![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સૌરાષ્ટ્રના આ ગામમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી થઈ, જાણો કેવી રીતે મેળવી આ સફળતા
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે.
![સૌરાષ્ટ્રના આ ગામમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી થઈ, જાણો કેવી રીતે મેળવી આ સફળતા Lodhika of Saurashtra has been 100 percent vaccinated, find out how to achieve this success સૌરાષ્ટ્રના આ ગામમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી થઈ, જાણો કેવી રીતે મેળવી આ સફળતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/22/0c841fdcca9fe6c069a5f9275e91e143_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનમાં લોધિકા સૌથી અવ્વલ છે. લોધિકામાં અત્યાર સુધી 100 ટકા વેક્સિનેશનની કામગીરી થઈ છે. લોધિકા તાલુકા શાળામાં શિક્ષકો, આચાર્ય, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની બેઠક મળી હતી. જેમાં બાળકો તેના વાલી પત્ર લખી વેકસીનેસન માટે અપીલ કરે તેવું નક્કી થયું હતું. જેથી બાળકોએ પોતાના માતા-પિતા અને દાદા-દાદીને વેકસીન મુકાવવા પત્ર લખી વિનંતી કરી હતી. લોધિકામાં 45થી 50 વર્ષના 4191માંથી 4191 લોકોએ વેકસીન લીધી. તો 60 વર્ષથી વધુ વયના 5 હજાર 170 માંથી 5 હજાર 169 લોકોએ વેકસીન લીધી.
ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,93,538 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 16,22,998 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,07,16,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં 13 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 01 લાખ 19 હજાર 310 ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશનમાં 25, મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8, જામનગર કોર્પોરેશન-8, વડોદરા-5, બનાસકાંઠા-3, ભરુચ-3, જામનગર-4, પાટણ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ભાવનગર કોર્પોરેશન-3, , રાજકોટ-4, સાબરકાંઠા-3,ભાવનગર-3, ગાંધીનગર-2, સુરેન્દ્રનગર-3, આણંદ-3, મોરબી-3, મહીસાગર-2, દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 4821, સુરત કોર્પોરેશનમાં 1849, મહેસાણા-495, સુરત-491, વડોદરા કોર્પોરેશન-475, રાજકોટ કોર્પોરેશન- 397, જામનગર કોર્પોરેશન-307, વડોદરા-256, બનાસકાંઠા-227, ભરુચ-206, જામનગર-202, કચ્છ-200, પાટણ-185, ગાંધીનગર કોર્પોરેશન-171, ભાવનગર કોર્પોરેશન-149, તાપી-135, રાજકોટ-119, ખેડા-117, દાહોદ-115, સાબરકાઠા-112, ભાવનગર - 111, ગાંધીનગર-110, નર્મદા-110, અમરેલી-98, જુનાગઢ--95, જુનાગઢ કોર્પોરેશન-93, નવસારી-93, પંચમહાલ-93, અમદાવાદ-85, વલસાડ-82, સુરેન્દ્રનગર-80, આણંદ-72, મોરબી, મહીસાગર-62, ગીર સોમનાથ-61, અરવલ્લી-59, પોરબંદર-42, બોટાદ-31, ડાંગ-28, દેવભૂમિ દ્વારકા-28 અને છોટા ઉદેપુરમાં 21 લોકોના મૃત્યુ થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)