શોધખોળ કરો

સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ખાતરની કોઈ તંગી જ નથીઃ કૃષિમંત્રી રાઘવજી પટેલનો દાવો

લાલપુર બાયપાસ નજીક કૃષિ કેન્દ્રના સંચાલકોએ દાવો કર્યો કે એક જ ગાડી યુરિયા ખાતરનો જથ્થો આવ્યો છે. આ જથ્થો ખેડૂતોને સરખા હિસ્સે વહેંચવામાં આવે છે.

યુરિયા ખાતરની અછતની ફરિયાદો વચ્ચે કૃષિમંત્રીએ મોટો દાવો કર્યો છે. સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ખાતરની કોઈ તંગી હોવાનું કૃષિમંત્રીએ કહ્યું છે. રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં રાઘવજી પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને પૂરતા પ્રમાણમાં જથ્થો આપવામાં આવે છે. કોઈ પણ મંડળીઓમાં ખાતરની અછત નથી.

જોકે કૃષિમંત્રીના દાવાની વચ્ચે તેમના જ જિલ્લામાં ખાતર ન મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ છે. જામનગરના ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 10 દિવસથી તેઓ ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે. કેન્દ્ર પર ખાતરની એક-બે જ ગાડી આવે છે. પોલીસની હાજરીમાં ખાતરનું વેચાણ થઈ રહ્યું છે.

રાજ્યમાં એકતરફ પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવાઓ કરવામાં આવે છે. પણ કૃષિમંત્રીના આ દાવાથી વાસ્તવિકતા તદન વિપરીત છે. જામનગરમાં ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ગઈકાલે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોના રોષ પારખી ગયેલા સંચાલકોએ પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી. પોલીસે આવી સ્થિતિ થાળે પાડી હતી.

લાલપુર બાયપાસ નજીક કૃષિ કેન્દ્રના સંચાલકોએ દાવો કર્યો કે એક જ ગાડી યુરિયા ખાતરનો જથ્થો આવ્યો છે. આ જથ્થો ખેડૂતોને સરખા હિસ્સે વહેંચવામાં આવે છે.

તો ત્રણ દિવસ પૂર્વે મોરબીમાં પણ ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. અહીં પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો કે સવારે 3 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતા પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળતો નથી.

ગુજરાતમા હાલ ખરીફ સીઝનનું વાવેતર ચાલી રહ્યું છે. આ સીઝનમાં ખેડૂતોને યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. આ પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોએ ખોટી અફવાઓથી પ્રેરાવવું નહિ અને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવું. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક કરી હતી. જોકે કૃષિ મંત્રીના આ દાવા કરતાં સ્થિતિ વિપરિત જણાઈ રહી છે.

રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, રાજ્યમાં યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા સૂચનાઓ આપી છે. રાજ્યમાં યુરિયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે બેઠક કરીને ખાતરની ઉપલબ્ધતા અંગે વર્તમાન પરીસ્થિતિની સમીક્ષા કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : યે ઇલુ ઇલુ ક્યાં હૈ ? । abp AsmitaHun To Bolish : કેમ લાગી આગ ?  । abp AsmitaBanaskantha News । બનાસકાંઠાના ડીસાના મુડેથા ગામમાં ફટાકડાને કારણે લગ્ન મંડપમાં લાગી આગSurat News । સુરતના રાંદેર વિસ્તારમાં યુવાનો ભૂલ્યા ભાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
ઓરિસ્સા અને બંગાળમાં BJP ક્લિન સ્વીપ કરશે, PM મોદીએ ABP સાથેની ખાસ વાતચીતમાં કર્યો દાવો
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
GT vs CSK: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ધમાકેદાર જીત, ચેન્નાઈની હારથી રોમાંચક થઈ પ્લેઓફની રેસ
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Surat News: નિલેશ કુંભાણી અત્યાર સુધી ક્યાં છુપાયો હતો, ખુદ કર્યો ખુલાસો, પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
Arvind kejriwal: તિહાર જેલમાંથી છૂટ્યા બાદ CM કેજરીવાલે જાણો શું આપ્યું મોટુ નિવેદન
‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે
‘મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે’, હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીનો વીડિયો આવ્યો સામે
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપા ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ પાટીલને કેમ લખ્યો પત્ર? જાણો
Sai Sudharsan Record:  ગુજરાત ટાઈટન્સના સુદર્શને તોડ્યો સચિનનો રેકોર્ડ, આ મામલે બન્યો પ્રથમ ભારતીય
Sai Sudharsan Record: ગુજરાત ટાઈટન્સના સુદર્શને તોડ્યો સચિનનો રેકોર્ડ, આ મામલે બન્યો પ્રથમ ભારતીય
Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ
Brij Bhushan Singh: મહિલા રેસલર્સના જાતીય શોષણ મામલે ભાજપ નેતા બ્રિજભૂષણને લાગ્યો ઝટકો, કોર્ટે શું આપ્યો આદેશ
Embed widget