શોધખોળ કરો

SURAT: સુરતથી ગાંધીનગર માર્કશીટ લેવા આવેલો વિદ્યાર્થી 1 મહિના બાદ પણ ઘરે પરત ન ફરતા પરિવાર રસ્તા પર ઉતર્યો

સુરત: પુણા વિસ્તારમાં રહેતો કમ્પ્યુટર એન્જિનિયર એક મહિના પહેલા માર્કશીટ લેવા માટે ગાંધીનગર ખાતે ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે.

સુરત: પુણા વિસ્તારમાં રહેતો કમ્પ્યુટર એન્જિનિયર એક મહિના પહેલા માર્કશીટ લેવા માટે ગાંધીનગર ખાતે ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. સુરત બસ સ્ટેન્ડ પરથી ગુમ થવાની મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 1 મહિને પણ ભાળ ન મળતા આજે પરિવાર પોલીસ કમિશનર કચેરી બહાર રસ્તા પર ઉતરી આવ્યું હતું અને દીકરાને પરત લાવવા માટે રજૂઆત કરી હતી. 

કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતો કેયુર ભાલાળા ગાંધીનગર ખાતે અભ્યાસ કરી રહ્યો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ ચાર મહિનાથી સુરતમાં રહેતો હતો. પરીક્ષાનું પરિણામ આવતા ગાંધીનગર ખાતે 24 તારીખે રાતે સુરત સ્ટેશનેથી નીકળ્યો હતો. 26 તારીખથી ફોન સ્વીચ ઓફ આવવાનું શરૂ થયું હતું. ત્યારબાદ આજ દિન સુધી કેયુરનો કોઈ પણ સંપર્ક થયો નથી.કેયુર ભાલાળા ગાંધીનગર માર્કશીટ લેવા માટે ગયો હતો પરંતુ વાત એ છે કે તેણે માર્કશીટ લીધા પહેલા જ તે મુંબઈ જવા માટે નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 મુંબઈ માટેની ટિકિટ તેણે ઓનલાઈન બુક કરાવ્યું હોવાના પુરાવા પણ સાથે લાગ્યા છે. કેયુર ભાલાળા અચાનક મુંબઈ શા માટે જઈ રહ્યો હતો તે બાબતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. કેયુર ભાલાળા ગુમ થતાની સાથે જ પરિવારજનોએ પણ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે તમામ ગાંધીનગરથી મુંબઈ તરફની હોટલોની તપાસ કરતા નવસારી નજીકની એક હોટલમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયો હોવાનો પરિવારો જણાવ્યું હતું. સીસીટીવીમાં એકલો જણાઈ આવ્યો હતો. પરંતુ શંકાએ વાતની ઉભી થઇ રહી છે કે તે એકલો હતો કે અન્ય કોઈની સાથે મુંબઈ જઈ રહ્યો હતો તે અંગેની કોઈ માહિતી મળી નથી.

એક મહિના કરતાં વધુ સમય પસાર થઈ ગયા બાદ પણ કેયુર ભાલાળાની કોઈ માહિતી ન મળતા આખરે પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા. કેયુર ભાલાળાની માતા અને તેના પરિવારના સભ્યો તેમજ સમાજના લોકો ન્યાયની અપેક્ષા સાથે પહોંચ્યા હતા. મુંબઈ ખાતેથી એક મૃતદેહ મળ્યો છે અને ત્યાંથી જ કેયુરનો આઈકાર્ડ પણ મળ્યો હોવાની વાત મળી રહી છે. મહીધરપુરા પોલીસે અત્યાર સુધી કોઈ નક્કર કામગીરી ન કરતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કેયુરની માતા પ્રભાબેનને જણાવ્યું કે મારો પુત્ર ગાંધીનગરમાં ભણતો હતો અને ત્યાં માર્કશીટ લેવા ગયો હતો પરંતુ તે પરત ફર્યો નથી. 24-25 તારીખે ફોન ઉપર વાત કરી હતી પરંતુ 26 તારીખથી તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો એટલે અમારી ચિંતા વધી છે. એક મહિનાને બે દિવસ જેટલો સમય થઈ ગયો છે પરંતુ મારા દીકરાની કોઈ માહિતી મળી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget