શોધખોળ કરો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજથી પરીક્ષા, 42,437 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી સ્નાતકના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી સ્નાતકના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. 160 પરીક્ષા કેન્દ્ર પરથી 42 હજાર 437 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે 107 અધ્યાપકો ખડેપગે રહેશે.

યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તરફથી લોકસભા ચૂંટણીનું કારણ આગળ આપીને વહેલી પરીક્ષા લેવામાં આવી રહ્યાનો દાવો કરવામાં આવ્યો છે. અંડર ગ્રેજ્યુએશનના 27 કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષાના સીસીટીવી કોઈ પણ વ્યકિત જોઈ શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન વેબકાસ્ટિંગ કરાશે.

આજથી શરૂ થનારી પરીક્ષા 3 એપ્રિલ સુધી ચાલશે. બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ., બી. એસ. ડબલ્યુ., એમ. એસ. ડબલ્યુ, બી. એ. બી. એડ. સહિતના 27 કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જેમાં બી.એ. અને બી.કોમ. માં રેગ્યુલરની સાથે એક્સ્ટર્નલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પણ પરીક્ષા યોજાવાની છે. 3 એપ્રિલના સ્નાતક કક્ષાના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા પૂર્ણ થયા બાદ 4 એપ્રિલથી અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે.

સરસ્વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલે કરી હતી  વિદ્યાર્થીનીઓની છેડતી

રાજકોટના કોઠારિયા રોડ પરની સરસ્વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયા પર વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાના આરોપ લાગ્યા હતા. મળતી જાણકારી અનુસાર, શહેરના કોઠારિયા રોડ પર આવેલી સરસ્વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલે ચાર વિદ્યાર્થીનીઓની છેડતી કર્યાની ઘટના બની હતી. વાલીઓએ આરોપ લગાવ્યો હતો કે પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયાએ 4 વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા.  આ વિવાદમાં ફરિયાદ નોંધાતા પોલીસે પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયાની અટકાયત કરી હતી. ૧૧ થી ૧૪ વર્ષની ચાર વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાના આરોપ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે પ્રિન્સિપાલ રાકેશ સોરઠીયા આમ આદમી પાર્ટીનો આગેવાન પણ છે. ભક્તિનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આ સ્કૂલ રાજકોટના વોર્ડ નંબર 17માં આવી છે. આરોપી રાકેશ સોરઠીયા આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યો છે.

આરોપીની શાળાની મંજૂરી પર ભાજપે સવાલ ઉઠાવ્યા હતા. ભાજપ કોર્પોરેટર વિનુભાઈ ઘવાએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આ શાળાને કેવી રીતે મંજૂરી અપાઈ છે. રાકેશ સોરઠીયાએ અગાઉ મહિલાની છેડતી કરી હતી. રાકેશ સોરઠીયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગUS Deportation : અમેરિકાથી વધુ માઠા સમાચાર , હજુ 487 ભારતીયોને તગેડી મુકાશે!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં, ગંગા નદીના ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડુબકી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ 
Embed widget