![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot: રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઈમના શિકાર બન્યા, ભાજપનો કાર્યકર હોવાનું કહી 15 હજારનો કરી છેતરપિંડી
ભાજપના સિનિયર નેતા તેમજ રાજ્યસભા સાંસદ રામ મોકરીયાને એક યુવકે ફોન કરીને કહ્યું હતું કે તે ભાજપનો કાર્યકર છે અને પિતાનું મૃત્યુ થયું છે તેમ કહી 15000 રૂપિયાની માંગણી કરી હતી.
![Rajkot: રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઈમના શિકાર બન્યા, ભાજપનો કાર્યકર હોવાનું કહી 15 હજારનો કરી છેતરપિંડી Rajkot News Rajya Sabha MP Ram Mokaria becomes a victim of cyber crime, fraud of 15 thousand by claiming to be a BJP worker Rajkot: રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઈમના શિકાર બન્યા, ભાજપનો કાર્યકર હોવાનું કહી 15 હજારનો કરી છેતરપિંડી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/4804981326d5808247bf3c26367bf7e2169976254815176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot News: રાજ્યસભાન સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે. ભાજપના કાર્યકર હોવાનું કહીને પિતાનું મૃત્યુ થયું છે તેમ કહી એક વ્યક્તિએ ૧૫૦૦૦ રૂપિયાની છોતરપિંડી કરી હતી. રામ મોકરિયાએ ૧૫૦૦૦ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.
શું છે મામલો
ભાજપના સિનિયર નેતા તેમજ રાજ્યસભા સાંસદ રામ મોકરીયાને એક યુવકે ફોન કરીને કહ્યું હતું કે તે ભાજપનો કાર્યકર છે અને પિતાનું મૃત્યુ થયું છે તેમ કહી 15000 રૂપિયાની માંગણી કરી હતી. સાંસદ રામ મોકરીયાએ રૂ.15000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા કર્યા હતા. જો કે બાદમાં ફોન કરનાર યુવકનું લોકેશન છત્તીસગઢમાં નીકળ્યું હતું, જે બાદ સાંસદને જાણ થઇ હતી કે તે છેતરપીંડીનો ભોગ બન્યા છે.
તાજેતરમાં નકલી બિરાયણની ખેડૂતોની રાજ્યવ્યાપી ફરિયાદો બાદ ભાજપના સાંસદ મેદાનમાં આવ્યા હતા. રામ મોકરિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને નકલી બિયારણ અંગે પત્ર લખ્યો હતો. મોકરિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્યસ રકાર ખેડૂતો માટે અનેક યોજના લઈ આવે છે. સરકાર ખેડૂતોના હિતમાં કામ કરે છે. નકલી બિયારણથી પાક નિષ્ફળ થાય છે. આ માટે કાયદામાં સુધારો લાવવો જરૂરી છે, જેથી નકલી બિયારણ ન વેચાઈ શકે. મારી પાસે જે ખેડૂતોની રજુઆત આવી છે અને હું પણ ખેડૂત પુત્ર છું. કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે મારે વાત થયા પછી જ મેં પત્ર લખ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી છે. અમુક વેપારીઓ નકલી સર્ટીફાઇડ બિયારણ વેંચતા હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. નકલી બિયારણ વેંચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા જોઈએ. જે વેપારી પકડાય તેની પાસેથી ખેડૂતોના નુકસાનની પણ ભરપાઈ કરાવવું જોઈએ. ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ વેંચાતું હોવાનું થોડું ધ્યાનમાં આવ્યું છે. સરકારની આંખ અને કાન બનીને મને જાણ થાય એટલે હું સરકારમાં રજૂઆત કરૂં છું. ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ અંગે મેં સરકારમાં રજૂઆત કરી છે. ખેડૂતોને નકલી બિયારણને કારણે નુકસાન જાય છે. પાણીનો બગાડ અને મહેનત તેમજ સમયનો વ્યય થાય છે.
થોડા મહિના પહેલા સાંસદ રામ મોકરીયાની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં લખ્યું હતું કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી તેમજ એ નેતાની નિયત ખરાબ હોવાથી મારા પૈસા આપ્યા નથી તેમણે કહ્યું કે, એ નેતા 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી આ નેતા રાજકારણમાં સક્રિય છે તેમણે વધુમાં લખ્યું કે, નેતા ગુજરાત બહાર હતા ત્યારે રિટાયર્ડ થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)