શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટ જિલ્લા કલેક્ટરે અમદાવાદથી આવતા-જતા લોકો માટે શું કર્યો મહત્વનો નિર્ણય ? જાણો
રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
![રાજકોટ જિલ્લા કલેક્ટરે અમદાવાદથી આવતા-જતા લોકો માટે શું કર્યો મહત્વનો નિર્ણય ? જાણો Rajkot District Collector Order ban on coming and going to Ahmedabad રાજકોટ જિલ્લા કલેક્ટરે અમદાવાદથી આવતા-જતા લોકો માટે શું કર્યો મહત્વનો નિર્ણય ? જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/08001151/RJT.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ: રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટરના નિર્ણય મુજબ, માત્ર મેડિકલ ઇમરજન્સી અને એમ્બ્યુલન્સ જ અવરજવર કરી શકશે.
અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 38 વર્ષીય પુરુષ અને 19 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારની યુવતી અને મનહર પ્લોટ વિસ્તારના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ યુવક અમદાવાદથી પરત રાજકોટ આવ્યો હતો. જેનો ક્વોરન્ટાઈન દરમિયાન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ આંક 65 પર પહોંચ્યો છે. રાજકોટ શહેરના 63 અને ગ્રામ્યના 2 પોઝિટિવ કેસ મળી કુલ આંક 65 પર પહોંચ્યો છે. હાલમાં 65 પૈકી 24 દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે 41 દર્દી સારવાર હેઠળ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)