શોધખોળ કરો

ગોંડલના વાસાવડના વૃદ્ધનો કોરોનો પોઝિટિવ આવ્યો, દરગાહમાં ગયા ને પછી......

ગોંડલના વાસવડમાં રહેતા જેન્તીભાઈ બાબુભાઇ જોટંગિયાનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ઘરેથી કોઈને કહ્યા વગર છરી સાથે નીકળી ગયા હતા અને ગુરુની દરગાહમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધુ હતું.

રાજકોટ: ગુજરાતમાં કોરોનાએ આતંક મચાવવાનું શરૂ કર્યું છે. રોજ કેસ અને મોતના આંકડા વધી રહ્યા છે. કો​રોનાની મહામારીના સંક્રમણમાં આવતા લોકોની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ રહી છે. આ દરમિયાન ગોંડલના વાસાવડમાં કોરોના દર્દીએ આત્મહત્યા કરી હતી. ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આથી વાસાવડ ગામે દરગાહની અંદર જઈ છરી વડે ગળું કાપી આત્મહત્યા કરી લીધી હતી.

મળતી વિગત પ્રમાણે, ગોંડલના વાસવડમાં રહેતા જેન્તીભાઈ બાબુભાઇ જોટંગિયાનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ઘરેથી કોઈને કહ્યા વગર છરી સાથે નીકળી ગયા હતા અને ગુરુની દરગાહમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધુ હતું. ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

જેન્તીભાઈના પુત્રોએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી જેન્તીભાઈની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઘરે ઓક્સિજનથી સારવાર ચાલી રહી હતી. દરમિયાન સવારના કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. નાના પુત્રને ફોન કરતાં પિતાએ જણાવ્યું હતું કે હું મોવિયા ગામ પાસે છું. સુરક્ષિત રીતે થોડીવારમાં ઘરે આવી જઈશ, પરંતુ ઘણા સમય સુધી ઘરે ન આવતાં પોલીસનો ફોન આવતાં ઘટનાની જાણ થઈ હતી. જેન્તીભાઈ વાસાવડ દરગાહમાં અવારનવાર દર્શને આવતા હતા અને હઝરત સૈયદને પોતાના ગુરુ માનતા હતા. પોતાના ઘરે ગુરુનો ફોટો પણ રાખ્યો હતો અને પૂજાઅર્ચના પણ કરતા હતા.

પોલીસે તેમના પુત્રોનો સંપર્ક કરતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમના પુત્રોએ પિતાની લાશની ઓળખ બતાવી અને પોતે તેમને સાથે ઘરે રાખતા હોવાનું જણાવ્યું હતું.

કોરોનાના દર્દીએ સીટી સ્કેન ક્યારે કરાવવું ? કોરોના થયો છે કે નહીં તેની ખબર સીટી સ્કેન પરથી પડેકે નહીં ? જાણો મહત્વની વિગત

હાર્દિક પટેલે CMને પત્ર લખી કહ્યું, અમને પણ કામ આપો, સરકાર આદેશ આપશે એ પ્રમાણે કામ કરવા તૈયાર છીએ…

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
Embed widget