શોધખોળ કરો

Amit Shah Speech: અમિત શાહે રાહુલ ગાંધીને કેમ ગણાવ્યા PM પદના દાવેદાર? શું છે આના પાછળની રાજનીતિ?

ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કોંગ્રેસ 2024માં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને લોકોએ નરેન્દ્ર મોદી અને રાહુલ વચ્ચે પસંદગી કરવાની છે.

Amit Shah Speech: ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કોંગ્રેસ 2024માં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને લોકોએ નરેન્દ્ર મોદી અને રાહુલ વચ્ચે પસંદગી કરવી પડશે. મોદી સરકારના શાસનના 9 વર્ષ પૂર્ણ થવા પર ગુરુવારે એક જનસભાને સંબોધતા શાહે લોકોને પૂછ્યું કે 2024માં વડાપ્રધાન કોણ હશે, રાહુલ બાબા કે નરેન્દ્ર મોદી?

ભીડમાંથી આવ્યો નરેન્દ્ર મોદીના નામનો અવાજ

પટનામાં યોજાનારી વિપક્ષની બેઠક પહેલા શાહે એક રીતે 2024માં વડાપ્રધાન પદ માટે મોદી અને રાહુલ વચ્ચે સ્પર્ધા ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. શાહ દ્વારા રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા પાછળ રાજકીય નિષ્ણાતો મોટો દાવ જોઈ રહ્યા છે. જાણકારોનું માનવું છે કે જો વિરોધ પક્ષો એક મંચ પર એક થાય તો પણ ચહેરાના નામે ભાગલા પડી શકે છે. વિપક્ષી છાવણીમાં ઘણા નેતાઓ પીએમ પદનો દાવો કરવા ઈચ્છે છે. માનવામાં આવે છે કે આ જ કારણ છે કે શાહે રાહુલનું નામ લીધું છે.

મોદી સરકારની સિદ્ધિઓ

અમિત શાહે કહ્યું કે 9 વર્ષમાં મોદીજીએ વિશ્વમાં દેશનું સન્માન વધાર્યું અને દેશની અર્થવ્યવસ્થાને વિશ્વમાં 11માં સ્થાનેથી 5માં સ્થાન પર પહોંચાડ્યું. તેમણે કહ્યું કે 9 વર્ષમાં મોદી સરકારે ઘણા ફેરફારો કર્યા, જ્યારે 10 વર્ષ સુધી સત્તામાં રહેલી મનમોહન સરકારે કૌભાંડો અને મોટા ભ્રષ્ટાચાર આચર્યા, જ્યારે મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. શાહે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં દેશમાં આતંકવાદી ઘટનાઓ બનતી હતી, આપણા જવાનોના શિરચ્છેદ કરવામાં આવતા હતા. પાકિસ્તાનને તેની આદત પડી ગઈ હતી, તેણે કાશ્મીરના પુલવામા અને ઉરીમાં હુમલા કર્યા, જેનો તેને જડબાતોડ જવાબ મળ્યો. શાહે કહ્યું કે તેમની સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, જેને કોંગ્રેસ સરકાર 70 વર્ષથી દૂર કરી શકી નથી.

કોંગ્રેસે રામ મંદિર નિર્માણમાં વિલંબ કર્યોઃ શાહ

છત્તીસગઢનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ડાબેરી ઉગ્રવાદની કરોડરજ્જુ તૂટી ગઈ છે અને નક્સલવાદીઓ બસ્તરના માત્ર થોડા વિસ્તારોમાં જ સિમિત થઈ ગયા છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ રામ મંદિરના નિર્માણને પેન્ડિંગ રાખી રહી છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. મોદીજી સત્તામાં આવતાની સાથે જ એક દિવસ ગયા અને ભૂમિ પૂજન કર્યું. મંદિરનું નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. લોકોને રામ મંદિરના દર્શન માટે તૈયાર રહેવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે જાન્યુઆરીમાં રામલલાની મૂર્તિ ત્યાં સ્થાપિત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget