શોધખોળ કરો

Rajkot : દેવસ્થાને દર્શન કરવા જઈ રહેલા પરિવારની વાન અને ક્રેટા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં મોત

ઉપલેટામાં વાન અને ક્રેટા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. ઉપલેટા નજીક બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી.

રાજકોટઃ ઉપલેટામાં વાન અને ક્રેટા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. ઉપલેટા નજીક બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની આ ઘટના ઉપલેટા નજીક મોટી પાનેલી સીદસર રોડ પર ઘટી હતી. પાનેલી તરફ જતી રહેલ મારૂતિ વાન અને સીદસર તરફ જઈ રહેલી ક્રેટા કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દસ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ત્રણનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.અકસ્માતની જાણ થતા 108ની  ટીમ ઘટના સ્થળે તુરંત દોડી આવી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે તેમજ ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોતાના દેવ સ્થાને દર્શન કરવા જઈ રહેલા પરિવારોનો પાનેલીના સીદસર રોડ પર અકસ્માત સર્જાયો.અકસ્માતમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ મારૂતિ વાનના ચાલક અતુલભાઈ રાવરાણી નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. સારવાર દરમિયાન મોત થનાર વ્યક્તિના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જયારે અકસ્માતમાં અમુક વ્યક્તિઓને વધુ ઈજાઓ અને હાલત ગંભીર માલુમ પડતા જામનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્ત લોકોમાં ત્રીગુણાબેન રતિલાલ મહેતા, શાંતાબેન અમૃતલાલ મહેતા, જગદીશ મનુભાઈ મહેતા, દિલીપ રતિલાલ મહેતા, શીતલબેન જગદીશભાઈ મહેતા, મનુબેન મનસુખભાઈ મહેતા, રમેશભાઈ બાઉભાઈ રાદડિયા, રાજુભાઈ ભીખાભાઈ રાદડિયા તેમજ અતુલભાઈ લિલાધરભાઈ રાવરાણી નામના વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા મારૂતિ વાનના ચાલક અતુલભાઈ લિલાધરભાઈ રાવરાણીનું ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

3 વ્યક્તિનું મોત થયું હતું, જેમાં બે વૃદ્ધ મહિલા સારવાર અર્થે પહોંચે તે પહેલાં જ મોત થયું છે. 74 વર્ષીય શાંતાબેન અમૃતલાલ મહેતા તેમજ 70 વર્ષીય મંજુબેન મનસુખભાઈ મહેતા નામના બે મહિલાના મોત થયા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોમાં અમુક દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
Embed widget