શોધખોળ કરો

SURAT: સુરતથી ગાંધીનગર માર્કશીટ લેવા આવેલો વિદ્યાર્થી 1 મહિના બાદ પણ ઘરે પરત ન ફરતા પરિવાર રસ્તા પર ઉતર્યો

સુરત: પુણા વિસ્તારમાં રહેતો કમ્પ્યુટર એન્જિનિયર એક મહિના પહેલા માર્કશીટ લેવા માટે ગાંધીનગર ખાતે ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે.

સુરત: પુણા વિસ્તારમાં રહેતો કમ્પ્યુટર એન્જિનિયર એક મહિના પહેલા માર્કશીટ લેવા માટે ગાંધીનગર ખાતે ગયો હતો. ત્યારબાદ તે ઘરે પરત ન ફરતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે. સુરત બસ સ્ટેન્ડ પરથી ગુમ થવાની મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. 1 મહિને પણ ભાળ ન મળતા આજે પરિવાર પોલીસ કમિશનર કચેરી બહાર રસ્તા પર ઉતરી આવ્યું હતું અને દીકરાને પરત લાવવા માટે રજૂઆત કરી હતી. 

કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતો કેયુર ભાલાળા ગાંધીનગર ખાતે અભ્યાસ કરી રહ્યો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ ચાર મહિનાથી સુરતમાં રહેતો હતો. પરીક્ષાનું પરિણામ આવતા ગાંધીનગર ખાતે 24 તારીખે રાતે સુરત સ્ટેશનેથી નીકળ્યો હતો. 26 તારીખથી ફોન સ્વીચ ઓફ આવવાનું શરૂ થયું હતું. ત્યારબાદ આજ દિન સુધી કેયુરનો કોઈ પણ સંપર્ક થયો નથી.કેયુર ભાલાળા ગાંધીનગર માર્કશીટ લેવા માટે ગયો હતો પરંતુ વાત એ છે કે તેણે માર્કશીટ લીધા પહેલા જ તે મુંબઈ જવા માટે નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 મુંબઈ માટેની ટિકિટ તેણે ઓનલાઈન બુક કરાવ્યું હોવાના પુરાવા પણ સાથે લાગ્યા છે. કેયુર ભાલાળા અચાનક મુંબઈ શા માટે જઈ રહ્યો હતો તે બાબતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. કેયુર ભાલાળા ગુમ થતાની સાથે જ પરિવારજનોએ પણ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે તમામ ગાંધીનગરથી મુંબઈ તરફની હોટલોની તપાસ કરતા નવસારી નજીકની એક હોટલમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયો હોવાનો પરિવારો જણાવ્યું હતું. સીસીટીવીમાં એકલો જણાઈ આવ્યો હતો. પરંતુ શંકાએ વાતની ઉભી થઇ રહી છે કે તે એકલો હતો કે અન્ય કોઈની સાથે મુંબઈ જઈ રહ્યો હતો તે અંગેની કોઈ માહિતી મળી નથી.

એક મહિના કરતાં વધુ સમય પસાર થઈ ગયા બાદ પણ કેયુર ભાલાળાની કોઈ માહિતી ન મળતા આખરે પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા. કેયુર ભાલાળાની માતા અને તેના પરિવારના સભ્યો તેમજ સમાજના લોકો ન્યાયની અપેક્ષા સાથે પહોંચ્યા હતા. મુંબઈ ખાતેથી એક મૃતદેહ મળ્યો છે અને ત્યાંથી જ કેયુરનો આઈકાર્ડ પણ મળ્યો હોવાની વાત મળી રહી છે. મહીધરપુરા પોલીસે અત્યાર સુધી કોઈ નક્કર કામગીરી ન કરતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કેયુરની માતા પ્રભાબેનને જણાવ્યું કે મારો પુત્ર ગાંધીનગરમાં ભણતો હતો અને ત્યાં માર્કશીટ લેવા ગયો હતો પરંતુ તે પરત ફર્યો નથી. 24-25 તારીખે ફોન ઉપર વાત કરી હતી પરંતુ 26 તારીખથી તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો એટલે અમારી ચિંતા વધી છે. એક મહિનાને બે દિવસ જેટલો સમય થઈ ગયો છે પરંતુ મારા દીકરાની કોઈ માહિતી મળી નથી.

ટોપ સ્ટોરી

સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
સુરત રેલવે સ્ટેશન કેન્ટીનમાં મશીન અંદર ઉંદર પફ ખાતો કેમેરામાં કેદ, વાયરલ VIDEO 
સુરત રેલવે સ્ટેશન કેન્ટીનમાં મશીન અંદર ઉંદર પફ ખાતો કેમેરામાં કેદ, વાયરલ VIDEO 
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
Embed widget