શોધખોળ કરો

Rajkot: બે પુત્રોની હત્યા કરનાર બાપે ગળેફાંસો ખાઈ ગોંડલ જેલમાં આપઘાત કર્યો 

ફોરેન્સિક પીએમ બાદ ખૂદ પિતાએ જ બંને બાળકોને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ ક્વાટરમાં રહેતા બે માસૂમ ભાઈઓના શંકાસ્પદ મોત થયા હતા. દરગાહમાં ન્યાજ ખાધા બાદ બન્ને બાળકો રોહિત (ઉ.વ.3) અને હરેશ (ઉ.વ.13) ના મોત થયા હોવાનું તેમના પિતા પ્રેમજીભાઈ મકવાણાએ જણાવ્યું હતું.  જો કે, ફોરેન્સિક પીએમ બાદ ખૂદ પિતાએ જ બંને બાળકોને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.  ગોંડલ સબજેલમાં બે બાળકોના હત્યારા પિતાએ આત્મહત્યા કરી લીધી છે. જેલ હવાલે થયેલા આરોપીએ સબજેલની બેરેકમાં બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. 

બે બાળકોની હત્યાના આરોપી પિતાએ આપઘાત કર્યાના સમાચાર જેલમાં ફેલાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. બોડીને પીએમ માટે  હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પત્નિ ઉપર આરોપી ચારિત્ર્ય અંગેની શંકા કરતો

પહેલી પત્નિ ઉપર આરોપી ચારિત્ર્ય અંગેની શંકા કરતો હોવાની પણ માહિતી સામે આવી હતી.  પોલીસ તપાસમાં પતિથી છૂટાછેડા લીધેલ પત્નીએ ચારિત્ર્ય અંગેની શંકાનો ખુલ્લાસો કર્યો હતો. લગ્ન સમયગાળા દરમિયાન પતિ-પત્નિ વચ્ચે ચારિત્ર્યની શંકાને ઝઘડા થતા હતા.


Rajkot: બે પુત્રોની હત્યા કરનાર બાપે ગળેફાંસો ખાઈ ગોંડલ જેલમાં આપઘાત કર્યો 

બે માસૂમ પુત્રોને ઝેર પીવડાવીને હત્યા કરી

પહેલાં તો બે માસૂમ પુત્રોને ઝેર પીવડાવીને હત્યા કરી હતી. બાદમાં પિતાએ પોતે પણ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.  રાજેશ મકવાણા નામનો શખ્શ પોતાના 3 વર્ષીય પુત્ર રોહિત અને 13 વર્ષીય પુત્ર હરેશને ગયા શુક્રવારે દરગાહમાં લઈ ગયો હતો. દરગાહમાં ભોજન કર્યા બાદ બંને પુત્રોની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું.  પિતા રાજેશ મકવાણાએ જ બંને પુત્રોને ઝેર પીવડાવીને હત્યા કર્યાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી.


Rajkot: બે પુત્રોની હત્યા કરનાર બાપે ગળેફાંસો ખાઈ ગોંડલ જેલમાં આપઘાત કર્યો 

આરોપીએ હવે ગોંડલ જેલમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.  આરોપી પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો હતો અને 15 દિવસ પહેલાં જ પત્નીને છૂટાછેડા આપ્યા હતા.  બંને પુત્રો પોતાના સંતાન ન હોવાની તેને શંકા હતી. આ કારણોસર બંને પુત્રોની હત્યા કરી નાંખી હતી. 

ગોંડલ વોરાકોટડા રોડ પર આવાસ ક્વાટરમાં રહેતા રાજેશ પ્રેમજીભાઈ મકવાણાએ ઝેર પાઈને પોતાના બે પુત્રો રોહિત અને હરેશને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે રાજેશની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. જેલમાં હત્યારા પિતા રાજેશની આત્મહત્યાના બનાવને લઈ ડેપ્યુટી કલેક્ટર, પોલીસ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. ગોંડલ સબજેલમાં બેરેક નંબર 1ના બાથરૂમમાં આજે વહેલી સવારે રાજેશે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ-દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ-દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
Embed widget