શોધખોળ કરો

Govindbhai Dholakia: ગોવિંદ ધોળકિયાની રાજ્યસભામાં પસંદગીથી હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ

Govind Dholakia : ગોવિંદ ધોળકિયા  અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે.

Govindbhai Dholakia: ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.

રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના નેતાને આપે છે. આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્ય સભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તેમાં વધુ એક બિન ગુજરાતી તરીકે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાનું નામ ઉમેરાશે.

ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ છે. સુરત ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ કે એમણે ઉમેદવાર તરીકે ગોવિંદ કાકાની પસંદગી કરી. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં આજે ખુશીનો માહોલ છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને ક્યારેય રાજકીય પ્રતિનેતૃત્વ મળ્યું નહોતું.

અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે ગોવિંદ ધોળકિયા

ગોવિંદ ધોળકિયા  અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. તેમણે સૌરાષ્ટ્રમાં જળસંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ધોળકિયા નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે.

હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ મૂઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દૂધાળાના વતની ગોવિંદભાઈએ સાઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો.

6000થી વધુ લોકોને આપે છે રોજગારી

માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક SRK એમ્પાયર ઊભું કર્યું છે, જેમાં 6000થી વધુ લોકોને રોજગારી મળે છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એક સફળ ઉદ્યોગપતિની જિંદગી ઝાકમઝોળથી ભરેલી હોય એવી માન્યતાને સાદગીભર્યું સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદકાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમનાં સામાજિક કાર્યોમાં દર્શાવી છે. તેમની આ સિદ્ધિને ધ્યાને લઈ અમદાવાદની ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ડો.ગોવિંદભાઈ ધોળકિયા ભલે ઓછું ભણેલા હશે, પણ એમની કોઠાસૂઝ કોઈપણ કોર્પોરેટને શરમાવે એવા વ્યવસાયી છે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Rajkot BJP news: રાજકોટ શહેર ભાજપમાં ફરી સામે આવ્યો જુથવાદ, મનપાના શાસકપક્ષના નેતાનો બળાપો
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘરાજા કરશે જમાવટ!
Ambalal Patel Prediction: નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, અંબાલાલ પટેલનો મોટો ધડાકો
Vadodara Video : વડોદરામાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપી હોવાનું કહીને ધરણા પર બેસી ગઈ મહિલા
Anirudhsinh Jadeja: અનિરુદ્ધસિંહ જાડેજા આજે જશે જેલમાં, સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
લશ્કરના કમાન્ડરે ખોલી પાકિસ્તાનની પોલ,જાણો ઓપરેશન સિંદૂર અંગે શું બોલ્યો આતંકી
લશ્કરના કમાન્ડરે ખોલી પાકિસ્તાનની પોલ,જાણો ઓપરેશન સિંદૂર અંગે શું બોલ્યો આતંકી
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
Embed widget