શોધખોળ કરો
રાજકોટ જિલ્લા કલેક્ટરે અમદાવાદથી આવતા-જતા લોકો માટે શું કર્યો મહત્વનો નિર્ણય ? જાણો
રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

રાજકોટ: રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટરના નિર્ણય મુજબ, માત્ર મેડિકલ ઇમરજન્સી અને એમ્બ્યુલન્સ જ અવરજવર કરી શકશે. અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 38 વર્ષીય પુરુષ અને 19 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારની યુવતી અને મનહર પ્લોટ વિસ્તારના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવક અમદાવાદથી પરત રાજકોટ આવ્યો હતો. જેનો ક્વોરન્ટાઈન દરમિયાન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ આંક 65 પર પહોંચ્યો છે. રાજકોટ શહેરના 63 અને ગ્રામ્યના 2 પોઝિટિવ કેસ મળી કુલ આંક 65 પર પહોંચ્યો છે. હાલમાં 65 પૈકી 24 દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે 41 દર્દી સારવાર હેઠળ છે.
વધુ વાંચો





















