શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં નવા 99 કેસ નોંધાયા
ગઈકાલે એક જ દિવસમાં 5 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ 10 લોકોના મોત થયા છે.
![રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં નવા 99 કેસ નોંધાયા In the last 24 hours, 99 new cases of corona were reported in Saurashtra રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં નવા 99 કેસ નોંધાયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/03140845/corona-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના કુલ 99 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાંથી આવતા લોકોના કારણે સૌરાષ્ટ્રમાં સંક્રમણ વધ્યું હોવાનું કહેવાય છે.
ગઈકાલે એક જ દિવસમાં 5 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ 10 લોકોના મોત થયા છે.
સૌરાષ્ટ્રમાં કરોનાનો ભરડો વધવા માટે તંત્રની સાથે સાથે લોકો પણ જવાબદાર છે. લોકડાઉન પૂરું થયા બાદ અનલોક શરૂ થતાં જ લોકો કોરોનાને લઈને બેદરકાર થઈ ગયા છે. લોકો તકેદારી ન રાખતા સંક્રમણ વધ્યું છે. રાજકોટમા ગઈકાલે વધુ 22 કેસ નોંધાયા હતા. જ્યારે ધોરાજીમાં પણ ગઈકાલે વધુ 5 કેસ નોંધાયા હતા.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરીએ તો ગઈકાલે અમરેલીમાં કોરોનાના નવા 7 કેસ, જૂનાગઢમાં 4 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 3 કેસ, મોરબીમાં 3 કેસ અને પોરબંદર, દ્વારકા અને જામનગરમાં અનુક્રમે 1-1 નવા કેસ નોંધાયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)