રાજકોટમાં સાતમ આઠમના લોકમેળાનું બદલાશે સ્થાન? આ સમસ્યાના કારણે સ્થળ બદલવા વિચારણા
Rajkot Lokmelo: રંગીલું રાજકોટ ખાણી પીણી સહિત લોકમેળા માટે પણ ફેમસ છે. અહીંનો લોકમેળો માણવા જેવો હોય છે. જો કે વર્ષોથી ભરાતા આ મેળાનું સ્થાન હવે બદલાવવા જઇ રહ્યું છે.

Rajkot Lokmelo:વર્ષોથી રાજકોટ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના અવસરે લોકમેળો યોજાય છે. જો કે હવે તેનું સ્થાન બદલવાની વિચારણા ચાલી રહી છે. રેસકોર્ષ ગ્રાઉન્ડથી આ લોકમેળો કણકોટ અથવા ન્યુ રેસકોર્સ શિફ્ટ કરવા મુદ્દે હાલ વિચારણા ચાલી રહી છે. ઉલ્લેખનિય છે ટ્રાફિકની સમસ્યાના કારણે લોકમેળાનું સ્થાન બદલવા અંગે વિચારણ ચાલી રહી છે.
ટ્રાફિક સહિતની કેટલીક સમસ્યાને ધ્યાનમાં લઇને લોકમેળાનું સ્થળ બદલાવવા અંગે વિચારણા થઇ રહી છે.
ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં કૃષ્ણજન્માષ્ટમીના અવસરે લોકમેળા યોજાય છે. રાજકોટમાં અતિ ભવ્ય અને વિશાળ લોકમેળાનું શ્રાવણ મહિનામાં સાતમ આઠમ પર થાય છે. દર વર્ષે લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી લોકો ઉમટે છે.





















