શોધખોળ કરો

દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ પડ્યો? જાણો લેટેસ્ટ આંકડા

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને ડાંગ જિલ્લામાં ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. આ સાથે મંગળવારે સૌરાષ્ટ્રનાં પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે.

સુરત: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને ડાંગ જિલ્લામાં ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. આ સાથે મંગળવારે સૌરાષ્ટ્રનાં પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે. જેના કારણે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. આ સાથે સુરતમાં અવિરત વરસી રહેલા વરસાદમાં છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 3 ઈંચ, ચોર્યાસીમાં 3 ઈંચ, કામરેજમાં 3.75 ઈંચ, માંડવીમાં 3 ઈંચ, મહુવામાં 1.25 ઈંચ, માંગરોળમાં 3.75 ઈંચ, ઓલપાડમાં 4.20 ઈંચ, પલસાણામાં 2 ઈંચ, ઉમરપાડામાં 3 ઈંચ, સુરતમાં 3.55 ઈંચ નોંધાયો છે. ભારે વરસાદના કારણે વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે. સતત પાણીની આવક ચાલુ રેહતાં ડેમ છલોછલ ભરાઈને તેની હાલની સપાટી 167.55 મીટર થઈ ગઈ છે. ડેમ ઓવરો ફ્લો થતાં જિલ્લાનાં 24 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડેમનાં હેઠવાસમાં તમામ ગામોને એલર્ટ કરી દેવાયા છે. વાંસદા તાલુકાનાં જૂજ, ખડકીયા, નવાનગર, વાંસિયા તળાવ, રાણી ફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાંપલધારા, રાજપુર અને પ્રતાપ નગર ગામોને એલર્ટ કરાયા છે. ચીખલી તાલુકાનાં દોનજા, હરણગામ, ખૂંધ, ઘેકટી, ગામો એલર્ટ કરી દેવાયા છે જ્યારે ગણદેવી તાલુકાનાં ઊંડાચ, લુહાર ફળિયા, વાણિયા ફળિયા, ગોયંડી, ખાપરવાડા, દેસરા ગામોને પણ એલર્ટ કરાયા છે. લોકોને નદીનાં પટમાં ન જવા અને સતર્ક રેહવા સૂચના આપી દેવાઈ છે. નવસારી જીલ્લાનાં વરસાદની વાત કરીએ તો ચીખલીમાં 29 મીમી, ગણદેવીમાં 31 મીમી, જલાલપોરમાં 43 મીમી, ખેરગામમાં 45 મીમી, નવસારીમાં 45 મીમી, વાંસદામાં 63 મીમી વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લામાં ગઈકાલે રાતે પણ મેઘમહેર યથાવત રહ્યો હતો. આહવા, વઘઇ, સુબિર, સાપુતારામાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આહવામાં 39 મીમી, વઘઈમાં 94 મીમી, સુબિરમાં 63 મીમી, સાપુતારામાં 40 મીમી વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget