શોધખોળ કરો

કોંગ્રેસે પાંચ રાજ્યોમાં મળેલી હાર બાદ આ 5 નેતાઓને હારનું કારણ શોધવા નિમ્યા, જાણો નેતાઓનાં નામ

વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં મોટા ફેરફારો કરવાના સંકેત આપ્યા છે.

વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં મોટા ફેરફારો કરવાના સંકેત આપ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે હાલમાં જ આ તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખોના રાજીનામાની માંગ કરી હતી અને હવે આ રાજ્યોમાં સંગઠનાત્મક પરિવર્તન માટે એક મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટીએ આ રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કરવા અને પછી સંગઠનાત્મક ફેરફારો સૂચવવા માટે 5 દિગ્ગજ નેતાઓની નિમણૂક કરી છે. આ તમામ નેતાઓ ખૂબ જ અનુભવી છે અને હવે તમામની નજર તેમના પર રહેશે.

આ 5 નેતા સ્થિતિ પારખશેઃ

કોંગ્રેસે એક અખબારી યાદી જાહેર કરીને આ જાણકારી આપી છે અને આ 5 નેતાઓના નામ આપ્યા છે. આ યાદી મુજબ પંજાબ માટે અજય માકન, યુપી માટે જીતેન્દ્ર સિંહ, ઉત્તરાખંડમાં અવિનાશ પાંડે, મણિપુરમાં જયરામ રમેશ અને ગોવામાં રજની પાટિલની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ નેતાઓ આ રાજ્યોમાં ટિકિટોની વહેંચણી માટેની સમિતિના વડા રહી ચૂક્યા છે. તેમની દેખરેખ હેઠળ જ પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું.

સંગઠનમાં ફેરફાર થઈ શકેઃ

પાર્ટીએ જણાવ્યા અનુસાર, આ તમામ નિયુક્ત નેતાઓ પોતપોતાના રાજ્યોમાં ચૂંટણી પછીની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને સંગઠનમાં કરવાના થતા જરુરી ફેરફારો સૂચવશે. કોંગ્રેસનું આ પગલું 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ યોજાઈ હતી, જેમાં આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઘણા નેતાઓએ પાર્ટીની હાર માટે પાર્ટીની અંદર ચાલી રહેલા ઘમાસાણને જવાબદાર ગણાવ્યું હતું. હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સક્રિય થઈ ગયાં છે અને પાર્ટીને મજબૂત કરવા સતત નિર્ણયો લઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget