શોધખોળ કરો

ગુજરાત માટે મોટા રાહતના સમાચારઃ સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો

સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ છે. મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે . નર્મદા ડેમમાં હાલ 4690 MCM લાઈવ સ્ટોરેજ છે. 

નર્મદાઃ ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ છે. મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે . નર્મદા ડેમમાં હાલ 4690 MCM લાઈવ સ્ટોરેજ છે. 

રાજકોટની ભાગોળે આવેલો આજી-2 ડેમ છલોછલ ભરાયો છે. ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. કુલ 30.10 ફુટનો ડેમ 29.90 ફૂટ ભરાયો છે.  હવે માત્ર 0.20 ફૂટ બાકી છે. નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા છે. રાજકોટ શહેરનું સુએજનું પાણી આજી-2 ડેમમાં પહોંચે છે. અમરેલી જીલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. ગીર વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલ ડેમમાં 785 ક્યુસેક પાણીની આવક છે. ડેમ 91.01 ટકા સુધી ભરાયો છે. 

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણી આવકમાં વધારો થયો છે. ઉપરવાસ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો થયો છે. હાલ શેત્રુંજીમાં 4000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. હાલ ડેમ ની સપાટી પહોંચી 32 ફૂટ  ઇંચ પર છે. શેત્રુંજી ડેમ છલ્લોછલ ભરતા જિલ્લાને પીવાના પાણી પ્રશ્ન હલ થશે તો સાથે ધરતીપુત્રોને પિયતનું પાણી મળી રહેશે.

ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો  થયો છે. હાલ ડેમની સપાટી 333.93 ફૂટ છે. ડેમનું રુલ લેવલ 340 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમમાં પાણીની આવક..1,01,840 ક્યુસેક છે. ડેમમાંથી પાણીની જાવક 800 ક્યુસેક છે. મહારાષ્ટ્રના હથનુંર ડેમના 36 ગેટ ફૂલ ઓપન કરી 65,368 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે પ્રકાશા ડેમમાંથી 5 ગેટ ફૂલ ઓપન કરી 78,005 ક્યુસેક પાણી ઉકાઈડેમમાં આવી રહ્યું છે. ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા વરસાદને પગલે આગામી દિવસોમાં પણ ઉકાઈડેમની સપાટીમાં વધારો નોંધાશે. આગામી એક વર્ષ સુધી સિંચાઈ તેમજ પીવાના પાણીનો  પર્યાપ્ત જથ્થો ઉકાઈડેમમાં ઉપ્લબ્ધ હોવાથી દક્ષિણ ગુજરાત ના લોકો માટે રાહતના સમચાર છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Embed widget