાદ કરી છે કે, તેનો પતિ કહે છે કે, તેણે તેના મા-બાપના કહેવાથી યુવતી સાથે લગ્ન કર્યા છે અને તેને પત્નીમાં કોઈ રસ નથી તેમજ તેને પત્ની તરીકે સ્વીકારવાનો પણ નથી. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના વાઘોડિયા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીએ છૂટાછેડા પછી સંખેડાના યુવક સાથે બીજા લગ્ન કર્યા છે. તેમના પતિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લગ્ન પછી તરત જ સાસરીવાળાએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. યુવતીનો આક્ષેપ છે કે, લગ્ન પછી પતિ ફરવા લઈ જતો ન હતો. તેમજ ઘર છોડીને જવા પર, મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

પરિણીતાનો આક્ષેપ છે કે, પિયરમાં વાત કરવાની હોય તો પણ પતિની હાજરીમાં કરવી પડતતી. તેમજ પોતાને કામવાળીની જેમ કામ કરાવતા હોવાનું અને પૂરતું જમવાનું પણ ન આપતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. 

આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરી પક્ષના 5 સભ્યો વિરૂદ્ધ સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવરાત્રિના તહેવારોમાં પોતાને ગરબા પતિ રમવા નહીં લઈ જતો હોવાનું અને પોતે ત્રણ વાગ્યા સુધી ઘરે નહીં આવતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. એટલું જ નહીં પતિ અવાર-નવાર ઢોરમાર મારીને ઘરની બહાર કાઢી ઘરનો દરવાજો બંધ કરી દેતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. એટલું જ નહીં, પતિ તું મને છૂટાછેડા આપી દે નહીં તો તને બદનામ કરી અને હું પણ આપઘાત કરીને મરી જઈશ અને તારું નામ લખીશ. પતિએ ખોટા આક્ષેપો સાથે છૂટાછેડા માટેનો દાવો કોર્ટમાં દાખલ કર્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડNavratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Embed widget