શોધખોળ કરો

પટેલના સમાજને લગતા કયા નિવેદન સામે કોળી સમાજે ઉઠાવ્યો વાંધો? નરેશ પટેલને શું લખ્યો પત્ર?

કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશ રાજપરાએ  ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને પત્ર લખ્યો છે. સરપંચથી લઈને સંસદ સુધી પટેલ સમાજને સ્થાન આ નરેશ પટેલના નિવેદન પરત ખેંચવા માગ કરી છે.

રાજકોટ: કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશ રાજપરાએ  ખોડલ ધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને પત્ર લખ્યો છે. સરપંચથી લઈને સંસદ સુધી પટેલ સમાજને સ્થાન આ નરેશ પટેલના નિવેદન પરત ખેંચવા માગ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, કોળી સમાજના તમામ સંગઠનોને જાણ કરવામાં આવે છે કે, કાગવડ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ દ્વારા એક તરફી નીતિ અપનાવીને માત્ર પટેલ સમાજને રાજકીય હોદ્દા ઉપર સ્થાન મળે તેવું જાહેરમાં મીડિયા સમક્ષ નિવેદન કરવામાં આવ્યું હતું. 

સરપંચથી માંડીને સંસદ સુધી પટેલના સમાજના હોદ્દેદારો હોવા જોઇએ. ત્યારે દુઃખ સાથે કહેવામાં આવે છે કે, તમામ સમાજના લોકોને રાજકીય હોદ્દામાં સ્થાન મળે તેવું નિવેદન કરવું જોઇએ, પરંતુ નરેશન પટેલ દ્વારા જાતિવાદ જ્ઞાતિવાદનું વલણ રાજકારણ કરવામાં આવે છે, ત્યારે લેવા પટેલ અને કડવા પટેલ એક નથી કરી શકીયા. હાલ અન્ય સમાજને સાથે રાખવાની વાતો કરે છે, ત્યારે ્ન્ય સમાજના લોકોને રાજકીય હોદ્દા નહીં મળે અને માત્ર પટેલ સમાજને હોદ્દા મળે એનો સીધો મતલબ કે અન્ય સમાજ સાથે મજાક કરી રહ્યા છે. 


પટેલના સમાજને લગતા કયા નિવેદન સામે કોળી સમાજે ઉઠાવ્યો વાંધો? નરેશ પટેલને શું લખ્યો પત્ર?

કોળી સમાજની નરેશ પટેલ સાથે યોજાઈ બેઠક, જાણો શું કરાયો મોટો નિર્ણય

રાજકોટ: રાજકોટ ખોડલધામમાં નરેશ પટેલ અને કોળી સમાજના આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ બેઠક બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે કોળી સમાજ અને પટેલ સમાજ એક થઈને સાથે રહીને કાર્ય કરે તેવો નિર્ણય કર્યો છે. આ સાથે જ રાજકારણમાં પ્રવેશ બાબતે દરેક સમાજ આહ્વાન કરે ત્યારે રાજકારણમાં પ્રવેશનો સાચો દિવસ હશે તેમ નરેશ પટેલે જણાવ્યું છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે કોળી સમાજ, પાટીદાર સમાજ અને દરેક સમાજ સાથે રહી ગુજરાતનો વિકાસ થાય તેવો નિર્ણય કર્યો છે. નરેશ પટેલ અને માંધાતા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ પાસના દિનેશ બાંભણીયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામના નરેશ પટેલે  જણાવ્યું હતું કે  માંધાતા ગ્રુપના કોળી સમાજના આખા ગુજરાતમાંથી રાજુભાઈ સોલંકીની આગેવાની હેઠળ આગેવાનો ખોડલધામ મા ખોડલના દર્શન કરવા પધાર્યા હોવાથી તેમનું હાર્દિક સ્વાગત કરું છું. મંદિરે દર્શન કર્યા બાદ બેઠક યોજાઇ હતી. બેઠકમાં બંને સમાજ એક થાય અને બંને સમાજ જ્યાં પણ બેયને જરૂર પડે ખભેખભો મીલાવી કાર્ય કરે એવો અત્યારે નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં 182 બેઠક છે, ત્યારે રાજકારણમાં જોડાવા માટે સચોટપણે મને દરેક સમાજમાંથી આહવાન થાય અને મીડિયા સમક્ષ એ વાત મૂકુ એ સાચો દિવસ હશે. ગુજરાતનો વિકાસ પાટીદાર અને કોળી બંને સમાજ ઇચ્છે છે. 

રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, ખૂબ સારી બેઠક રહી, ખાસ કરીને નરેશભાઈએ મા ખોડલના દર્શન કરવા આમંત્રણ આપ્યું જેને લઇને હું અને ગુજરાત માંધાતા ગ્રુપના તમામ હોદ્દેદારો આનંદ અનુભવે છે. આ બેઠકમાં ખાસ કરીને સામાજિક ચર્ચાઓ થઈ છે. ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ હોય તો એ પાટીદાર અને કોળી સમાજ છે. ત્યારે સામાજિક, આર્થિક, શૈક્ષણિક તમામ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. નરેશભાઈ સાથે જે અમારી ચર્ચા થઈ તેમાં સમાજના ઉત્થાન માટેની વાતો કરવામાં આવી હતી. શિક્ષણ, રોજગારી અને ખાસ કરીને ગુજરાતમાં ખોડલધામ મંદિર બન્યું એવું અમારે પણ કોળી સમાજનું ભવ્ય અને દિવ્ય મંદિર બને તેની ચર્ચા કરવામાં આવી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Embed widget