![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાયલટના થાકના કારણે ફ્લાઇટે મોડી ભરી ઉડાન, પત્ની લેઇટ થતાં કર્યું ટવિટ, ઇન્ડિગોએ આપવો પડ્યો જવાબ
પાયલટ થાકી ગયો હોવાથી ઇન્ડિગો ફ્લાઇટ 3 કલાક મોડી થતાં પત્નીએ ફરિયાદ કરતા પતિએ કંપનીને ટ્વીટ કરીને કરી આ વાત
![પાયલટના થાકના કારણે ફ્લાઇટે મોડી ભરી ઉડાન, પત્ની લેઇટ થતાં કર્યું ટવિટ, ઇન્ડિગોએ આપવો પડ્યો જવાબ pilot was tired indigo flight was delayed by 3 hours airline responded to tweet on delay of the wife પાયલટના થાકના કારણે ફ્લાઇટે મોડી ભરી ઉડાન, પત્ની લેઇટ થતાં કર્યું ટવિટ, ઇન્ડિગોએ આપવો પડ્યો જવાબ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/6f5e7d51f71355866471f54f93c7ce5f168862295976981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Indigo flight: મોહને પોતાના એક ટ્વીટમાં લખ્યું છે કે, 'ડિયર r @IndiGo6E મારી પત્નીની ફ્લાઈટ 3 કલાક લેટ છે અને હવે તે દિલ્હી જઈ રહી છે. આપના નિયમિત કસ્ટમર્સ સાથે સારો વ્યવહાર કરો તો ભગવાન ભલું કરે. આ યોગ્ય નથી, માનનીય નાગરિક ઉદયન મંત્રીને સમાધાન માટે ટેગ કરી રહ્યો છું
પાયલોટની ગેરહાજરીને કારણે દેહરાદૂનથી ચેન્નાઈ જતી ફ્લાઈટ 3 કલાક મોડી પડી હતી. ટ્વિટર યુઝર સમીર મોહને તેની પત્ની સાથે વોટ્સએપ પર કરેલી વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા છે. આમાં તેણે તેની પત્નીને વિલંબનું કારણ પૂછ્યું, તેણીએ જવાબ આપ્યો કે પાઇલટ થાકેલા હોવાથી વિલંબ થયો. તે સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો, તેથી ફ્લાઈટ ખૂબ મોડી ઉપડી. આ ટ્વીટ પર ઈન્ડિગોએ પણ જવાબ આપ્યો છે.
પાયલોટ થાકી જવાને કારણે ઈન્ડિગોની ફ્લાઈટ મોડી થઈ રહી હોવાની ટ્વિટ પોસ્ટ થતાં જ વાયરલ થઈ ગઈ હતી. લોકોએ આ અંગે પોતાના પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું. આ પછી, એરલાઇન્સે મોહનને જવાબ આપતા કહ્યું કે તેઓ મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 2 જુલાઈ, રવિવારના રોજ દેહરાદૂનથી ચેન્નાઈ જઈ રહેલી ફ્લાઈટમાં બની હતી.
મોહને પોતાના ટ્વિટમાં લખ્યું, 'પ્રિય… @IndiGo6E મારી પત્નીની ફ્લાઈટ 3 કલાકથી વધુ મોડી પડી છે અને હવે તે દિલ્હી જઈ રહી છે. જો તમે નિયમિત લોકો સાથે આ રીતે વર્તે તો ભગવાન તમારૂ ભલુ કરે બીજું શું. જો કે યોગ્ય નથી. ઉકેલ માટે માનનીય નાગરિક ઉડ્ડયન મંત્રીને ટેગ કરૂ છું.
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સર્જાઇ મોટી દુર્ઘટના, ગેસ લીક થવાને લીધે 16 લોકોના દર્દનાક મોત
Gas Leak in South Africa:દક્ષિણ આફ્રિકામાં ગેસ લીક થવાથી બાળકો સહિત 16 લોકોના મોત થયા છે. જોહાનિસબર્ગ નજીક એક ટાઉનશીપમાં ગેસ લીક થવાથી 16 લોકોના મોત થયા હતા. સમયસૂચકતાને પગલે કેટલાક લોકોને જીવતા બચાવવામાં સફળતા મળી છે. જોહાનિસબર્ગના પૂર્વમાં બોક્સબર્ગ જિલ્લા નજીક એન્જેલો ટાઉનશીપમાં બુધવારે રાત્રે આ દુર્ઘટના બની હતી. જેને ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવી રહી છે. ગેસ લીક થવાથી મૃત્યુ પામેલાઓમાં પાંચ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સર્જાઇ મોટી દુર્ઘટના
દક્ષિણ આફ્રિકા ગેરકાયદેસર ખાણકામનો ગઢ
અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારની તપાસ કરી રહ્યા છે. Ntlady જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી સૂચવે છે કે ગેસનો ઉપયોગ "ગેરકાયદે ખાણકામ પ્રવૃત્તિઓના ભાગ રૂપે" કરવામાં આવી રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા હજારો ગેરકાયદેસર ખાણિયાઓનું ઘર છે, જ્યાં 32 ટકાથી વધુનો આશ્ચર્યજનક બેરોજગારી દર છે. તેમને 'ઝમા ઝમાસ' કહેવામાં આવે છે જેનો ઝુલુમાં અર્થ થાય છે 'જેઓ પોતાનું નસીબ અજમાવતા હોય છે'.
ટેન્કર બ્લાસ્ટમાં 41ના મોત
મોટી સંખ્યામાં ખાણિયાઓ મુશ્કેલ અને ખતરનાક પરિસ્થિતિઓમાં સોના માટે ખાણો ખોદતા હોય છે. જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકાનું વ્યાપારી કેન્દ્ર છે. ગયા વર્ષે ક્રિસમસ પર તેના ઉપનગરોમાં એક વિશાળ ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 41 લોકો માર્યા ગયા હતા. એલપીજી લઈ જતી ટ્રક પુલની નીચે ફસાઈ ગઈ જે પહેલા લીક થઈ અને પછી વિસ્ફોટ થયો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)