![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Salangpur Controversy: સનાતન ધર્મના યુવાનો આક્રમક મૂડમાં, હનુમાનજીની સેવામાં સ્વામિનારાયણના સંતો હોય તેવા લગાવ્યા પોસ્ટરો
Salangpur Controversy: સાળંગપુર મંદિરમાં ચાલતા વિવાદ વચ્ચે હવે રાજકોટ શહેરમાં કાર પાછળ પોસ્ટર લાગ્યા છે. હનુમાનજીની સેવા સ્વામિનારાયણના સંતો કરતા હોય તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
![Salangpur Controversy: સનાતન ધર્મના યુવાનો આક્રમક મૂડમાં, હનુમાનજીની સેવામાં સ્વામિનારાયણના સંતો હોય તેવા લગાવ્યા પોસ્ટરો In Rajkot, youths of Sanatham dharm put posters on the back of their cars Salangpur Controversy: સનાતન ધર્મના યુવાનો આક્રમક મૂડમાં, હનુમાનજીની સેવામાં સ્વામિનારાયણના સંતો હોય તેવા લગાવ્યા પોસ્ટરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/6252298d8cb77230b68415518bf25f7a1693652355990397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Salangpur Controversy: સાળંગપુર મંદિરમાં ચાલતા વિવાદ વચ્ચે હવે રાજકોટ શહેરમાં કાર પાછળ પોસ્ટર લાગ્યા છે. હનુમાનજીની સેવા સ્વામિનારાયણના સંતો કરતા હોય તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગઈકાલે સ્વામિનારાયણ મંદિર બહાર પોસ્ટર લાગ્યા હતા. હવે કાર પાછળ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સાળંગપુરમાં હનુમાનજીને સેવક ચીતરવાનો મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે. રાજકોટ શહેરમાં અમુક યુવાનો દ્વારા પોતાની કારની પાછળ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. સનાતન ધર્મના યુવાનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. હનુમાનજીની સેવામાં સ્વામિનારાયણના સંતો હોય તેવા પોસ્ટરો લાગ્યા છે. ગઈકાલે રાજકોટના યુવાનો દ્વારા ભુપેન્દ્ર રોડ મંદિર ખાતે પણ આ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. સનાતન ધર્મી યુવાનો દ્વારા રોજે રોજ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
નૌતમ સ્વામીએ શું કહ્યું ?
નૌતમ સ્વામીએ આ વિવાદિત ભીંતચિત્રો પર કહ્યું હતું કે આખો સ્વામીનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આનાં સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયનાં કોઈ વ્યક્તિએ જરૂર નથી. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે જે લોકો નથી માનતા એ લોકોને આનાથી તકલીફ થઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી.
કરણી સેના સારંગપુરમાં કરશે હલ્લા બોલ
સાળંગપુર વિવાદનો સુરત ખાતે સનાતની હિન્દૂ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ભીંત ચિત્રોને લઈને સાધુ-સંતો, વિશ્વ હિન્દુ પરિષદ બાદ કરણી સેના પણ મેદાને આવી છે. કરણી સેનાના રાજ શેખાવતે 4 સપ્ટેમ્બર સુધીમાં ચિત્ર હટાવી લેવા માટે અલ્ટીમેટ આપ્યું છે. 4 સપ્ટેમ્બર સુધી ચિત્ર હટાવવામાં નહીં આવે તો કરણી સેના સાથે સુરતના સંગઠન પણ સાળંગપુર પહોંચશે.
બોટાદના રોકડીયા હનુમાનજી મંદિરના મહંત અને અખીલ ભારતીય પંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજે ચીમકી આપી છે કે, 24 કલાકમાં ભીત ચિત્રો નહી હટાવવામાં આવે તો હથિયાર ધારણ કરી કૂચ કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)