શોધખોળ કરો

જુનાગઢના માળીયા અને માંગરોળમાં બારેમેઘ ખાંગા, બે કલાકમાં ધોધમાર 5.5 ઇંચ વરસાદ

ક્યાંક લોકોનાં ઘરોમાં પાણી ઘુસ્યા તો ગામડાઓમાં તમામ રસ્તાઓ બંધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલું જ નહીં હજુપણ ધોધમાર વરસાદ યથાવત છે ત્યારે સ્થિતી વધારે ખરાબ થઈ શકે છે.

Rain In Junagadh: જુનાગઢના માળીયા અને માંગરોળમાં બારેમેઘ ખાંગા થયા છે. માંગરોળ તાલુકામાં 4 થી 6 વાગ્યા સુધીમાં 138 મીલીમીટર વરસાદ નોંધાયો જ્યારે માળીયા હાટીના તાલુકામાં 104 મિલિમિટર નોંધાયો છે. ભારે વરસાદને પગલે ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી રહી છે. વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે.

ક્યાંક લોકોનાં ઘરોમાં પાણી ઘુસ્યા તો ગામડાઓમાં તમામ રસ્તાઓ બંધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલું જ નહીં હજુપણ ધોધમાર વરસાદ યથાવત છે ત્યારે સ્થિતી વધારે ખરાબ થઈ શકે છે.

માંગરોળ તાલુકાના માંગરોળ કેશોદ હાઈવે તેમજ વેરાવળ હાઇવે અને પોરબંદર હાઇવે સહીતના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ માળીયા હાટીના તાલુકાની મેઘલ નદી ઉફાન પર છે. જ્યારે માળીયા તાલુકાના લાઠોદ્રા ગામે જોરદાર પુર ને કારણે પુલ તૂટ્યો છે.

પુલ તૂટતા ગાગેચા, રંગપુર, કારવાણી ગામ નો સંપર્ક માળીયા તાલુકા સાથે તૂટ્યો તેમજ નદી ની બીજી તરફ રહેતા ખેડૂતોની અવર જવર બંધ થઈ ગઈ છે.

માંગરોળ નજીક આવેલ નોળી નદિ તેમજ માળીયા હાટીના મેધલ નદિ અને વ્રજમી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદિના નીચાણવાણા ગામોને એલર્ટ કરાયા છે. નદિના પટાંગણમાં અવળજવર ના કરવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના જામકંડોણામાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. પાંચથી સાત ઇંચ વરસાદ પડતા મોટા ભાગની નદીઓ બે કાંઠે ગઈ છે. જામકંડોણા પાસે આવેલી ફોફળ નદી બે કાંઠે જઈ રહી છે. ઉપરવાસના વિસ્તારોમાં ગઈકાલે ભારે વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ફોફળ નદીના હેઠવાસના ગામડાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ફોફડ નદીનો દૂધીવદર ગામ પાસે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 

રાજકોટના ધોરાજીમાં અનરાધાર વરસાદ લઈને ખેડૂતના ખેતર પાણીમાં ગરક થઈ ગયા છે. ધોરાજી પંથક માં ખેડૂતોનો કપાસ અને સોયાબીનનો પાક પાણીમા ગરક થઈ ગયો છે. ખેડૂતોના ખેતર માં ગોઠણ ડૂબ પાણી ભરાતા કપાસ સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે સરકાર તાત્કાલિક સર્વ કરે તેવી માંગ ખેડૂતોમાં ઉઠી રહી છે. 

રાજકોટના ધોરાજી નજીક આવેલ ભાદર-2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ડેમના 5 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. 39645  ક્યુસેક પાણીની આવક સાથે તેટલી જ જાવક થઈ રહી છે. ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા સહિતના 37 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
Advertisement

વિડિઓઝ

Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
Gujarat Air Pollution: ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી !
Swami Pradiptananda Saraswati : લગ્ન સમયે 3 સંતાનનો સંકલ્પ લેવો જોઇએ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે સોનું-ચાંદી ?
Harsh Sanghavi : સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસ દબાવી રહી હતી, નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
'ફરજિયાત નથી, ડિલીટ કરી શકો છો એપ', Sanchar Saathi પર વિવાદ વચ્ચે કેન્દ્રિયમંત્રીનું મોટું નિવેદન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
Cyclone Ditwah: દિત્વાહ વાવાઝોડાનો કહેર, અતિભારે વરસાદ, 10 ફ્લાઇસ રદ્દ,રસ્તા જળમગ્ન
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
'સંચાર સાથી' એપ કેવી રીતે રોકશે ફ્રોડ? શું જૂના ફોનમાં પણ આવશે, મેળવો તમામ સવાલના જવાબ
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
ભાજપના SC મોરચાના અધ્યક્ષનો આરોપ, માફી નહીં માંગે તો મેવાણી વિરુદ્ધ રાજ્યભરમાં કરીશું ધરણાં
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
હવે ફક્ત OTPથી બુક થઈ જશે તત્કાલ ટિકિટ, આ ટ્રેનમાં લાગુ થયો નવો નિયમ
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Cyclone Ditwah: ભારે વરસાદ વચ્ચે તમિલનાડુમાં સ્કૂલ-કોલેજ બંધ, અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
Vladimir Putin: પુતિનના ભારત પ્રવાસ પર થશે મોટી ડિફેન્સ ડીલ! ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
SBIમાં એકાઉન્ટ છે તો ATMમાંથી વારંવાર ના ઉપાડતા રૂપિયા, આટલો વધ્યો ચાર્જ
Embed widget