શોધખોળ કરો

Rajkot: કરોડોના બૉગસ બિલિંગ કૌભાંડમાં મોટો ખુલાસો, જે.જે. બૂલિયનને 1 રૂ.થી લઈને 1.50 કરોડની ITC લેવાનું ખુલ્યું....

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી થઇ રહી છે, શહેરના સોની માર્કેટમાં DDGI દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે,

Rajkot News: રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી થઇ રહી છે, શહેરના સોની માર્કેટમાં DDGI દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે, આ દરોડાની કાર્યવાહીને લઇને એક મોટો ખુલાસો આજે સામે આવ્યો છે. જે.જે.બુલિયનને એક રૂપિયાથી લઈને 1.50 કરોડની ITC લેવાનું ખુલ્યું છે. 

મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના સોની બજારમાં DDGI મોટા દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે, આમાં હવે એક મોટો વળાંક સામે આવ્યો છે. રાજકોટમાં કરોડોના બૉગસ બિલિંગ કૌભાંડમાં ખુલાસો થયો છે, તે પ્રમાણે જે.જે. બૂલિયનને એક રૂપિયાથી લઈને 1.50 કરોડની ITC લેવાનું પણ ખુલ્યુ છે. ત્રણ દિવસ અગાઉ આસ્થા ટ્રેડિંગ પર દરોડા પાડ્યા હતા. આ મામલે હિતેશ લોઢીયાની ધરપકડ કરીને તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, સોની બજારમાં DDGI છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે, રાજકોટમાં સોની બજારમાં DDGIના દરોડાનો મામલો હવે ચર્ચામાં આવ્યો છે. 1467 કરોડના બૉગસ બિલિંગ કૌભાંડ મામલે તપાસમાં ખુલાસો થયો છે. જે.જે. બૂલિયન પર સર્ચ ઓપરેશનમાં રૂપિયા 1 થી 1.50 કરોડની ITC લેવાનું ખૂલ્યું છે. 3 દિવસ પહેલા સોની બજારમાં આવેલા આસ્થા ટ્રેડિંગ પર દરોડા પડ્યા હતા. આમાં હિતેશ લોઢીયાની ધરપકડ કરી હતી, તેને જ્યૂડિશિયલી કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો છે. હજુ પણ સોની બજારમાં DGGI દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

 

રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી મોટું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે.  સોની બજારમાં DGGI(Directorate General of GST Intelligence)દ્વારા દરોડા કરી સોથી મોટા કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.  1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે.  રાજકોટના આસ્થા ટ્રેડરના હિતેશ લોધિયાની ધરપકડ કરવામાં આવી છે. સોનાના ખોટા બિલો ફાડી ૩ ટકા GSTની ચોરી કરવામાં આવી છે.  44 જુદા-જુદા વેપારીઓના બિલો પાસ ઓન કર્યા હતા. 

પહેલાથી જ રાજકોટમાં યથાવત છે દરોડાનો દૌર

સોની બજારમાં બિલો લેનાર તમામ વેપારીઓ સંકજામાં આવશે. માત્ર રાજકોટ નહિ સૌરાષ્ટ્રભરમાં બિલો આપ્યા હતા. આવકવેરા વિભાગ જરૂર પડે તો ED ને જાણ કરશે.  મસમોટા બિલિંગ કૌભાંડમાં 44 કરોડની ITC બહાર આવી છે.  આસ્થા ટ્રેડિંગ કંપનીના બોગસ બિલિંગ ઝડપાયા છે.  વેપારી હિતેશ લોઢીયાને ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.  DGGI દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન મોબાઈલ ,લેપટોપ,તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ કબજે લેવામાં આવ્યા છે.  

રાજ્યના 9 શહેરોમાં GST વિભાગના દરોડા 

રાજ્યના નવ શહેરોમાં GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.  25 વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. 46 સ્થળ પર તપાસ હાથ ધરીને કુલ 4 કરોડની કરચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.  GSTનું રજિસ્ટ્રેશન લીધા બાદ ટર્ન ઓવર છુપાવીને ગેરકાયદે રીતે કોમ્પોઝિસન સ્કીમનો લાભ લઈ રહેલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. 

કોમ્પોઝિસન સ્કીમમાં જોડાયા બાદ વેપારીઓ અન્ય મોડસ ઓપરેન્ડીના સહારે GST ચોરી કરવામાં આવતું હોવાને ધ્યાનમાં આવ્યુ હતું. એટલું જ નહીં અનેક વેપારીઓએ GSTનું રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. તેમ છતા કોઈ રજિસ્ટ્રેશન મેળવ્યું નથી. 

અલગ-અલગ જિલ્લાઓમાં 25 વેપારીઓના 46 સ્થળો ખાતે દરોડા પડતા પ્રાથમિક તપાસમાં આવા વ્યવહારો ઉપર અત્યાર સુધીમાં કુલ 4 કરોડની કરચોરી ધ્યાને આવી છે. GST વિભાગે કરેલી તપાસમાં B2C સેગમેન્ટ એટલે કે મોટાભાગે સીધા ઉપભોકતાઓને માલ -સેવા પુરી પાડતા વિવિધ સેકટરના વેપારીઓ કરચોરી કરતા પકડાયા છે. GST વિભાગ દ્વારા વિવિધ સેક્ટરોમાં હાલમાં ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે વેપારીઓ દ્વારા કરચોરી કરવા અપનાવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી આવા ટેક્ષ પેયરોનું સીસ્ટમ આધારીત ટેક્ષ પ્રોફાઇલીંગ કરવામાં આવે છે. આ તપાસ દરમ્યાન ધ્યાને આવ્યું છે કે B2C સેગમેન્ટમાં અમુક વેપારીઓ જીએસટી રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ ટર્નઓવર છુપાવી ગેરકાયદેસર રીતે કમ્પોઝીશન સ્કીમનો લાભ લઇ અથવા તે સિવાય પણ કરચોરી કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sea Link Project: દહેજ-ભાવનગર વચ્ચે રેલ્વે સી લિંક પ્રોજેક્ટને મંજૂરી, હવે ગણતરીના કલાકોમાં પહોંચશોRajkumar Jaat: મૃતક રાજકુમાર જાટના ચોંકાવનારા CCTV ફૂટેજ , નિવસ્ત્ર હાલતમાં પસાર થતો મળ્યો જોવાSurat Shivshkati Fire News: આગમાં કરોડોની નુકસાની વચ્ચે વેપારીઓેને અપાઈ મોટી રાહત, જુઓ વીડિયોમાંGujarat Heatwave: હજુ 24 કલાક સુધી ગરમીનું જોર રહેશે યથાવત, રાજકોટ રહ્યું સૌથી વધુ ગરમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
Cricket: હવે નહીં તૂટે રોહિત શર્માનો આ વર્લ્ડ રેકોર્ડ, પાકિસ્તાને બાબર આઝમ સાથે કરી દીધો ખેલ
Cricket: હવે નહીં તૂટે રોહિત શર્માનો આ વર્લ્ડ રેકોર્ડ, પાકિસ્તાને બાબર આઝમ સાથે કરી દીધો ખેલ
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
PAK આર્મીનો દાવો- તમામ આતંકી માર્યા ગયા, બલોચ આર્મીએ કહ્યુ- 'હજુ 150 લોકો બંધક, 100 જવાન માર્યા ગયા'
PAK આર્મીનો દાવો- તમામ આતંકી માર્યા ગયા, બલોચ આર્મીએ કહ્યુ- 'હજુ 150 લોકો બંધક, 100 જવાન માર્યા ગયા'
Embed widget