શોધખોળ કરો

Gujarat Rajkot Heavy rains : ગોંડલમાં ધોધમાર 5 ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, અંડરપાસ પાણીમાં ગરકાવ

ધોધમાર વરસાદના પગલે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં. રોડ પર નદીઓ વહેતી હોઈ તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદને લઈને ગુંદાળા શેરીમાં પાણી વહેતા થયા. જેતપુર રોડ પર ભારે વરસાદને લઈને ભુવા પડ્યા.

રાજકોટ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્રમાં વરસાદનો પ્રારંભ થયો છે. રાજકોટના ગોંડલ શહેરમાં 5 ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી શહેરના ઉમવાળા બ્રિજમાં પાણી ભરાયા હતા. કેડસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. લોકોને ભારે હાલાકી પડી રહી છે. 

ધોધમાર વરસાદના પગલે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.  જેતપુર રોડ, જેલ ચોક, વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ પર નદીઓ વહેતી હોઈ તેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદને લઈને ગુંદાળા શેરીમાં પાણી વહેતા થયા. જેતપુર રોડ પર ભારે વરસાદને લઈને ભુવા પડ્યા. ભુવામાં પાણી ભરવાને લીધે અકસ્માત થતા જોવા મળ્યા. ભારે વરસાદથી શહેરના ઉમવાળા બ્રિજમાં પાણી ભરાયા હતા. 

રાજકોટ શહેરમાં ફરી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં સૌથી વધુ ગોંડલ, કોટડાસાંગાણી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આજે રાજકોટ જિલ્લામાં બે થી લઇ ચાર ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. સારા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

આગાહીની વચ્ચે પૂર્વ કચ્છના કેટલાક વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. કચ્છમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. પૂર્વ કરછના ભચાઉ, વોંધ, સમખાયાડી, કંડલા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ બાદ વિસ્તારમાં પાણી વહી નીકળ્યાં.  વરસાદ વરસતા માલધારી અને ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. 

આજે અરવલ્લી જિલ્લામાં વરસાદનો આગમન થયું છે.  યાત્રાધામ શામળાજીમાં મેઘમહેર થઈ હતી. ગુરુપૂર્ણિમા નિમિત્તે દર્શને આવેલા ભક્તોને મેઘરાજાએ ભીંજવ્યા હતા. વરસાદની આગાહી મુજબ ઝરમર વરસાદ શરુ થયો છે. ગુરુપૂર્ણિમા નિમિત્તે મંદિર પર મેઘરાજાનો જળાભિષેક થયો છે. 

વડોદરામાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. નિઝામપુરા, ફતેહગંજ, સમા, છાણી, હરણી, આજવા રોડ, વાઘોડિયા રોડમાં વરસાદ  શરૂ થયો છે. સતત ગરમી અને બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 
વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Embed widget